પૂર્વ ઓપનરની ભવિષ્યવાણી-ઓસ્ટ્રેલિયન ટીમ એક કરતા વધુ મેચ નહીં જીતી શકે

બોર્ડર ગાવસ્કર ટ્રોફીને લઇને પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ટીમ આ સીરિઝમાં એક કરતા વધુ મેચ નહીં જીતી શકે. એ સિવાય તેમણે એમ પણ કહ્યું કે, ભારત આ સીરિઝ પોતાના નામ કરશે અને રવિચંદ્રન અશ્વિન ઘણી બધી વિકેટ્સ આ સીરિઝમાં લેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆત આજથી થઇ ગઇ છે. પહેલી ટેસ્ટ મેચ નાગપુરમાં રમાઇ રહી છે અને બંને જ ટીમો તેના માટે પૂરી રીતે તૈયાર છે.

બંને જ ટીમો કોઇ પણ પરિસ્થિતિમાં આ સીરિઝ જીતવા માગશે. પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયન ટીમ પહેલા જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)માં પહોંચી ચૂકી છે, એ છતા આ સીરિઝ જીતવા માગશે. તો બીજી તરફ ભારતીય ટીમ માટે આ સીરિઝમાં જીત ખૂબ મહત્ત્વની છે. આકાશ ચોપરાના જણાવ્યા મુજબ, ભારતીય ટીમ આ સીરિઝ પોતાના નામે કરશે. જિયો સિનેમા પર વાતચીત કરવા દરમિયાન તેમણે કહ્યું કે, મારા હિસાબે આ સીરિઝમાં સૌથી વધુ વિકેટ રવિચંદ્રન અશ્વિન લેશે.

તેમણે કહ્યું કે, તે ઘણી બધી વિકેટ લેશે. તે 4 મેચોમાં 23 કરતા વધુ વિકેટ લઇ શકે છે. તો ભારતીય ટીમે 3-0 કે 3-1થી આ સીરિઝ પોતાના નામે કરી શકે છે. મને પૂરો ભરોસો છે કે ઓસ્ટ્રેલિયન ટીમ એક કરતા વધુ મેચ નહીં જીતી શકે. ઉલ્લેખનીય છે કે આ પહેલા અભિનવ મુકુન્દે પણ ભારતીય ટીમ 3-0થી સીરિઝ જીતવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, તેમને લાગે છે કે ઓસ્ટ્રેલિયન ટીમ આ 4 મેચોની ટેસ્ટ સીરિઝ દરમિયાન એક પણ મેચ જીતી નહીં શકે. અભિનવ મુકુંદના જણાવ્યા મુજબ ભારતીય ટીમ આ સીરિઝ 3-0થી પોતાના નામે કરશે અને એક મેચ ડ્રો પર સમાપ્ત થશે. અભિનવ મુકુન્દ મુજબ, ભારતીય ટીમનું પલડું ભારે છે.

પહેલી ટેસ્ટ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપકેપ્ટન), ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, કે.એસ. ભરત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

પહેલી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ (ઉપકેપ્ટન), મેટ રેનશો, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, નાથન લાયન, ટોડ મર્ફી,.

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ):

પહેલી ટેસ્ટ: 9-13 ફેબ્રુઆરી, નાગપુર.

બીજી ટેસ્ટ: 17-21 ફેબ્રુઆરી, દિલ્હી.

ત્રીજી ટેસ્ટ: 1-5 માર્ચ, ધર્મશાળા.

ચોથી ટેસ્ટ: 9-13 માર્ચ, અમદાવાદ.

About The Author

Related Posts

Top News

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.