ભારત-અફઘાનિસ્તાન વન-ડે સીરિઝ બાબતે મહત્ત્વની જાણકારી આવી સામે, જાણો ક્યારે રમાશે

આ વર્ષે ભારતીય ટીમે ભારતમાં 2023નો વન-ડે વર્લ્ડ કપ રમવાનો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) બાદ તેની તૈયારી પણ શરૂ થઈ જશે. તેને ધ્યાનમાં રાખતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) જૂનમાં અફઘાનિસ્તાનને 3 વન-ડે મેચોની સીરિઝ રમવા માટે ભારત બોલાવશે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા આ સીરિઝમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સીનિયર ખેલાડીઓ આરામ આપીને યુવા ખેલાડીઓને અજમાવી શકાય છે.

આ સીરિઝ ફ્યૂચર પ્રગ્રામ ટૂરનો હિસ્સો નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ 11 જૂનના રોજ સમાપ્ત થશે (જો વરસાદના કારણે દિવસ ન બગડે તો, 12 જૂન રિઝર્વ ડે છે). વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બાદ અને વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ અગાઉ આ સીરિઝ રમાવાની લગભગ નક્કી છે. 23 જૂનથી સીરિઝની શરૂઆત થઈ શકે છે. 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાશે. આ મેચ બાદ ભારતીય ટીમ જૂન મહિનામાં જ અફઘાનિસ્તાન સાથે 3 મેચોની વન-ડે સીરિઝ રમશે.

BCCIના એક જાણકારે વાત કરતા જણાવ્યું કે, ‘ભારત અને અફઘાનિસ્તાન વચ વન-ડે સીરિઝની તારીખોને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છેઃ. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ 23 જૂનથી થશે અને સીરિઝની અંતિમ વન-ડે મેચ 30 જૂનના રોજ રમાશે.’ BCCI જાણકાર મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સમાપ્ત થયા બાદ BCCIએ આ સીરિઝનું શેડ્યૂલ કરવાનું હતું. સાથે જ તેમણે જણાવ્યું કે, આ સીરિઝ માટે ટીમના સીનિયર ખેલાડીઓને આરામ આપી શકાય છે.

વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખતા કેટલાક નવા ચહેરા આ સીરિઝમાં અજમાવી શકાય છે. જૂન મહિનામાં થનારી આ સીરિઝ માટે ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ વિરાટ કોહલીને આરામ આપી શકાય છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા કેટલાક નવા ચહેરાઓને આ સીરિઝમાં અજમાવી શકાય છે. જો કે, અત્યારે આ સીરિઝ માટે BCCI તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જો જૂનમાં જ આ સીરિઝ રમાશે તો આગામી થોડા દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકાય છે.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.