- Sports
- પંડ્યાની ઇજાને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ન્યૂઝીલેન્ડ સામે રમી શકશે કે નહીં
પંડ્યાની ઇજાને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ન્યૂઝીલેન્ડ સામે રમી શકશે કે નહીં
.jpg)
ICC મેન્સ વન-ડે વર્લ્ડકપની 19 ઓક્ટોબરના દિવસે પૂણેમાં રમાયેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઇજા થઇ હતી. એ પછી હાર્દિકને આરામ કરવા માટે ડ્રેસિંગ રૂમમાં મોકલી અપાયો હતો.
હાર્દિક પંડ્યા પોતાના સ્પેલની પહેલીવાર નાંખવા આવ્યો ત્યારે સામે બાંગ્લાદેશનો બેસ્ટમેન લિટન દાસ રમતો હતો. હાર્દિકની પહેલી બોલ ડોટ બોલ રહી હતી. બીજી બોલમાં લિટન દાસે ચોગ્ગો માર્યો હતો. ત્રીજી બોલમાં લિટન દાસે સ્ટેટ ડ્રાઇવ મારી હતી, જેના હાર્દિક રોકવા ગયો ત્યારે લપસી પડ્યો હતો અને તેને ડાબા પગની ઘૂંટીમાં ઇજા થઇ હતી. હાર્દિકની બાકીની 3 બોલ વિરાટ કોહલીએ નાંખી હતી.
હવે BCCIએ અપડેટ આપ્યું છે કે હાર્દિક પંડ્યાને બેગલુરુ NCAમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે. એક ઇંજેકશનથી સારું થઇ જશે એવું લાગે છે. ઇંગ્લેંડના એક સ્પેશિયલ ડોકટરની પણ સલાહ લેવામાં આવી છે. BCCIએ કહ્યું કે, 22 ઓકટોબરે, ધર્મશાળામાં રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં હાર્દિક પંડયા નહીં રમી શકે, પરંતુ 29 ઓકટોબરે, લખનૌમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં હાર્દિક સામેલ થઇ શકશે.
Top News
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
Opinion
