ગંભીરે પોન્ટિંગને ખૂબ સંભળાવ્યું, રોહિતના પ્રથમ ટેસ્ટમાં રમવા અંગે આપ્યું નિવેદન

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કારમી હાર પછી ટીમ ઈન્ડિયાની સતત ટીકા થઈ રહી છે. ચાહકોથી લઈને ઘણા દિગ્ગજ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની ટીકા કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયા સામે હવે સૌથી મોટો પડકાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી છે. જેના માટે ભારતીય ટીમ 10મી નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે. સિરીઝની શરૂઆત થાય તે પહેલા કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં તેણે કેપ્ટન રોહિત શર્માના પ્રથમ ટેસ્ટમાં રમવાથી લઈને અનેક સવાલોના જવાબ આપ્યા છે. આ દરમિયાન ગંભીરે રિકી પોન્ટિંગના નિવેદન પર પણ નિશાન સાધ્યું છે.

તાજેતરમાં જ દિગ્ગજ ક્રિકેટર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે વિરાટ કોહલીના ફોર્મ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પોન્ટિંગે કહ્યું હતું કે, જો વિરાટની જગ્યાએ કોઈ અન્ય હોત તો તે કદાચ પાંચ વર્ષમાં બે સદી ફટકારીને ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે રમી શક્યો ન હોત. ગંભીરે પોન્ટિંગના નિવેદન પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું, 'પોન્ટિંગને ભારતીય ક્રિકેટ સાથે શું લેવાદેવા છે? તેઓએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વિશે વિચારવું જોઈએ.'

હકીકતમાં, પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત શર્માના રમવા પર શંકા છે. આ અંગે ગંભીરે કહ્યું, 'હાલમાં રોહિતના રમવા અંગે કોઈ પુષ્ટિ નથી. એવી અપેક્ષા છે કે તે પ્રથમ ટેસ્ટમાં ઉપલબ્ધ રહેશે. પરંતુ અમે આ માહિતી ટેસ્ટ મેચ પહેલા જ આપી શકીશું. જો રોહિત રમી શકતો નથી, તો અમારી પાસે ઓપનિંગ માટે ઘણા વિકલ્પો છે. અમારી પાસે અભિમન્યુ ઇશ્વરન છે અને અમારી પાસે KL રાહુલ છે. અમે નક્કી કરીશું કે પર્થમાં પ્રથમ ટેસ્ટ પહેલા કોણે ઓપનિંગ કરવું જોઈએ.'

ગંભીરે એ વાતની પણ પુષ્ટિ કરી કે, જો રોહિત પ્રથમ ટેસ્ટ રમી શકશે નહીં તો જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે.

તેના કોચિંગને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો અંગે ભારતીય કોચે કહ્યું, 'જ્યારે મેં કોચિંગની ભૂમિકા સ્વીકારી ત્યારે મને ખબર હતી કે આ મુશ્કેલી પણ આવશે. મને લાગે છે કે હું અત્યારે કોઈ ટીકાનો સામનો કરી રહ્યો નથી.'

ગંભીરે KL રાહુલ વિશે પણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તૈયારી મહત્વપૂર્ણ રહેશે. ગંભીરના મતે, પ્રથમ ટેસ્ટ પહેલાના આ દસ દિવસ ઘણા મહત્વપૂર્ણ રહેશે. અહીં તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી રમાશે. શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાશે.

About The Author

Top News

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

આ સાંભળીને તમને નવાઈ લાગી હશે, પણ આ વાત સાચી છે, જો તમે ગધેડા કે ઘોડા ઉછેરવાનું શરૂ...
Agriculture 
હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

જો તમે સવારથી સાંજ સુધી WhatsApp પર સંદેશા અને વીડિયોઝ મોકલી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ...
Tech and Auto 
મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.