T20 વર્લ્ડ કપ 2026 શેડ્યૂલ જાહેર; રોહિત શર્મા બન્યા ટુર્નામેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર

ક્રિકેટ ચાહકોની લાંબી રાહ હવે પૂરી થઈ છે. ICCએ મુંબઈમાં યોજાયેલા ખાસ ઈવેન્ટમાં આગામી વર્ષે થનારા T20  વર્લ્ડ કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ઈવેન્ટ દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માને ટુર્નામેન્ટનો ઓફિશિયલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમવામાં આવ્યો છે.

richest-person
indianexpress.com

રોહિત શર્માના નેતૃત્વમાં જ ભારતે 2024નો ટી20 વર્લ્ડ કપ જીતી ઐતિહાસિક સફળતા મેળવી હતી. અમેરિકા અને વેસ્ટઇન્ડીઝમાં રમાયેલી આ ટુર્નામેન્ટે 11 વર્ષ પછી ભારતને ICC ટ્રોફી અપાવી હતી. આ મહાજીત બાદ રોહિતે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. રોહિતે પોતાના ટી20 કરિયરમાં 4231 રન નોંધાવ્યા હતા, જેમાં 32.01ની સરેરાશ અને 140.89નો સ્ટ્રાઇક રેટ તેમને વિશ્વના સૌથી સફળ ટી20 બેટ્સમેનમાં શામેલ કરે છે.

T20 વર્લ્ડ કપ 2026નું સંચાલન ભારત અને શ્રીલંકા મળીને કરશે. ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી યોજાશે અને કુલ 8 વેન્યૂ પર મેચો રમાશે. ભારતના મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને ચેન્નઈમાં જ્યારે શ્રીલંકાના કોલંબો (2) અને કેન્ડી (1)માં મુકાબલા થશે.

ગ્રુપ Aમાં ભારત સાથે પાકિસ્તાન, યુએસએ, નેધરલેન્ડ્સ અને નામિબિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં યુએસએ વિરુદ્ધ પહેલી મેચ રમશે.

બીજી મેચ 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે.

ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીએ હાઈ-વોલ્ટેજ ઇન્ડિયા vs પાકિસ્તાન મુકાબલો રહેશે.

ચોથી મેચ 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે રમાશે.

T201
news18.com

નોકઆઉટ સ્ટેજને લઈને સ્પેશ્યલ વ્યવસ્થા રાખવામાં આવી છે. જો પાકિસ્તાન સુપર-8થી આગળ વધે છે, તો તેની સેમીફાઈનલ અને ફાઈનલ બંને કોલંબોમાં યોજાશે. પાકિસ્તાન ફાઈનલ સુધી ન પહોંચે તો 8 માર્ચની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મુંબઈમાં એક સેમીફાઈનલ થશે, જ્યારે પાકિસ્તાન નોકઆઉટમાં ન પહોંચે તો કોલકાતા બીજી સેમીફાઈનલનું યજમાન બનશે.

 

About The Author

Related Posts

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.