મિંયાદાદ સુધરતો નથી, ભારત સામે ફરી આપ્યું ઉશ્કેરણીજનક નિવેદન

ભારત તરફથી પાકિસ્તાનમાં એશિયા કપ 2023 રમવાની ના પાડી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સ્પષ્ટ કરી દીધું છે કે જો એશિયા કપ કોઇ ન્યૂટ્રલ વેન્યુ પર થાય છે તો જ તેમાં તે ભાગ લેશે. ભારત તરફથી યુનાઇટેડ અરબ અમીરાત (UAE)માં શિફ્ટ કરવાની માગ કરવામાં આવી છે. આ વિવાદ વચ્ચે પાકિસ્તાનન પૂર્વ બેટ્સમેન જાવેદ મિયાદાદે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. ચાલો તો આ આર્ટિકલમાં જોઇએ જાવેદ મિયાદાદે શું નિવેદન આપ્યું છે.

પાકિસ્તાનન પૂર્વ દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાદાદનું કહેવું છે કે જો ભારત પાકિસ્તાનમાં આવતું નથી તો આપણે પણ તેમને ત્યાં (ભારત) ન જવું જોઇએ. અમારી ક્રિકેટ ભારત વિના પણ ચાલી રહી છે. એવામાં ICCએ પોતાની ભૂમિકા ભજવવી જોઇએ અને એ પ્રકારના મામલાનું સમાધાન કરવું જોઇએ. જાવેદ મિયાદાદે BCCI માટે ‘Go to hell’ શબ્દનો ઉપયોગ કર્યો. હાલમાં જ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં BCCI સચિવ જય શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન ટ્રાવેલ નહીં કરે. જો તે બહાર શિફ્ટ થાય છે તો ભારતીય ટીમ તેમાં હિસ્સો લેશે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદે કહ્યું કે, ICCએ બધા ટીમો માટે નિયમ બનાવવો જોઇએ, જ્યાં જો કોઇ ટીમ ટૂર્નામેન્ટમાં હિસ્સો લેતી નથી તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ભારતનું ક્રાઉડ ખૂબ જ ખરાબ વર્તન કરે છે, જો તેની ટીમ હારે છે તો ક્રાઉદ બેકાબૂ થઇ જાય છે. તેમણે કહ્યું કે આવીને રમો, રમતા કેમ નથી. ભાગો છો, તેમને મુશ્કેલી થઇ જાય છે ભાગે છે. એક રિપોર્ટર દ્વારા એમ પૂછવામાં આવતા કે શું ભારત, પાકિસ્તાનમાં રમવાની ના પાડી રહ્યું છે કેમ કે તે ડરે છે. જો તે હારી જાય છે. તેના પર મિયાદાદ સહમત થઇ જાય છે.

મિયાદાદ કહે છે આપણાં સમય પર તેઓ એટલે રમતા નથી કેમ કે તેઓ હારે છે, તો મુશ્કેલી થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023 આ વખત પાકિસ્તાનમાં થવાનો છે, પરંતુ ભારતીય ટીમે ત્યાં જવાની ના પાડી દીધી છે. તો પાકિસ્તાનનું કહેવું છે કે, જો ભારત તેમના દેશમાં એશિયા કપ રમવા નહીં આવે તો તે પણ વન-ડે વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારતનો પ્રવાસ નહીં કરે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને BCCIની આ તકરાર ક્યાં જઇને સમાપ્ત થાય છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.