શું ગોયેન્કાએ રિષભની સાથે રાહુલની જેમ વર્તન કર્યું? પંજાબ સામે હારી ગયા પછી શું થયું?

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ રિષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. આટલી મોટી રકમ સામે પંતનું પ્રદર્શન યોગ્ય લાગતું ન હતું. પંતે ફ્રેન્ચાઇઝ માટે પહેલી ત્રણ મેચમાં બેટથી કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. તેમના કેપ્ટનશિપના નિર્ણયો પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર, ચાહકો તેને 27 કરોડ રૂપિયાનો ફ્લોપ ખેલાડી કહી રહ્યા છે. પંજાબ કિંગ્સ સામેની હાર પછી, LSGના સહ-માલિક સંજીવ ગોએન્કા મેદાન પર પંત પર ગુસ્સો કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર એવો દાવો થઈ રહ્યો છે કે, ગયા સિઝનમાં KL રાહુલની જેમ રિષભ પંત પર પણ એવું જ વર્તન જોવા મળ્યું હતું. ચાહકો આ અંગે અનેક અટકળો લગાવી રહ્યા છે.

Sanjiv-Goenka
ndtv.in

સંજીવ ગોયેન્કાને ટીમના કેપ્ટનોને સવાલો પૂછવાની આદત હોય તેવું લાગે છે. આ અગાઉ પણ KL રાહુલને ટીમની હાર પર ગોયેન્કાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. સિઝનની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેની હાર પછી પંતે પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. લખનઉએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવીને પરત ફર્યા હતા. આ પછી તે પંતને ગળે લગાવતો જોવા મળ્યો, પરંતુ મંગળવારે તેને પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો.

ગોયેન્કાએ ફરીથી મેદાન પર પંત સાથે ઉગ્ર વાત કરવાનું શરૂ કર્યું, જેનાથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. વાતચીત દરમિયાન, LSGના સહ-માલિક પંત પર આંગળી ચીંધતા પણ જોવા મળ્યા હતા. ગોએન્કા અને પંત વચ્ચેની આ ઘટના પછી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો ગોયેન્કાના વર્તનની ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ગોએન્કાએ ટીમના મામલાઓમાં આટલી બધી દખલ ન કરવી જોઈએ. જ્યારે, કેટલાક લોકો પંતની ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પંતે પોતાનું પ્રદર્શન સુધારવું જોઈએ.

Sanjiv-Goenka2
hindi.thesportstak.com

એક યુઝરે લખ્યું, સંજીવ ગોએન્કા... સૌથી ખરાબ IPL માલિક. દરેક મેચમાં, તે પંત સાથે ખૂબ જ ગંભીરતાથી વાત કરે છે, અને ક્રિકેટના નિર્ણયોમાં ખૂબ દખલ કરે છે. હાર પછી તે ખેલાડીઓને શ્વાસ પણ લેવા દેતો નથી. બીજા એક યુઝરે લખ્યું, ગોએન્કા એવો લાગતો હતો કે, હું તારા પર ખૂબ ગુસ્સે છું, પણ હું શું કરી શકું, જનતા જોઈ રહી છે!! બીજા એક યુઝરે તો એમ પણ કહ્યું કે, મેચ હાર્યા પછી સંજીવ ગોયેન્કાએ ડ્રેસિંગ રૂમમાં રિષભ પંતને ગાળો આપવાની શરૂઆત કરી હતી.

મેચ પછી, રિષભ પંતે સ્વીકાર્યું કે તેમની ટીમે પંજાબ સામે 20-25 રન ઓછા બનાવ્યા હતા. તેણે કહ્યું, આ (કુલ સ્કોર) પૂરતો ન હતો, અમે 20-25 રન ઓછા બનાવ્યા હતા, પરંતુ આ રમતનો એક ભાગ છે. અમે હજુ પણ અમારા ઘરઆંગણેની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. જ્યારે તમે શરૂઆતમાં વિકેટ ગુમાવો છો ત્યારે મોટો સ્કોર બનાવવો હંમેશા મુશ્કેલ હોય છે, પરંતુ દરેક ખેલાડી રમતને આગળ વધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. વિચાર ધીમી વિકેટ મેળવવાનો હતો. મને લાગે છે કે ધીમા બોલ અટકી રહ્યા હતા. અમારે આ રમતમાંથી શીખીને આગળ વધવું પડશે. ઘણી બધી સકારાત્મક બાબતો છે, વધારે કંઈ કહી શકાય નહીં.

Sanjiv-Goenka3
punjabkesari.com

એકંદરે, LSG અને રિષભ પંત માટે આ મુશ્કેલ સમય છે. ટીમે પોતાનું પ્રદર્શન સુધારવું પડશે. જ્યારે, ગોએન્કાએ ટીમના મામલાઓમાં ઓછી દખલ કરવી જોઈએ. LSG આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળે છે તે જોવું રસપ્રદ રહેશે. શું પંત પોતાના ફોર્મમાં પાછો ફરી શકશે? શું ગોએન્કા ટીમના મામલાઓમાં ઓછી દખલ કરશે? આ પ્રશ્નોના જવાબો ભવિષ્યમાં જ મળશે, પરંતુ એક વાત ચોક્કસ છે, જો LSG એ સફળ થવું હોય તો તેણે આ મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે.

About The Author

Related Posts

Top News

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
National 
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.