પંડ્યાની ઇજાને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ન્યૂઝીલેન્ડ સામે રમી શકશે કે નહીં

ICC મેન્સ વન-ડે વર્લ્ડકપની 19 ઓક્ટોબરના દિવસે પૂણેમાં રમાયેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઇજા થઇ હતી. એ પછી હાર્દિકને આરામ કરવા માટે ડ્રેસિંગ રૂમમાં મોકલી અપાયો હતો.

હાર્દિક પંડ્યા પોતાના સ્પેલની પહેલીવાર નાંખવા આવ્યો ત્યારે સામે બાંગ્લાદેશનો બેસ્ટમેન લિટન દાસ રમતો હતો. હાર્દિકની પહેલી બોલ ડોટ બોલ રહી હતી. બીજી બોલમાં લિટન દાસે ચોગ્ગો માર્યો હતો. ત્રીજી બોલમાં લિટન દાસે સ્ટેટ ડ્રાઇવ મારી હતી, જેના હાર્દિક રોકવા ગયો ત્યારે લપસી પડ્યો હતો અને તેને ડાબા  પગની ઘૂંટીમાં ઇજા થઇ હતી. હાર્દિકની બાકીની 3 બોલ વિરાટ કોહલીએ નાંખી હતી.

હવે BCCIએ અપડેટ આપ્યું છે કે હાર્દિક પંડ્યાને બેગલુરુ NCAમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે. એક ઇંજેકશનથી સારું થઇ જશે એવું લાગે છે. ઇંગ્લેંડના એક સ્પેશિયલ ડોકટરની પણ સલાહ લેવામાં આવી છે. BCCIએ કહ્યું કે, 22 ઓકટોબરે, ધર્મશાળામાં રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં હાર્દિક પંડયા નહીં રમી શકે, પરંતુ 29 ઓકટોબરે, લખનૌમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં હાર્દિક સામેલ થઇ શકશે.

About The Author

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.