અક્ષરે જણાવ્યું-કેવી રીતે 16મી ઓવરમાં ફસાવી પાકિસ્તાની ટીમને, બેટિંગ ઓર્ડર પર..

ICC T20 વર્લ્ડ કપ 2024માં ભલે યુઝવેન્દ્ર ચહલને અત્યાર સુધી રમવાનો અવસર ન મળ્યો હોય, પરંતુ ન્યૂયોર્કમાં તેનું ડેબ્યૂ થઈ ગયું છે, મતલબ તેની ચહલ ટીવીનું. BCCIએ ચહલ ટી.વી.નો નવો એપિસોડ શેર કર્યો છે, જેમાં ચહલે પાકિસ્તાન વિરુદ્ધ જીતમાં ભારતીય ટીમના 3 હીરો સાથે વાત કરી. અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ અને રિષભ પંત, ચહલ ટી.વી.ના આ એપિસોડનો હિસ્સો બન્યા. યુઝવેન્દ્ર ચહલે અક્ષર પટેલને પૂછ્યું કે તેણે બેટિંગ ઓર્ડર માટે શું પ્લાનિંગ કરી હતી?

આ સવાલના જવાબમાં અક્ષર પટેલે કહ્યું કે, નહીં ત્યારે પ્લાનિંગનો ચાંસ નહોતો, મને ખબર પડી કે હું નંબર 4 પર જઇ રહ્યો છું, તો જ્યારે બેટિંગ કરવા ગયો તો મારા કેપ્ટન સાહેબ હતા, તેઓ ક્રિકેટ બાબતે કંઇ બોલી રહ્યા નહોતા, બસ મસ્તી મજાક કરી રહ્યા હતા, તો તેને ખબર હતી કે હું થોડો ઇઝી થઈ જાઉ અને દરેક બૉલ પર મને કંઈક ને કંઇન બતાવતો રહેતો હતો, તો હું થોડી વાતો કરી કરીને ઇઝી થઈ ગયો કે હા ચાલો ભાઈ કંઇ નહીં, બધુ બરાબર ચાલી રહ્યું છે. તો એ જ પ્લાનિંગ હતી બીજું કંઇ નહીં.

અહી કેપ્ટનનો અર્થ રિષભ પંત છે જે IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે અને અક્ષર પણ એ જ ફ્રેન્ચાઇઝી ટીમ માટે રમે છે. ત્યારબાદ ચહલે જ્યારે અક્ષરને 16મી ઓવરની પ્લાનિંગ બાબતે સવાલ કરવામાં આવ્યો તો તેણે જણાવ્યું કે શું રણનીતિ સાથે તેણે એ ઓવર નાખી હતી, જે મેચની ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થઈ. અક્ષરે કહ્યું કે, એ પ્લાન નહોતો કે તેની રેન્જમાં મારે આપવાનો નથી, મિડવિકેટ અને બીજી તરફ સિક્સ ખાવાનું નથી કેમ કે થોડી હવા પણ એ તરફ ચાલી રહી હતી.

તો કેપ્ટન સાથે મેં વાત કરી, રોહિત ભાઈને બોલ્યો કે હું કટ પર બૉલ નાખીશ તો પોઈન્ટ મને આપી દે અને પાછળ સ્વીપરવાળો પણ થોડો કટની અંદર રાખજો, જો તેઓ મને કટ પર કવર પર ચોગ્ગો મારી ગયો તો બરાબર છે કેમ કે તે ખૂબ જ મુશ્કેલ શૉટ છે. એ બધો પ્લાન એક્ઝિક્યૂટ પણ શાનદાર થયો અને ઓવર પણ સારી ગઈ અને ત્યારબાદ રનનું અંતર પણ વધી ગયું તો હજુ દબાવ તેમના પર આવી ગયો. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાઈ હતી.

જેમાં પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 119 રન પર જ સમેટાઇ ગઈ હતી, ત્યારબાદ પાકિસ્તાની ટીમ સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 113 રન જ બનાવી શકી. આ રીતે ભારતીય ટીમે મેચ જીતી લીધી. પાકિસ્તાની ટીમ એક સમયે ખૂબ મજબૂત સ્થિતિમાં હતી, પરંતુ ત્યારબાદ બૂમારહની આગેવાનીમાં ભારતીય બોલર્સે શાનદાર વાપસી કરતા ભારતને રોમાંચક જીત આપવી દીધી.

About The Author

Related Posts

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.