સચિન સાથે કોહલીની સરખામણી યોગ્ય નથી, ગંભીરે તેને માટે આપ્યું આ કારણ

વિરાટ કોહલીએ નવા વર્ષની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. શ્રીલંકા વિરુદ્ધ પહેલી વનડે મેચમાં તેણે 87 બોલ પર 113 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે આ ઈનિંગના માધ્યમથી ભારતીય મેદાન પર સદી મારવાના મામલામાં સચિન તેંદુલકરની બરાબરી કરી લીધી છે. શ્રીલંકા વિરુદ્ધ પહેલી વનડેમાં ઘમાકેદાર સદી મારનારા વિરાટ કોહલીએ ઘરેલૂં જમીન પર સચિન તેંદુલકર દ્વારા બનાવવામાં આવેલા 20 સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ત્યારબાદ ફેન્સ તેની સરખામણી સચિન સાથે કરી રહ્યા છે.

તેની આ ઈનિંગના વખાણ સચિન તેંદુલકરથી લઈને ઘણા પૂર્વ ક્રિકેટરે કર્યા છે. એટલું જ નહીં, ફેન્સ હવે તેની સરખામણી સચિન તેંદુલકર સાથે કરવા માંડ્યા છે અને તેમને આશા છે કે, આવનારા સમયમાં તે સચિન તેંદુલકર કરતા પણ આગળ નીકળી જશે. વનડેમાં સદીની વાત કરીએ તો તે હવે સચિનની 49 સદીથી માત્ર 4 સદી દૂર છે.

પરંતુ, ભારતના પૂર્વ બેટ્સમેન અને બેવાર વર્લ્ડ ચેમ્પિયન રહેલો ગૌતમ ગંભીર આ વાત સાથે સહમત નથી. તેણે કહ્યું કે, બે અલગ-અલગ સમયના ક્રિકેટરોની સરખામણી ના કરી શકાય. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા ગૌતમ ગંભીરે કહ્યું, ઈમાનરાદીથી કહું તો આ રેકોર્ડની વાત નથી. વિરાટ કોહલી વનડેમાં સચિન કરતા વધુ સદી પણ બનાવશે પરંતુ, નિયમ બદલાઈ ગયા છે.

તેણે આગળ કહ્યું, તમારે બે અલગ-અલગ સમયના ખેલાડીઓની સરખામણી ના કરવી જોઈએ. આ યોગ્ય નથી. પહેલા માત્ર 1 નવો બોલ હતો પરંતુ, હવે બે નવા બોલ હોય છે અને સાથે જ 5 ફીલ્ડર પણ 30 ગજના દાયરામાં રહે છે. પરંતુ, હાં તે આ ફોર્મેટનો માસ્ટર ખેલાડી છે અને તેણે લાંબા સમય સુધી આ કામ કર્યું છે.

થોડી હદ સુધી ગૌતમ ગંભીરની વાત સાચી પણ છે કારણ કે, સચિન જે સમયમાં રમતો હતો તે સમયના ક્રિકેટમાં અને હાલના સમયના ક્રિકેટમાં ઘણો બધો બદલાવ આવી ગયો છે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ આ અંગે પહેલા વાત કરી ચુક્યો છે કે ક્રિકેટમાં ઝડપથી બદલાવ આવ્યો છે. તેણે કહ્યું કે, પહેલા 250 રનના સ્કોરને ફાઈટિંગ ટોટલ માનવામાં આવતું હતું જ્યારે, હવે એવુ જરા પણ નથી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.