2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ

રાજ્યમાં એક તરફ હજારો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ખાલી જગ્યા પર રિટાયર્ડ શિક્ષકોની ભરતીની જાહેરાત થતા ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તો એ જગ્યા પર વચગાળાની વ્યવસ્થારૂપે રિટાયર્ડ શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ આ નિર્ણય સામે રાજ્યમાં TET, TAT ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરાયા બાદ 2 દિવસમાં યુટર્ન લઈ લીધો છે અને રિટાયર્ડ શિક્ષકોની ભરતીના નિર્ણયને રદ કરવામાં આવ્યો છે.

રિટાયર્ડ શિક્ષકોની કામચલાઉ ભરતી માટેની જાહેરાત કરાયા બાદ વિરોધ શરૂ થઈ ગયો હતો, જેને કારણે રાજ્ય સરકારે ભરતીનો નિર્ણય રદ કરવાની ફરજ પડી છે છે. જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ જે જગ્યાઓ ખાલી પડી છે એના પર વચગાળાની વ્યવસ્થા તરીકે રિટાયર્ડ શિક્ષકોને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવી હતી. એ મૂળ અસરથી રદ કરવામાં આવે છે.

Retired Teacher
divyabhaskar.co.in

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ભરતીને લઈને અંગે વિપક્ષ અવારનવાર સવાલ ઉઠાવે છે. તેમાં પણ શિક્ષણનું સ્તર કથળતું જઈ રહ્યું હોવાની ખૂબ ફરિયાદો થઈ રહી છે છે. એક દાવા મુજબ ગુજરાતમાં શિક્ષકો અને આચાર્યોની 4,000થી વધુ જગ્યાઓ ખાલી છે. શિક્ષણ વિભાગની આ જગ્યાઓ ભરવા માટે અન્ય ભરતી બોર્ડની જેમ જ સરકારે વિભિન્ન આયોગની રચના કરવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. વર્ષ 2013માં બહાર પાડવામાં આવેલા જાહેરનામાને આજે લગભગ 12 વર્ષ થયા હોવા છતા એનો હજુ સુધી અમલવારી થઈ નથી.

શું હતી જૂની જાહેરાત?

શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર રિટાયર્ડ શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નવા શિક્ષકોની બદલે ધોરણ 1-12માં ખાલી જગ્યાઓમાં રિટાયર્ડ શિક્ષકોની 11 માસના કરાર હેઠળ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

જૂના નિયમમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રિટાયર્ડ શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય લીધો હતો. તેના માટે પરિપત્રમાં નિયમો પણ બનાવવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.