હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે’, GARCએ આ 9 મોટી ભલામણો કરી

ગુજરાતમાં સરકારી નોકરી માટે રાત-દિવસ મહેનત કરતા લાખો યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારી ભરતી પ્રક્રિયામાં થતા અસહ્ય વિલંબને નિવારવા માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)એ એક ક્રાંતિકારી બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કરેલા છઠ્ઠા અહેવાલમાં ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને સરળ બનાવવા માટે 9 મહત્ત્વપૂર્ણ ભલામણો કરી છે.

જે ભરતીપ્રક્રિયામાં 3 સ્ટેજ હોય એ 9-12 મહિનામાં અને જેમાં 2 સ્ટેજ હોય એ પ્રક્રિયા 6-9 મહિનામાં પૂર્ણ કરવાની તથા ભવિષ્યમાં આ સમયગાળાથી પણ ઓછા સમયમાં ભરતીપ્રક્રિયા પૂર્ણ થાય એ મુજબની ભલામણ કરવામાં આવી છે.

અહેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે, દર વર્ષે 2 નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો દ્વારા ઓનલાઇન માગણાપત્રક સબ્મિટ કરવાની વ્યવસ્થા સાથે ભરતી નિયમો, પરીક્ષા નિયમો તેમજ ટ્રેનિંગ નિયમો માટે એક કેન્દ્રીય સેલની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે આને પરિણામે ભરતીપ્રક્રિયા માટે જરૂરી નિયમો ખૂબ ઝડપથી આખરી થઇ શકશે અને ભરતીપ્રક્રિયા ઝડપી બનશે.

સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડરો માટે સંયુક્ત પ્રીલિમ્સ તથા વિષયવાર મેઇન્સ પરીક્ષા આયોજિત કરીને ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા અને એનાથી સમાન પ્રકારની કેડર માટે અલગ-અલગ પરીક્ષા પાછળ થતા વહીવટી અને નાણાકીય ખર્ચમાં ઘણો ઘટાડો કરીને ભરતીપ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઇ શકે એમ સૂચવવામાં આવ્યું છે.

GARC-Report1
divyabhaskar.co.in

GARCના આ અહેવાલમાં ઉમેદવાર આધારિત યુનિક ID પર એન્ડ ટૂ એન્ડ ડેશબોર્ડ, જેમાં અરજીથી લઈને નિમણૂક સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ટ્રૅક કરી શકાય એવી વ્યવસ્થા સાથે જિલ્લાવાર પોસ્ટિંગ માટે ડિજિટલ માધ્યમથી જિલ્લા પસંદગીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે એવી ભલામણ પણ થઈ છે.

અત્યારે થતી મેન્યૂઅલ ચકાસણીને બદલે પૂરી રીતે દસ્તાવેજની ડિજિટલ ચકાસણી તથા ડિજી-લોકરની જેમ જ API-લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રીની રચનાથી ભરતી કરતી સંસ્થા અને સરકારી વિભાગો વચ્ચે ઉમેદવારોના દસ્તાવેજો સરળતાથી મોકલી શકાશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ખૂબ પ્રભાવી બનશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ તબીબી તજજ્ઞોની ભરતી માટે નવા મેડિકલ સર્વિસીઝ રિક્રૂટમેન્ટ બોર્ડ (MSRB)ની રચના કરવાની તેમજ GSSSB, GPSSB અને GPRBને ગુજરાત જાહેર સેવા આયોગની સમકક્ષ જરૂરી વહીવટી અને આર્થિક સ્વાયત્તતા આપવાની ભલામણ આ અહેવાલમાં થઈ છે.

રાજ્યમાં શક્ય એટલી પરીક્ષાઓ કોમ્પ્યુટર બેઝ્ડ લેવામાં આવે અને આવી પરીક્ષાની અસરકારક દેખરેખ માટે દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરિંગ યુનિટ (EMU)ની સ્થાપના કરવામાં આવે એવી ભલામણ પણ કરવામાં આવી છે.

એકીકૃત ડિજિટલ પોર્ટલ દ્વારા તમામ સ્ટેકહોલ્ડર્સ (વિભાગો–એજન્સીઓ–ઉમેદવારો) વચ્ચે માહિતીની આપ-લે શક્ય બનશે અને ઉમેદવારોએ એક જ પ્રકારના દસ્તાવેજો વારેઘડીએ અલગ અલગ ભરતી સંસ્થાઓ સમક્ષ રજૂ કરવાની જરૂરિયાત ન રહે એવી વ્યવસ્થાથી ઇઝ ઓફ ડુંઇગ બિઝનેસના અભિગમ સાથે એકરૂપતાની ભલામણ કરવામાં આવેલી છે.

ભવિષ્યનું પ્લાનિંગ અત્યારથી જ થશે. દરેક વિભાગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 10 વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરવામાં આવશે. જેમાં ઈમરજન્સી સર્વિસ અને ક્રિટિકલ કેડરની ભરતીને પ્રાથમિકતા આપવામાં આવશે.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-01-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.