અક્ષરે જણાવ્યું-કેવી રીતે 16મી ઓવરમાં ફસાવી પાકિસ્તાની ટીમને, બેટિંગ ઓર્ડર પર..

ICC T20 વર્લ્ડ કપ 2024માં ભલે યુઝવેન્દ્ર ચહલને અત્યાર સુધી રમવાનો અવસર ન મળ્યો હોય, પરંતુ ન્યૂયોર્કમાં તેનું ડેબ્યૂ થઈ ગયું છે, મતલબ તેની ચહલ ટીવીનું. BCCIએ ચહલ ટી.વી.નો નવો એપિસોડ શેર કર્યો છે, જેમાં ચહલે પાકિસ્તાન વિરુદ્ધ જીતમાં ભારતીય ટીમના 3 હીરો સાથે વાત કરી. અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ અને રિષભ પંત, ચહલ ટી.વી.ના આ એપિસોડનો હિસ્સો બન્યા. યુઝવેન્દ્ર ચહલે અક્ષર પટેલને પૂછ્યું કે તેણે બેટિંગ ઓર્ડર માટે શું પ્લાનિંગ કરી હતી?

આ સવાલના જવાબમાં અક્ષર પટેલે કહ્યું કે, નહીં ત્યારે પ્લાનિંગનો ચાંસ નહોતો, મને ખબર પડી કે હું નંબર 4 પર જઇ રહ્યો છું, તો જ્યારે બેટિંગ કરવા ગયો તો મારા કેપ્ટન સાહેબ હતા, તેઓ ક્રિકેટ બાબતે કંઇ બોલી રહ્યા નહોતા, બસ મસ્તી મજાક કરી રહ્યા હતા, તો તેને ખબર હતી કે હું થોડો ઇઝી થઈ જાઉ અને દરેક બૉલ પર મને કંઈક ને કંઇન બતાવતો રહેતો હતો, તો હું થોડી વાતો કરી કરીને ઇઝી થઈ ગયો કે હા ચાલો ભાઈ કંઇ નહીં, બધુ બરાબર ચાલી રહ્યું છે. તો એ જ પ્લાનિંગ હતી બીજું કંઇ નહીં.

અહી કેપ્ટનનો અર્થ રિષભ પંત છે જે IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે અને અક્ષર પણ એ જ ફ્રેન્ચાઇઝી ટીમ માટે રમે છે. ત્યારબાદ ચહલે જ્યારે અક્ષરને 16મી ઓવરની પ્લાનિંગ બાબતે સવાલ કરવામાં આવ્યો તો તેણે જણાવ્યું કે શું રણનીતિ સાથે તેણે એ ઓવર નાખી હતી, જે મેચની ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થઈ. અક્ષરે કહ્યું કે, એ પ્લાન નહોતો કે તેની રેન્જમાં મારે આપવાનો નથી, મિડવિકેટ અને બીજી તરફ સિક્સ ખાવાનું નથી કેમ કે થોડી હવા પણ એ તરફ ચાલી રહી હતી.

તો કેપ્ટન સાથે મેં વાત કરી, રોહિત ભાઈને બોલ્યો કે હું કટ પર બૉલ નાખીશ તો પોઈન્ટ મને આપી દે અને પાછળ સ્વીપરવાળો પણ થોડો કટની અંદર રાખજો, જો તેઓ મને કટ પર કવર પર ચોગ્ગો મારી ગયો તો બરાબર છે કેમ કે તે ખૂબ જ મુશ્કેલ શૉટ છે. એ બધો પ્લાન એક્ઝિક્યૂટ પણ શાનદાર થયો અને ઓવર પણ સારી ગઈ અને ત્યારબાદ રનનું અંતર પણ વધી ગયું તો હજુ દબાવ તેમના પર આવી ગયો. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાઈ હતી.

જેમાં પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 119 રન પર જ સમેટાઇ ગઈ હતી, ત્યારબાદ પાકિસ્તાની ટીમ સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 113 રન જ બનાવી શકી. આ રીતે ભારતીય ટીમે મેચ જીતી લીધી. પાકિસ્તાની ટીમ એક સમયે ખૂબ મજબૂત સ્થિતિમાં હતી, પરંતુ ત્યારબાદ બૂમારહની આગેવાનીમાં ભારતીય બોલર્સે શાનદાર વાપસી કરતા ભારતને રોમાંચક જીત આપવી દીધી.

About The Author

Related Posts

Top News

અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સચોટ અને સાચી સાબિત થતી હોય છે. જેને કારણે તેમને ગુજરાતનાં ‘બાબા...
Gujarat 
અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી...
National 
'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.