અમારા જમાનામાં અમે પોતે...', ફેમિલી નિયમોને લઈને કોહલીના સપોર્ટમાં કપિલ દેવ

ભારતની ઓસ્ટ્રેલિયા પ્રવાસની 5 ટેસ્ટ મેચોનો સીરિઝમાં 1-3થી હાર બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નિર્દેશ જાહેર કર્યો હતો કે 45થી વધારે દિવસના પ્રવાસમાં, ક્રિકેટરો પોતાના પરિવારને વધુમાં વધુ 14 દિવસ સુધી પોતાની સાથે રાખી શકે છે. દિશા નિર્દેશ મુજબ, તેનાથી ઓછા સમયગાળાના પ્રવાસ પર, ખેલાડીઓ વધુમાં વધુ એક અઠવાડિયા સુધી જ પોતાના પરિવારને પોતાની સાથે રાખી શકે છે. આ અગાઉ રવિવારે કોહલીએ વિદેશ પ્રવાસ દરમિયાન પરિવારને સાથે રાખવાનું સમર્થન કર્યું હતું. 

Extra-Marrital-affair3
bhaskar.com

 

દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ પણ વિદેશ પ્રવાસ પર ક્રિકેટરોને પોતાના પરિવારને સાથે લઈ જવાના પક્ષમાં છે, પરંતુ તેમણે તેની સાથે એમ પણ કહ્યું કે, આ મામલે સંતુલિત વલણ અપનાવવું જોઈએ. વર્લ્ડ કપ 1983ના વિજેતા કેપ્ટને 'કપિલ દેવ ગ્રાન્ટ થોર્નટન ઇનવિટેશનલ' કાર્યક્રમના અવસર પર કહ્યું કે, ઠીક છે, મને ખબર નથી, તે વ્યક્તિગત છે. મને લાગે છે કે આ ક્રિકેટ બોર્ડનો નિર્ણય છે. મારા મતે, તમને પરિવારની જરૂર છે, પરંતુ તમારે હંમેશાં ટીમ સાથે રહેવાની પણ જરૂર છે.

હાલમાં જ પૂરી થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી જેવા ખેલાડીઓના પરિવાર પણ દુબઈમાં હતા, પરંતુ તેઓ ટીમ હોટલમાં રોકાયા નહોતા. પરિવારનો ખર્ચ BCCIએ નહીં, પણ ખેલાડીઓએ ઉઠાવ્યો હતો. કપિલે કહ્યું કે, 'અમારા જમાનામાં ક્રિકેટ બોર્ડ નહીં, પરંતુ અમે પોતે જ નક્કી કરતા હતા કે પ્રવાસનું પહેલું ચરણ ક્રિકેટને સમર્પિત કરવુ જોઈએ... જ્યારે બીજા ચરણમાં પરિવાર સાથે આનંદ લેવો જોઈએ. તેમાં સંતુલન હોવું જોઈએ.

Muskaan
aajtak.in

 

આ અગાઉ રવિવારે વિરાટ કોહલીએ કહ્યું હતું કે, લોકોને પરિવારની ભૂમિકા સમજાવવી ખૂબ મુશ્કેલ છે. દરેક વખત જ્યારે તમે તણાવપૂર્ણ સ્થિતિમાં હોવ છો, ત્યારે પોતાના પરિવાર પાસે પરત ફરવું કેટલું જરૂરી હોય છે. મને નથી લાગતું કે લોકોને તેના મહત્ત્વની સમજ છે. જો તમે કોઈપણ ખેલાડીને પૂછો કે શું તમે ઈચ્છો છો કે તમારો પરિવાર દરેક સમયે તમારી આસપાસ રહે? તો તેઓ કહેશે, હા. હું પોતાના રૂમમાં જઈને એકલો બેસીને ઉદાસ રહેવા માગતો નથી. હું સામાન્ય બનવા માગુ છું. પછી તમે પોતાની રમતને એક જવાબદારીની જેમ લઈ શકો છો. તમે એ જવાબદારીને પૂરી કરો છો અને પછી તમે જીવનમાં પાછા આવી જાવ છો.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.