ગંભીરે પોન્ટિંગને ખૂબ સંભળાવ્યું, રોહિતના પ્રથમ ટેસ્ટમાં રમવા અંગે આપ્યું નિવેદન

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કારમી હાર પછી ટીમ ઈન્ડિયાની સતત ટીકા થઈ રહી છે. ચાહકોથી લઈને ઘણા દિગ્ગજ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની ટીકા કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયા સામે હવે સૌથી મોટો પડકાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી છે. જેના માટે ભારતીય ટીમ 10મી નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે. સિરીઝની શરૂઆત થાય તે પહેલા કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં તેણે કેપ્ટન રોહિત શર્માના પ્રથમ ટેસ્ટમાં રમવાથી લઈને અનેક સવાલોના જવાબ આપ્યા છે. આ દરમિયાન ગંભીરે રિકી પોન્ટિંગના નિવેદન પર પણ નિશાન સાધ્યું છે.

તાજેતરમાં જ દિગ્ગજ ક્રિકેટર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે વિરાટ કોહલીના ફોર્મ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પોન્ટિંગે કહ્યું હતું કે, જો વિરાટની જગ્યાએ કોઈ અન્ય હોત તો તે કદાચ પાંચ વર્ષમાં બે સદી ફટકારીને ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે રમી શક્યો ન હોત. ગંભીરે પોન્ટિંગના નિવેદન પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું, 'પોન્ટિંગને ભારતીય ક્રિકેટ સાથે શું લેવાદેવા છે? તેઓએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વિશે વિચારવું જોઈએ.'

હકીકતમાં, પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત શર્માના રમવા પર શંકા છે. આ અંગે ગંભીરે કહ્યું, 'હાલમાં રોહિતના રમવા અંગે કોઈ પુષ્ટિ નથી. એવી અપેક્ષા છે કે તે પ્રથમ ટેસ્ટમાં ઉપલબ્ધ રહેશે. પરંતુ અમે આ માહિતી ટેસ્ટ મેચ પહેલા જ આપી શકીશું. જો રોહિત રમી શકતો નથી, તો અમારી પાસે ઓપનિંગ માટે ઘણા વિકલ્પો છે. અમારી પાસે અભિમન્યુ ઇશ્વરન છે અને અમારી પાસે KL રાહુલ છે. અમે નક્કી કરીશું કે પર્થમાં પ્રથમ ટેસ્ટ પહેલા કોણે ઓપનિંગ કરવું જોઈએ.'

ગંભીરે એ વાતની પણ પુષ્ટિ કરી કે, જો રોહિત પ્રથમ ટેસ્ટ રમી શકશે નહીં તો જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે.

તેના કોચિંગને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો અંગે ભારતીય કોચે કહ્યું, 'જ્યારે મેં કોચિંગની ભૂમિકા સ્વીકારી ત્યારે મને ખબર હતી કે આ મુશ્કેલી પણ આવશે. મને લાગે છે કે હું અત્યારે કોઈ ટીકાનો સામનો કરી રહ્યો નથી.'

ગંભીરે KL રાહુલ વિશે પણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તૈયારી મહત્વપૂર્ણ રહેશે. ગંભીરના મતે, પ્રથમ ટેસ્ટ પહેલાના આ દસ દિવસ ઘણા મહત્વપૂર્ણ રહેશે. અહીં તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી રમાશે. શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાશે.

About The Author

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.