શું ગોયેન્કાએ રિષભની સાથે રાહુલની જેમ વર્તન કર્યું? પંજાબ સામે હારી ગયા પછી શું થયું?

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ રિષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. આટલી મોટી રકમ સામે પંતનું પ્રદર્શન યોગ્ય લાગતું ન હતું. પંતે ફ્રેન્ચાઇઝ માટે પહેલી ત્રણ મેચમાં બેટથી કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. તેમના કેપ્ટનશિપના નિર્ણયો પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર, ચાહકો તેને 27 કરોડ રૂપિયાનો ફ્લોપ ખેલાડી કહી રહ્યા છે. પંજાબ કિંગ્સ સામેની હાર પછી, LSGના સહ-માલિક સંજીવ ગોએન્કા મેદાન પર પંત પર ગુસ્સો કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર એવો દાવો થઈ રહ્યો છે કે, ગયા સિઝનમાં KL રાહુલની જેમ રિષભ પંત પર પણ એવું જ વર્તન જોવા મળ્યું હતું. ચાહકો આ અંગે અનેક અટકળો લગાવી રહ્યા છે.

Sanjiv-Goenka
ndtv.in

સંજીવ ગોયેન્કાને ટીમના કેપ્ટનોને સવાલો પૂછવાની આદત હોય તેવું લાગે છે. આ અગાઉ પણ KL રાહુલને ટીમની હાર પર ગોયેન્કાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. સિઝનની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેની હાર પછી પંતે પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. લખનઉએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવીને પરત ફર્યા હતા. આ પછી તે પંતને ગળે લગાવતો જોવા મળ્યો, પરંતુ મંગળવારે તેને પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો.

ગોયેન્કાએ ફરીથી મેદાન પર પંત સાથે ઉગ્ર વાત કરવાનું શરૂ કર્યું, જેનાથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. વાતચીત દરમિયાન, LSGના સહ-માલિક પંત પર આંગળી ચીંધતા પણ જોવા મળ્યા હતા. ગોએન્કા અને પંત વચ્ચેની આ ઘટના પછી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો ગોયેન્કાના વર્તનની ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ગોએન્કાએ ટીમના મામલાઓમાં આટલી બધી દખલ ન કરવી જોઈએ. જ્યારે, કેટલાક લોકો પંતની ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પંતે પોતાનું પ્રદર્શન સુધારવું જોઈએ.

Sanjiv-Goenka2
hindi.thesportstak.com

એક યુઝરે લખ્યું, સંજીવ ગોએન્કા... સૌથી ખરાબ IPL માલિક. દરેક મેચમાં, તે પંત સાથે ખૂબ જ ગંભીરતાથી વાત કરે છે, અને ક્રિકેટના નિર્ણયોમાં ખૂબ દખલ કરે છે. હાર પછી તે ખેલાડીઓને શ્વાસ પણ લેવા દેતો નથી. બીજા એક યુઝરે લખ્યું, ગોએન્કા એવો લાગતો હતો કે, હું તારા પર ખૂબ ગુસ્સે છું, પણ હું શું કરી શકું, જનતા જોઈ રહી છે!! બીજા એક યુઝરે તો એમ પણ કહ્યું કે, મેચ હાર્યા પછી સંજીવ ગોયેન્કાએ ડ્રેસિંગ રૂમમાં રિષભ પંતને ગાળો આપવાની શરૂઆત કરી હતી.

મેચ પછી, રિષભ પંતે સ્વીકાર્યું કે તેમની ટીમે પંજાબ સામે 20-25 રન ઓછા બનાવ્યા હતા. તેણે કહ્યું, આ (કુલ સ્કોર) પૂરતો ન હતો, અમે 20-25 રન ઓછા બનાવ્યા હતા, પરંતુ આ રમતનો એક ભાગ છે. અમે હજુ પણ અમારા ઘરઆંગણેની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. જ્યારે તમે શરૂઆતમાં વિકેટ ગુમાવો છો ત્યારે મોટો સ્કોર બનાવવો હંમેશા મુશ્કેલ હોય છે, પરંતુ દરેક ખેલાડી રમતને આગળ વધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. વિચાર ધીમી વિકેટ મેળવવાનો હતો. મને લાગે છે કે ધીમા બોલ અટકી રહ્યા હતા. અમારે આ રમતમાંથી શીખીને આગળ વધવું પડશે. ઘણી બધી સકારાત્મક બાબતો છે, વધારે કંઈ કહી શકાય નહીં.

Sanjiv-Goenka3
punjabkesari.com

એકંદરે, LSG અને રિષભ પંત માટે આ મુશ્કેલ સમય છે. ટીમે પોતાનું પ્રદર્શન સુધારવું પડશે. જ્યારે, ગોએન્કાએ ટીમના મામલાઓમાં ઓછી દખલ કરવી જોઈએ. LSG આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળે છે તે જોવું રસપ્રદ રહેશે. શું પંત પોતાના ફોર્મમાં પાછો ફરી શકશે? શું ગોએન્કા ટીમના મામલાઓમાં ઓછી દખલ કરશે? આ પ્રશ્નોના જવાબો ભવિષ્યમાં જ મળશે, પરંતુ એક વાત ચોક્કસ છે, જો LSG એ સફળ થવું હોય તો તેણે આ મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.