પૂર્વ સિલેક્ટરનો ખુલાસોઃ ધોનીએ કાપેલું 2011 વર્લ્ડ કપમાં રોહિતનું પત્તુ

પૂર્વ ભારતીય સિલેક્ટર રાજા વેંકટે 2011 વર્લ્ડ કપમાં રોહિત શર્માને સિલેક્ટ ન કરવાને લઇ મોટો ખુલાસો કર્યો છે. વેંકટે જણાવ્યું કે રોહિતની ટીમમાં એ કારણે સિલેક્ટ કરવામાં ન આવેલો કારણ કે તે સમયે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રોહિત શર્માના સ્થાને પિયૂષ ચાવલાને પસંદ કરવા માગતો હતો. તેમણે કહ્યું કે, એક સમયના ભારતીય ટીમના હેડ કોચ ગેરી કસ્ટર્ન પણ રોહિતને ટીમમાં સિલેક્ટ કરવા માગતા હતા. પણ જ્યારે ધોનીએ પિયૂષ ચાવલાને ટીમમાં સામેલ કરવાની માગ કરી તો ગેરીએ પણ માહીનું સમર્થન કર્યું.

રોહિત શર્માને તે સમયે સિલેક્ટ ન કરવો એ સૌ કોઈ માટે હેરાનીની વાત હતી. કારણ કે તે સતત વનડે ટીમનો ભાગ હતો અને સાથે જ 2007 ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યો હતો.

સિલેક્શન પહેલાથી જ રોહિત રેસમાં હતો-રાજા વેંકટ

રેવસ્પોર્ટ્સ સાથે વાત કરતા વેંકટે 2011 વર્લ્ડ કપમાં રોહિત શર્માને સિલેક્ટ ન કરવાની વાત શેર કરી. તેમણે કહ્યું કે, જ્યારે અમે ટીમ સિલેક્ટ કરવા માટે બેઠા તો રોહિત ત્યાર સુધી ટીમમાં સિલેક્ટ થવાની રેસમાં હતો અને જ્યારે અમે ટીમ સિલેક્ટ કરવા લાગ્યા તો 1 થી લઇ 14 સુધી દરેક ખેલાડીઓને સ્વીકાર કરી લેવામાં આવ્યા. 15માં ખેલાડીના રૂપમાં અમે રોહિત શર્માનો વિકલ્પ આપ્યો. ગૈરી કસ્ટર્નને લાગ્યું કે આ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. પણ કેપ્ટન ધોનીએ ત્યાં ફેરફાર કરવાની માગ કરી દીધી. ધોની રોહિત શર્માના સ્થાને પીયૂષ ચાવલાને સિલેક્ટ કરવા માગતો હતો. ગેરીએ પણ ત્યાર પછી ધોનીની વાતને માની લીધી અને કહ્યું કે, આ સારો વિકલ્પ છે. આ રીતે રોહિત શર્માનું ટીમમાં સિલેક્શન થયું નહીં.

જણાવીએ કે, ભારત દ્વારા જીતવામાં આવેલા 2011ના વનડે વર્લ્ડ કપમાં પીયૂષ ચાવલાએ 3 મેચ રમી હતી. જેમાં તેણે 4 વિકેટ પોતાના નામે કરી હતી. જોકે ત્યાર પછી 2015 અને 2019 વનડે વર્લ્ડ કપમાં રોહિત ભારતનો અગત્યનો હિસ્સો રહ્યો. જ્યારે પિયૂષ ચાવલાને તક આપવામાં આવી નહીં.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.