T20 વર્લ્ડ કપ 2026 શેડ્યૂલ જાહેર; રોહિત શર્મા બન્યા ટુર્નામેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર

ક્રિકેટ ચાહકોની લાંબી રાહ હવે પૂરી થઈ છે. ICCએ મુંબઈમાં યોજાયેલા ખાસ ઈવેન્ટમાં આગામી વર્ષે થનારા T20  વર્લ્ડ કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ઈવેન્ટ દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માને ટુર્નામેન્ટનો ઓફિશિયલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમવામાં આવ્યો છે.

richest-person
indianexpress.com

રોહિત શર્માના નેતૃત્વમાં જ ભારતે 2024નો ટી20 વર્લ્ડ કપ જીતી ઐતિહાસિક સફળતા મેળવી હતી. અમેરિકા અને વેસ્ટઇન્ડીઝમાં રમાયેલી આ ટુર્નામેન્ટે 11 વર્ષ પછી ભારતને ICC ટ્રોફી અપાવી હતી. આ મહાજીત બાદ રોહિતે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. રોહિતે પોતાના ટી20 કરિયરમાં 4231 રન નોંધાવ્યા હતા, જેમાં 32.01ની સરેરાશ અને 140.89નો સ્ટ્રાઇક રેટ તેમને વિશ્વના સૌથી સફળ ટી20 બેટ્સમેનમાં શામેલ કરે છે.

T20 વર્લ્ડ કપ 2026નું સંચાલન ભારત અને શ્રીલંકા મળીને કરશે. ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી યોજાશે અને કુલ 8 વેન્યૂ પર મેચો રમાશે. ભારતના મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને ચેન્નઈમાં જ્યારે શ્રીલંકાના કોલંબો (2) અને કેન્ડી (1)માં મુકાબલા થશે.

ગ્રુપ Aમાં ભારત સાથે પાકિસ્તાન, યુએસએ, નેધરલેન્ડ્સ અને નામિબિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં યુએસએ વિરુદ્ધ પહેલી મેચ રમશે.

બીજી મેચ 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે.

ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીએ હાઈ-વોલ્ટેજ ઇન્ડિયા vs પાકિસ્તાન મુકાબલો રહેશે.

ચોથી મેચ 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે રમાશે.

T201
news18.com

નોકઆઉટ સ્ટેજને લઈને સ્પેશ્યલ વ્યવસ્થા રાખવામાં આવી છે. જો પાકિસ્તાન સુપર-8થી આગળ વધે છે, તો તેની સેમીફાઈનલ અને ફાઈનલ બંને કોલંબોમાં યોજાશે. પાકિસ્તાન ફાઈનલ સુધી ન પહોંચે તો 8 માર્ચની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મુંબઈમાં એક સેમીફાઈનલ થશે, જ્યારે પાકિસ્તાન નોકઆઉટમાં ન પહોંચે તો કોલકાતા બીજી સેમીફાઈનલનું યજમાન બનશે.

 

About The Author

Related Posts

Top News

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
Opinion 
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.