ભારતને T20 વર્લ્ડ કપ અપાવનાર આ ખેલાડીએ નિવૃત્તિ લીધી, જય શાહને લખ્યો પત્ર

વર્ષ 2007માં ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. બધાને યાદ છે જોગીન્દર શર્મા, જે તે વર્લ્ડ કપમાં ફાઈનલના હીરો હતા. જોગીન્દર શર્માએ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. શુક્રવારે (3 ફેબ્રુઆરી), 39 વર્ષીય જોગીન્દર શર્માએ ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરી.

હરિયાણાના રોહતકથી આવેલા જોગીન્દર શર્માએ ભારત માટે માત્ર 4 ODI અને 4 T20 મેચ રમી છે. ખાસ વાત એ છે કે, તેણે પોતાના કરિયરની તમામ T20 મેચો માત્ર વર્લ્ડ કપમાં જ રમી અને તેને ઈતિહાસ બનાવી દીધો. જ્યારે તેણે 2004માં ભારત માટે ODI ડેબ્યૂ કર્યું હતું અને 2007માં છેલ્લી ODI રમી હતી. જોગીન્દર શર્મા હાલમાં હરિયાણા પોલીસમાં DSP તરીકે તૈનાત છે, તે થોડા સમય પહેલા હરિયાણા તરફથી રણજી ટ્રોફી પણ રમી રહ્યો હતો.

જોગીન્દર શર્માએ ટ્વિટર પર પોતાનો પત્ર શેર કર્યો, જે તેણે BCCI સચિવ જય શાહને મોકલ્યો છે અને નિવૃત્તિની જાહેરાત કરી છે. જોગીન્દર શર્માએ લખ્યું છે કે, તેઓ BCCI, હરિયાણા ક્રિકેટ એસોસિએશન, ચેન્નાઈ સુપર કિંગ્સ અને હરિયાણા સરકારનો આભાર માને છે. જોગીન્દર શર્માએ તેના ચાહકો, પરિવારજનો, મિત્રોનો આભાર માન્યો, જેમણે તેની કારકિર્દીના ઉતાર-ચઢાવમાં તેને સાથ આપ્યો. જોગીન્દર શર્માએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, અને અન્ય વિકલ્પો શોધવાની વાત કરી હતી.

24 સપ્ટેમ્બર, 2007નો દિવસ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અદ્ભુત સાબિત થયો. તે જ દિવસે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિની ચેમ્પિયન બની હતી. આ સાથે, મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ 1983 પછી વિશ્વ ખિતાબ કબજે કરવામાં સફળ રહી.

તે ફાઈનલની છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 13 રનની જરૂર હતી. કેપ્ટન ધોનીએ બોલ એકદમ શિખાઉ બોલર જોગીન્દર શર્માને આપ્યો. મિસ્બાહ-ઉલ-હક ક્રિઝ પર હોવાને કારણે ભારતીય ચાહકોના શ્વાસ રોકાયા હતા. દરેક જગ્યાએ સવાલો ઉઠવા લાગ્યા, આખરે જોગીન્દરને બોલિંગ કેમ આપવામાં આવી..?

પાકિસ્તાનને જીતવા માટે તે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી: જોગિન્દરે પહેલો બોલ વાઈડ નાખ્યો, ત્યાર પછીની બોલ જે વાઈડના બદલે ફેંકવામાં આવ્યો હતો, મિસ્બાહ ચૂકી ગયો, કોઈ રન નોંધાયો ન હતો, તે પછી જોગીન્દરે ફુલ ટોસ ફેંક્યો, જેના પર મિસ્બાહે સિક્સર ફટકારીને પાકિસ્તાનની આશાઓને ફરી જીવંત કરી, ત્યાર પછીની બોલ, આ બોલે ભારતને આનંદથી ઉછળવાનો મોકો આપ્યો.

મિસ્બાહે સ્કૂપ શોટ રમ્યો અને બોલને શોર્ટ ફાઈન-લેગ તરફ ઉછાળી દીધો, જે શ્રીસંત દ્વારા કેચ થયો... મતલબ કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી ગઈ અને ભારતે પહેલો T20 વર્લ્ડ કપ 5 રનથી જીત્યો હતો.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.