આ 3 ખેલાડીને છોડીને બધા ખેલાડીઓએ રમવી પડશે સ્થાનિક ક્રિકેટ તો જ ટેસ્ટ ટીમમાં...

BCCIના નવા નિયમ અનુસાર, ભારત માટે નહીં રમનારા દરેક ખેલાડીએ ફ્રી ટાઈમમાં ડોમેસ્ટિક મેચોમાં ભાગ લેવો પડશે. ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે દરેક ખેલાડીને ઓછામાં ઓછી 1 ડોમેસ્ટિક મેચ રમવી ફરજિયાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે ડોમેસ્ટિક મેચ રમવાની જરૂર નહીં પડે.

BCCI સેક્રેટરી જય શાહે ગયા વર્ષે જ સ્પષ્ટ કર્યું હતું કે દરેક ભારતીય ખેલાડી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જરૂરી છે. જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કોઈપણ શ્રેણીમાં રમી રહ્યા નથી, ત્યારે તેઓએ તેમની ઘરની ટીમ માટે મેચ રમવા માટે ઉપલબ્ધ રહેવું પડશે. ગયા વર્ષે શ્રેયસ અય્યર અને ઈશાન કિશન ઓર્ડર પછી પણ ડોમેસ્ટિક મેચ રમ્યા ન હતા, જેના કારણે બંનેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા અને ટીમમાં તેમનું સ્થાન પણ ગુમાવ્યું હતું.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહને BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાંથી અલગ રાખવામાં આવ્યા છે. આ સિવાય જે ખેલાડીઓએ ટીમમાં જગ્યા બનાવી છે અથવા બહાર બેઠા છે, તેમના માટે BCCIએ સ્પષ્ટ કર્યું છે કે ઓછામાં ઓછી 1 ડોમેસ્ટિક મેચ રમવી પડશે.

ભારતીય ટીમને ઘરઆંગણે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ટેસ્ટ શ્રેણી રમવાની છે. ઓગસ્ટમાં દુલીપ ટ્રોફીની મેચો રમાશે. સિરીઝ પહેલા તમામ ખેલાડીઓ પોતાની તૈયારીને મજબૂત કરે તે મહત્વનું માનવામાં આવી રહ્યું છે. દુલીપ ટ્રોફી માટેની ટીમની પસંદગી રાષ્ટ્રીય પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે છે.

BCCIના સૂત્રોએ જણાવ્યું કે, હાર્દિક T-20 વર્લ્ડ કપમાં ટીમનો વાઇસ કેપ્ટન હતો. તે સંપૂર્ણ રીતે ફિટ છે અને શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં તે ભારતીય ટીમનું સુકાન સંભાળશે. શ્રીલંકા સામેની T-20 શ્રેણી 27 થી 30 જુલાઈ સુધી પલ્લેકેલેમાં રમાશે, જ્યારે કોલંબોમાં 2 થી 7 ઓગસ્ટ દરમિયાન ત્રણ વનડે મેચ રમાશે.

Related Posts

Top News

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Gujarat 
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.