પૂર્વ સિલેક્ટરનો ખુલાસોઃ ધોનીએ કાપેલું 2011 વર્લ્ડ કપમાં રોહિતનું પત્તુ

પૂર્વ ભારતીય સિલેક્ટર રાજા વેંકટે 2011 વર્લ્ડ કપમાં રોહિત શર્માને સિલેક્ટ ન કરવાને લઇ મોટો ખુલાસો કર્યો છે. વેંકટે જણાવ્યું કે રોહિતની ટીમમાં એ કારણે સિલેક્ટ કરવામાં ન આવેલો કારણ કે તે સમયે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રોહિત શર્માના સ્થાને પિયૂષ ચાવલાને પસંદ કરવા માગતો હતો. તેમણે કહ્યું કે, એક સમયના ભારતીય ટીમના હેડ કોચ ગેરી કસ્ટર્ન પણ રોહિતને ટીમમાં સિલેક્ટ કરવા માગતા હતા. પણ જ્યારે ધોનીએ પિયૂષ ચાવલાને ટીમમાં સામેલ કરવાની માગ કરી તો ગેરીએ પણ માહીનું સમર્થન કર્યું.

રોહિત શર્માને તે સમયે સિલેક્ટ ન કરવો એ સૌ કોઈ માટે હેરાનીની વાત હતી. કારણ કે તે સતત વનડે ટીમનો ભાગ હતો અને સાથે જ 2007 ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યો હતો.

સિલેક્શન પહેલાથી જ રોહિત રેસમાં હતો-રાજા વેંકટ

રેવસ્પોર્ટ્સ સાથે વાત કરતા વેંકટે 2011 વર્લ્ડ કપમાં રોહિત શર્માને સિલેક્ટ ન કરવાની વાત શેર કરી. તેમણે કહ્યું કે, જ્યારે અમે ટીમ સિલેક્ટ કરવા માટે બેઠા તો રોહિત ત્યાર સુધી ટીમમાં સિલેક્ટ થવાની રેસમાં હતો અને જ્યારે અમે ટીમ સિલેક્ટ કરવા લાગ્યા તો 1 થી લઇ 14 સુધી દરેક ખેલાડીઓને સ્વીકાર કરી લેવામાં આવ્યા. 15માં ખેલાડીના રૂપમાં અમે રોહિત શર્માનો વિકલ્પ આપ્યો. ગૈરી કસ્ટર્નને લાગ્યું કે આ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. પણ કેપ્ટન ધોનીએ ત્યાં ફેરફાર કરવાની માગ કરી દીધી. ધોની રોહિત શર્માના સ્થાને પીયૂષ ચાવલાને સિલેક્ટ કરવા માગતો હતો. ગેરીએ પણ ત્યાર પછી ધોનીની વાતને માની લીધી અને કહ્યું કે, આ સારો વિકલ્પ છે. આ રીતે રોહિત શર્માનું ટીમમાં સિલેક્શન થયું નહીં.

જણાવીએ કે, ભારત દ્વારા જીતવામાં આવેલા 2011ના વનડે વર્લ્ડ કપમાં પીયૂષ ચાવલાએ 3 મેચ રમી હતી. જેમાં તેણે 4 વિકેટ પોતાના નામે કરી હતી. જોકે ત્યાર પછી 2015 અને 2019 વનડે વર્લ્ડ કપમાં રોહિત ભારતનો અગત્યનો હિસ્સો રહ્યો. જ્યારે પિયૂષ ચાવલાને તક આપવામાં આવી નહીં.

About The Author

Top News

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?

ખેડૂતોના પાકને માટે મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે વર્ષોથી સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હવે રાજકારણનું મોટું...
National 
કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.