કાર પાર્કિંગ સુવિધાની ફરિયાદ પુરાવાના અભાવે-સમય મર્યાદા બહારની હોવાથી કોર્ટે નામંજૂર કરી

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) દ્વારા ગોકુલધામ રેસિડન્સી, સચિન વિસ્તારમાં આવેલ ફ્લેટ સંબંધિત વિવાદમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા પાર્કિંગની સુવિધા બિલ્ડરે ન આપી હોવાનું જણાવી તેવી સુવિધા અપાવવાની દાદ માંગતી ફરિયાદ નામંજૂર કરવામાં આવી છે. 

કેસની વિગત મુજબ અર્ચના ગિરધરભાઈ ચૌધરી તથા ગિરધરભાઈ બ્રિજલાલ ચૌધરી (ફરિયાદીઓ એ) ગણેશ ડેવલોપર્સ તથા તેના પાર્ટનર્સ (સામાવાળાઓ) વિરુદ્ધ સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ દાખલ કરેલી ફરિયાદમાં ફરિયાદીઓએ જણાવ્યું હતું કે તેમણે ફ્લેટ નં. 407, A-2 બિલ્ડિંગ, ગોકુલધામ રેસિડન્સી ખરીદ્યો હતો અને તા. 28/01/2016 ના રોજ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. તેમનો મુખ્ય આક્ષેપ હતો કે બિલ્ડરે અલગ કાર પાર્કિંગ આપવાની ખાતરી આપ્યા છતાં પાર્કિંગ સુવિધા આપવામાં આવી નથી.

સામાવાળાઓ તરફથી દલીલો રજૂ કરતા એડવોકેટ શ્રેયસ દેસાઈએ કમિશન સમક્ષ સ્પષ્ટ કર્યું કે ફરિયાદ સમય મર્યાદા બહાર દાખલ કરવામાં આવી છે, કારણ કે વેચાણ દસ્તાવેજ 2016માં થયેલ હોવા છતાં ફરિયાદ વર્ષ 2022માં દાખલ કરવામાં આવી છે. વધુમાં રજૂઆત કરવામાં આવી કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા બિલ્ડિંગ યુઝ (B.U.) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે બાંધકામ તથા તમામ સુવિધાઓ મંજૂર નકશા મુજબ પૂર્ણ કરવામાં આવી છે અને તેમાં કોઈ ખામી નથી.

કમિશને નોંધ્યું કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ ફરિયાદ બે વર્ષની અંદર કરવી આવશ્યક છે, જ્યારે હાલની ફરિયાદ નોંધપાત્ર વિલંબ બાદ દાખલ કરવામાં આવી છે અને વિલંબ માફી માટે કોઈ પૂરતું કારણ રજૂ કરવામાં આવ્યું નથી. આથી ફરિયાદ સમયમર્યાદા બહાર હોવાથી પણ તે મેન્ટેનેબલ નથી.

કમિશને વધુમાં નિરિક્ષણ કર્યું કે વેચાણ દસ્તાવેજમાં પાર્કિંગ અંગે સામાન્ય જોગવાઈ દર્શાવવામાં આવી છે, પરંતુ ફરિયાદીઓ દ્વારા એવા કોઈ ચોક્કસ અને વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી કે જે દર્શાવતા હોઈ કે બિલ્ડરે પાર્કિંગ અંગે આપેલી કોઈ ચોક્કસ ખાતરીનો ભંગ કર્યો હોય. Smcએ ઇસ્યુ કરેલ buc પરથી smc એ મંજુર કરેલ પ્લાન/પરમીશન મુજબની સુવિધાઓ અપાઈ હોવાનું ફલિત થાય છે એમ પણ કાયદા એ નોંધીયું હતું.

આ પરિસ્થિતિમાં સુરત જિલ્લા ગ્રાહક કમિશન (મુખ્ય ) ના પ્રમુખ પી પી મેખીયા તથા ડો તીર્થેશ મહેતા એ આપેલા જજમેન્ટમાં સ્પષ્ટ રીતે ઠરાવ્યું કે ફરિયાદ સમયમર્યાદા બહાર તથા પુરાવાના અભાવે કાનૂની રીતે ટકી શકતી નથી અને તેથી ફરિયાદ નામંજૂર કરવામાં આવે છે. કમિશને કોઈ ખર્ચ પણ અપાવ્યો નથી.

આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે બિલ્ડર દ્વારા મંજૂર નકશા મુજબ બાંધકામ પૂર્ણ કરીને અને સત્તાવાર B.U. સર્ટિફિકેટ મેળવ્યા બાદ, માત્ર સામાન્ય આક્ષેપોના આધારે જવાબદારી ઠેરવવી શક્ય નથી. સાથે જ ગ્રાહકો માટે પણ આ ચુકાદો માર્ગદર્શનરૂપ છે કે તેઓએ પોતાના હકો માટે સમયસર અને યોગ્ય પુરાવા સાથે કાર્યવાહી કરવી જરૂરી છે.

About The Author

Related Posts

Top News

દીકરા વિરુદ્ધ માતાની જુબાની, કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી; માએ કહ્યું- તારું મોઢું જોવા માંગતી નથી

ઉત્તર પ્રદેશના બરેલીમાં, માતાની જુબાનીના આધારે, કોર્ટે કલયુગી પુત્ર છત્રપાલને આજીવન કેદ અને 1 લાખ રૂપિયાના દંડની સજા...
National 
દીકરા વિરુદ્ધ માતાની જુબાની, કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી; માએ કહ્યું- તારું મોઢું જોવા માંગતી નથી

આ 2 ભારતીયોએ અમેરિકામાં એવું કામ કર્યું કે 400 વર્ષની જેલની સજા થઈ શકે છે

અમેરિકામાં ભારતીય મૂળના બે ભાઈઓને કરોડો ડૉલરના છેતરપિંડી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ગુજરાતના ભાસ્કર સવાણી (60) અને અરુણ...
World 
આ 2 ભારતીયોએ અમેરિકામાં એવું કામ કર્યું કે 400 વર્ષની જેલની સજા થઈ શકે છે

કાર પાર્કિંગ સુવિધાની ફરિયાદ પુરાવાના અભાવે-સમય મર્યાદા બહારની હોવાથી કોર્ટે નામંજૂર કરી

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) દ્વારા ગોકુલધામ રેસિડન્સી, સચિન વિસ્તારમાં આવેલ ફ્લેટ સંબંધિત વિવાદમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા પાર્કિંગની...
Gujarat 
કાર પાર્કિંગ સુવિધાની ફરિયાદ પુરાવાના અભાવે-સમય મર્યાદા બહારની હોવાથી કોર્ટે નામંજૂર કરી

ઈરાન મામલે ભારતનું મૌન કાયરતા નથી: શશી થરૂરનું કોંગ્રેસથી વિપરીત વલણ

કોંગ્રેસ સાંસદ શશી થરૂરે એક વાર ફરી પોતાની પાર્ટીથી વિપરીત વલણ અપનાવ્યું છે. અમેરિકા ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલતા સંઘર્ષમાં...
National 
ઈરાન મામલે ભારતનું મૌન કાયરતા નથી: શશી થરૂરનું કોંગ્રેસથી વિપરીત વલણ

Opinion

ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં બહુમત ભૂમિ સાથે જોડાયેલો સમાજ છે. જેમના જીવનમાં અને લોહીમાં ખેતી સંસ્કાર અને ભક્તિનો સમન્વય છે. આજે...
કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.