પૂર્વ સિલેક્ટરનો ખુલાસોઃ ધોનીએ કાપેલું 2011 વર્લ્ડ કપમાં રોહિતનું પત્તુ

પૂર્વ ભારતીય સિલેક્ટર રાજા વેંકટે 2011 વર્લ્ડ કપમાં રોહિત શર્માને સિલેક્ટ ન કરવાને લઇ મોટો ખુલાસો કર્યો છે. વેંકટે જણાવ્યું કે રોહિતની ટીમમાં એ કારણે સિલેક્ટ કરવામાં ન આવેલો કારણ કે તે સમયે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રોહિત શર્માના સ્થાને પિયૂષ ચાવલાને પસંદ કરવા માગતો હતો. તેમણે કહ્યું કે, એક સમયના ભારતીય ટીમના હેડ કોચ ગેરી કસ્ટર્ન પણ રોહિતને ટીમમાં સિલેક્ટ કરવા માગતા હતા. પણ જ્યારે ધોનીએ પિયૂષ ચાવલાને ટીમમાં સામેલ કરવાની માગ કરી તો ગેરીએ પણ માહીનું સમર્થન કર્યું.

રોહિત શર્માને તે સમયે સિલેક્ટ ન કરવો એ સૌ કોઈ માટે હેરાનીની વાત હતી. કારણ કે તે સતત વનડે ટીમનો ભાગ હતો અને સાથે જ 2007 ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યો હતો.

સિલેક્શન પહેલાથી જ રોહિત રેસમાં હતો-રાજા વેંકટ

રેવસ્પોર્ટ્સ સાથે વાત કરતા વેંકટે 2011 વર્લ્ડ કપમાં રોહિત શર્માને સિલેક્ટ ન કરવાની વાત શેર કરી. તેમણે કહ્યું કે, જ્યારે અમે ટીમ સિલેક્ટ કરવા માટે બેઠા તો રોહિત ત્યાર સુધી ટીમમાં સિલેક્ટ થવાની રેસમાં હતો અને જ્યારે અમે ટીમ સિલેક્ટ કરવા લાગ્યા તો 1 થી લઇ 14 સુધી દરેક ખેલાડીઓને સ્વીકાર કરી લેવામાં આવ્યા. 15માં ખેલાડીના રૂપમાં અમે રોહિત શર્માનો વિકલ્પ આપ્યો. ગૈરી કસ્ટર્નને લાગ્યું કે આ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. પણ કેપ્ટન ધોનીએ ત્યાં ફેરફાર કરવાની માગ કરી દીધી. ધોની રોહિત શર્માના સ્થાને પીયૂષ ચાવલાને સિલેક્ટ કરવા માગતો હતો. ગેરીએ પણ ત્યાર પછી ધોનીની વાતને માની લીધી અને કહ્યું કે, આ સારો વિકલ્પ છે. આ રીતે રોહિત શર્માનું ટીમમાં સિલેક્શન થયું નહીં.

જણાવીએ કે, ભારત દ્વારા જીતવામાં આવેલા 2011ના વનડે વર્લ્ડ કપમાં પીયૂષ ચાવલાએ 3 મેચ રમી હતી. જેમાં તેણે 4 વિકેટ પોતાના નામે કરી હતી. જોકે ત્યાર પછી 2015 અને 2019 વનડે વર્લ્ડ કપમાં રોહિત ભારતનો અગત્યનો હિસ્સો રહ્યો. જ્યારે પિયૂષ ચાવલાને તક આપવામાં આવી નહીં.

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.