ટેસ્ટ ક્રિકેટમાં કેમ નથી ચાલી રહ્યો ગીલ, ગાવસ્કરે જણાવ્યું કારણ

સાઉથ આફ્રિકા સામે ભારતનો પરાજય થયો અને વધુ એકવાર શુભમન ગીલ નિષ્ફળ સાબિત થયો છે, ત્યારે હવે તેના સિલેક્શન પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. સુનિલ ગાવસ્કરે પણ સ્વીકાર્યું કે શુભમન ગીલ પ્રદર્શન નથી કરી રહ્યો અને સાથે તેમણે તેનું કારણ પણ જણાવ્યું હતું. સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે, મને લાગે છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં થોડો વધારે આક્રમકતાથી રમી રહ્યો છે. જ્યારે તમે ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા હોવ તો T20 ઈન્ટરનેશનલ અને વન-ડેની સરખામણીએ તેમાં થોડું અંતર હોય છે. લાલ બોલ હવામાં અને પીચની બહાર પણ સફેદ બોલની સરખામણીએ થોડી વધુ ફરે છે. બોલ થોડો વધુ ઉછાળ લે છે, શુભમને આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ.

ગાવસ્કરે કહ્યું હતું કે, શુભમન ગીલે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત ખૂબ સારી રીતે કરી હતી અને આપણે તેના શોટ્સના પણ વખાણ કર્યા હતા. હવે આપણે ફક્ત તેના ફોર્મમાં વાપસી આવવાની આશા રાખી શકીએ છીએ. આશા છે કે, તે સખત ટ્રેનિંગ કરશે અને ટીમ ઈન્ડિયા માટે ભવિષ્યમાં સારું પ્રદર્શન કરશે.

ભારતીય ટીમ પર ગુસ્સે થયા સુનિલ ગાવસ્કર, બોલ્યા- પોતાની ટીમથી રમવું..

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમને એક ઇનિંગ અને 32 રનથી નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બૂમરાહ જેવા સીનિયર ખેલાડી ICC વર્લ્ડ કપ 2023 બાદ મેદાન પર વાપસી કરી રહ્યા છે. આ ત્રણેય જ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ દરમિયાન દક્ષિણ આફ્રિકા પહોંચી ચૂક્યા હતા. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ અગાઉ ભારતીય ટીમે ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમી હતી, તેને લઈને પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર ખૂબ નિરાશ છે.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, પોતાની ટીમ સાથે મેચ રમવું મજાક છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર રમાયેલી પહેલી ટેસ્ટ મેચ 3 દિવસની અંદર જ સમાપ્ત થઈ ગઈ. સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા કહ્યું કે, ‘ભારતીય ટીમ માટે પ્રેક્ટિસ મેચ રમવી જરૂરી હતી, તમે ત્યાં કોઈ મેચ ન રમી અને એ વાતથી તમને વધુ નુકસાન પહોંચ્યું છે. તમે સીધા ટેસ્ટ મેચથી શરૂ નહીં કરી શકો. તમે India-Aને મોકલી, પરંતુ Indiaએ પ્રવાસ અગાઉ આવવું જોઈતું હતું. તમારા પોતાના ફાસ્ટ બોલર તમને તેજ બાઉન્સર નહીં ફેંકે.

ભારતીય ટીમ પહેલી ટેસ્ટ મેચમાં બંને ઇનિંગમાં બેટિંગમાં સંઘર્ષ કરતી નજરે પડી. ભારતીય ટીમ તરફથી પહેલી ટેસ્ટ મેચમાં કે.એલ. રાહુલે 101 રનોની ઇનિંગ રમી હતી. તો વિરાટ કોહલીએ 36 રનોનું યોગદાન આપ્યું હતું, પરંતુ આ બંને સિવાય કોઈ પણ બેટ્સમેન દક્ષિણ આફ્રિકન પેસ એટેક સામે ટકી ન શક્યો. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં તો માત્ર 131 રનો પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ હાર બાદ ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આફ્રિકામાં ટેસ્ટ મેચ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું. ભારતીય ટીમ તો આ મેચમાં હારી જ પરંતુ, મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ટીમને 340 વૉલ્ટનો ઝટકો આપ્યો છે. ICCએ ભારતીય ટીમને દંડ ફટકાર્યો છે. ICCએ મેચ બાદ ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમે ધીમી ઓવર નાખી હતી. તેને જોતા ICCએ અનુચ્છેદ 2.22 હેઠળ ભારતના બધા ખેલાડીઓની મેચ ફીસમાં 10 ટકાની કપાત કરી છે. ભારતીય ટીમે હવે સીરિઝની આગામી ટેસ્ટ મેચ કેપ્ટાઉનમાં 3 જાન્યુઆરી 2024થી રમવાની છે.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

12 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ જીત મેળવી છે. 300 સભ્યોની સંસદમાં લગભગ BNPને...
World 
બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં એક મોટો ફેરફાર થવાનો છે. દેશનું સૌથી શક્તિશાળી સરનામું હવે બદલાવાનું છે. PM નરેન્દ્ર મોદી આજે નવા...
National 
પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે લાગતા વળગતા નથી. જેમાં કેટલાક કામો તો...
Education 
આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

ગિરનારની ગોદમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્રના કડક નિયમોના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જાણીતા...
Gujarat 
સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.