CSKએ રાખી BCCI સામે અનોખી ડિમાન્ડ, કાવ્યા મારને કર્યો વિરોધ

ગત દિવસોમાં IPL 2025 ચર્ચાનો વિષય બની છે અને મેગા ઓક્શન પર દલીલો શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ના મેનેજમેન્ટે BCCIને આગ્રહ કર્યો છે કે મેગા ઓક્શન અગાઉ મહેન્દ્ર સિંહ ધોનીને અનકેપ્ડ ખેલાડીના રૂપમાં જોવામાં આવે. એક મીડિયા રિપોર્ટમાં ખૂલસો થયો છે કે CSK એક જૂના નિયમને ફરી લાગૂ કરાવવા માગે છે. આ નિયમ હેઠળ જો કોઇ ખેલાડીને રિટાયર થયાના 5 વર્ષ કે તેનાથી વધારે સમય વીતી ચૂક્યો છે તો તેને અનકેપ્ડ માનવામાં આવશે.

IPL સમિતિએ 2022ના ઓક્શન અગાઉ આ નિયમ પર રોક લગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ધોનીએ ઇન્ટરનેશનલ સ્તર પર ભારત માટે વર્ષ 2019માં કોઇ મેચ રમી હતી, તો 15 ઑગસ્ટ 2019ના રોજ તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. 31 જુલાઇના રોજ મુંબઇમાં થયેલી મીટિંગ દરમિયાન CSKએ ધોનીને અનકેપ્ડ ખેલાડી જાહેર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની માલકિન કાવ્ય મારન સહિત ઘણી ટીમોના માલિક આ નિર્ણયના વિરોધમાં છે. તેમનું માનવું છે કે તેનાથી ધોની સહિત અન્ય મહાન ખેલાડીઓની લેગસી ખરડાશે.

સનરાઇઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્ય મારને હાલમાં થયેલી મીટિંગમાં કહ્યું કે, જો એક રિટાયર થઇ ચૂકેલા ખેલાડીને અનકેપ્ડનો ટેગ આપીને ઓક્શનમાં લાવવવામાં આવે છે તો તેની મહાનતા સાથે ખેલવાડ કરવાનો હશે. કાવ્યા મુજબ જો કોઇ અનકેપ્ડ ખેલાડી ઓક્શનમાં આવીને રિટેન કરાયેલા અનકેપ્ડ ખેલાડીથી વધારે રકમ લઇ જાય છે તો તે મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજનું અપમાન કરવાનું હશે. તેનું સ્પષ્ટ શબ્દોમાં એમ કહેવું હતું કે ધોનીને ઓક્શનમાં ઉતારવો જોઇએ, જેથી ઓક્શનમાં તેને સાચી પ્રાઇઝ મળી શકે.

BCCI અને IPL ટીમ માલિકોની મીટિંગમાં એક મુદ્દો એ પણ ઉઠાવવામાં આવ્યો કે જે ખેલાડીઓને રિટાયર થયાના 5 વર્ષ કે તેનાથી વધારે સમય થઇ ચૂક્યો હોય, તેની બેઝ પ્રાઇઝ ઓછી થવી જોઇએ. રિપોર્ટ્સ મુજબ આ સલાહ IPLના ચીફ ઓપરેટિંગ ઓફિસર હેમંગ અમીને આપી હતી. તેનું માનવું હતું કે આ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ ઓછી થશે તો તેમને ઓક્શનમાં ખરીદવાની સંભાવના વધી જશે.

Top News

PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

  જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ...
World 
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ છટણીની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026માં TCS પોતાના...
Business 
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ

રાજ્યમાં એક તરફ હજારો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ખાલી જગ્યા પર રિટાયર્ડ શિક્ષકોની...
Education  Gujarat 
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ

ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ

ફાઈનલી અઠવાડિયા બાદ આજે સંસદની કાર્યવાહી ચાલી હતી, જેમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી....
National 
ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.