સુરતનો એક એવો ટોલ પ્લાઝા, જ્યાં ટોલ ભરવા રોકાવું નહીં પડે; કલેક્શન માટે રસ્તા વચ્ચે નથી કોઈ બૂથ

ટોલ પ્લાઝા પાસે લાગતો જામ હકીકતમાં એક આફત જ છે. લાઈનમાં ઉભા રહો, તમારો વારો આવે ત્યાં સુધી રાહ જુઓ, અને પછી તમારો ટોલ કપાવો. ક્યારેક-ક્યારેક ખરેખર તે કંટાળાજનક છે. પરંતુ હવે એવું લાગે છે કે, ટૂંક સમયમાં આ સિસ્ટમમાંથી રાહત મળવાની છે. ફાસ્ટેગથી પૈસા કપાતા રહેશે, પરંતુ તમારે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે.

ગુજરાતમાં દેશનો પહેલો મલ્ટી-લેન બેરિયર-ફ્રી ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યો છે. મતલબ કે ટોલ બૂથ પર પૈસા ચૂકવવા માટે રોકાવાની જરૂર નથી. કારણ કે સિસ્ટમ તો હવામાં છે. ટોલ ત્યાં જ કપાઈ જશે. જેઓ પ્રામાણિકપણે ટોલ ચૂકવે છે તેમનો પણ, જેઓ ગુંડાગીરી અને ધાકધમકી બતાવીને ટેક્સ આપતા બચે છે તેમનો ટોલ પણ કપાશે. લડાઈની કોઈ શક્યતા નથી, કારણ કે સિસ્ટમ તો હવામાં છે.

Toll-Plaza1
deshgujarat.com

આ સિસ્ટમ NH48ના સુરત-ભરૂચ વચ્ચે આવતા ચોર્યાસી ટોલ પ્લાઝા પર લાગૂ કરવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) 2 ફેબ્રુઆરીથી આ સિસ્ટમનું પરીક્ષણ કરી રહી છે. સોશિયલ મીડિયા પર બાધા રહિત ટોલ સિસ્ટમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તા વચ્ચે કોઈ ટોલ કલેક્શન બૂથ નથી. ત્યાં માત્ર એક મેટલ સ્ટ્રેચ એટલે કે એક થાંભલો છે, જે પર કેમેરા, સેન્સર અને RFID રીડર્સથી સજ્જ છે. જ્યારે વાહનો અહીથી પસાર થાય છે, ત્યારે તેમને ધીમી ગતિએ વાહન ચલાવવાની જરૂર નહીં રહે.

Toll-Plaza2
constructionweekonline.in

આ સેન્સર અને રીડર્સ એ વાહનોની નંબર પ્લેટને વાંચીને FASTagથી ટોલ કાપશે. આ સિસ્ટમમાં હાઇ-સ્પીડ FASTag RFID રીડર, ANPR કેમેરા અને લેન સ્ટેટસ ઈન્ડિકેટર પણ શામેલ છે. ANPR કેમેરા એટલે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન. આ સ્પીડ કેપ્ચર કેમેરામાં વપરાતી ટેક્નોલોજી છે. આ ઇમેજ-પ્રોસેસિંગ ટેક્નોલોજી વાહન નંબર પ્લેટ વાંચવા માટે ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (OCR)નો ઉપયોગ કરે છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં બેરિયર-ફ્રી ટોલ પ્લાઝાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘2026ના અંત સુધીમાં દેશભરમાં AI-આધારિત હાઇવે મેનેજમેન્ટ પૂર્ણ કરી લેવામાં આવશે, ત્યારબાદ લાંબી લાઈનમાં ઊભા રહેવું નહીં પડે.

Nitin Gadkari
jansatta.com

તેમણે કહ્યું હતું કે, ‘બેરિયર વિનાની ટોલ સિસ્ટમ એક સારી સુવિધા છે. પહેલાં, આપણે ટોલ પર ચૂકવણી કરવી પડતી હતી, અને તેમાં 3-10 મિનિટનો સમય લાગતો હતો. પછી, FASTagને કારણે, સમય ઘટીને 60 સેકન્ડ કે તેથી ઓછો થઈ ગયો. આવકમાં પણ ઓછામાં ઓછા 5,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. (MLFF) આવ્યા બાદ FASTagsની જગ્યા લેતા હવે કારો મહત્તમ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટોલ પ્લાઝા પાર કરી શકશે, અને ટોલ પ્લાઝા પર કોઈને રોકવામાં નહીં આવે.

આ સિસ્ટમ હાલમાં સુરતમાં માત્ર ટ્રાયલ માટે લાગી છે. જો સફળ થશે, તો તે દેશભરના વિવિધ ટોલ પ્લાઝા પર લાગૂ કરવામાં આવશે. ત્યારબાદ, તમે જેવા જ હાઇવેને સ્પર્શ કરશો, ત્યાં લાગેલા કેમેરા નંબર પ્લેટ વાંચી લેશે. પછી, તમે જેટલી મુસાફરી કરશો, એટલો ટોલ તમારા ફાસ્ટેગમાંથી કાપી લેવામાં આવશે.

About The Author

Related Posts

Top News

પોરબંદરમાં જૂની કોર્ટમાં હજારો ચૂંટણી-આધાર કાર્ડ રઝળતા મળી આવ્યા, અધિકારી જણાવ્યું કારણ

પોરબંદરમાં માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગના હસ્તક આવેલી જૂની કોર્ટ બિલ્ડિંગમાંથી...
Gujarat 
પોરબંદરમાં જૂની કોર્ટમાં હજારો ચૂંટણી-આધાર કાર્ડ રઝળતા મળી આવ્યા, અધિકારી જણાવ્યું કારણ

1600 TRB જવાનોની ભરતી થશે, સુરત સહિત 5 જિલ્લાઓમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ

ગુજરાતમાં રોજબરોજ ટ્રાફિક સમસ્યા વધી રહી છે, જેને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. હવે ટ્રાફિક...
Gujarat 
1600 TRB જવાનોની ભરતી થશે, સુરત સહિત 5 જિલ્લાઓમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ

સુરતનો એક એવો ટોલ પ્લાઝા, જ્યાં ટોલ ભરવા રોકાવું નહીં પડે; કલેક્શન માટે રસ્તા વચ્ચે નથી કોઈ બૂથ

ટોલ પ્લાઝા પાસે લાગતો જામ હકીકતમાં એક આફત જ છે. લાઈનમાં ઉભા રહો, તમારો વારો આવે ત્યાં સુધી રાહ...
Gujarat 
સુરતનો એક એવો ટોલ પ્લાઝા, જ્યાં ટોલ ભરવા રોકાવું નહીં પડે; કલેક્શન માટે રસ્તા વચ્ચે નથી કોઈ બૂથ

દીકરી જીવે છે, 2 મહિના અગાઉ કન્યાદાન કર્યું, પણ હવે પિતાએ ફોટો પર ફૂલ-હાર ચઢાવીને, સ્વર્ગવાસી જાહેર કરી દીધી

રાજસ્થાનના ઉદયપુરમાં, એક છોકરીના પિતાએ પ્રેમ લગ્ન કરનારી છોકરી સાથેના બધા સંબંધો ન માત્ર તોડી નાખ્યા, પરંતુ તેને...
National 
દીકરી જીવે છે, 2 મહિના અગાઉ કન્યાદાન કર્યું, પણ હવે પિતાએ ફોટો પર ફૂલ-હાર ચઢાવીને, સ્વર્ગવાસી જાહેર કરી દીધી

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.