હાર બાદ શુભમન વિશે રોહિતે એવું કહ્યું કે એ પોતે જ હસી પડ્યો

મેચ બાદ રોહિત શર્માએ શુભમન ગીલના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, શુભમન ગીલને શ્રેય આપવો જોઈએ, તે શાનદાર ફોર્મમાં છે અને મને આશા છે કે તે આને જાળવી રાખશે. આ બોલ્યા બાદ રોહિત હસી પડે છે અને ઈન્ટરવ્યૂ લેનાર પણ હસી પડે છે. રોહિત આગામી વર્લ્ડ કપ અને WTC ફાઇનલમાં પણ આ પ્રદર્શન જાળવી રાખે તેને લઇને શુભમન ગીલને કહેતો હતો, એવું માનવામાં આવે છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હવે પૂર્ણાહૂતિના આરે છે અને માત્ર ફાઇનલ મેચ જ બચી છે. શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે રમાયેલી બીજી ક્વાલફાયર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. તેની સાથે જ મુંબઈ ઇન્ડિયન્સ IPL 2023થી બહાર થઈ ગઈ છે અને હવે ગુજરાત ટાઈટન્સ 28 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.

ક્વાલિફાયર-2માં મુંબઈ ઇન્ડિયન્સને મળેલી હારને લઈને કેપ્ટન રોહિત શર્માએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, વિકેટ બેટિંગ માટે સારી હતી, પરંતુ ગુજરાત ટાઈટન્સે 20-25 રન વધારે બનાવી દીધા હતા. એ સિવાય રોહિત શર્માએ એમ પણ કહ્યું કે, તેમની ટીમ બેટિંગના સમયે પાર્ટનરશિપ બનાવી ન શકી અને આ કારણે હારનો સામનો કરવો પડ્યો. ગુજરાત ટાઈટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 62 રનથી હરાવી દીધી.

પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલની વિસ્ફોટક સદીની મદદથી સીમિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 233 રનનો વિશાળ સ્કોર વિરોધી ટીમ સામે ઊભો કર્યો હતો. શુભમન ગિલે 60 બૉલમાં 7 ફોર અને 10 સિક્સની મદદથી 129 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 18.2 ઓવરમાં 171 રન પર જ સમેટાઇ ગઈ. આ જીત સાથે જ ગુજરાત ટાઈટન્સ સતત બીજી વખત IPLની ફાઇનલમાં જગ્યા બનાવમાં સફળ રહી. તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ.

મેચ બાદ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે, તેમની ટીમથી ક્યાં ભૂલ થઈ ગઈ. તેણે કહ્યું કે, એ ખૂબ મોટો ટોટલ હતું અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી. વિકેટ બેટિંગ માટે ખૂબ સારી હતી અને ગુજરાત ટાઈટન્સે 25 રન એકસ્ટ્રા બનાવી દીધા હતા. જ્યારે અમે ટારગેટનો પીછો કરવા ઉતર્યા તો રન ચેઝને લઈને ખૂબ પોઝિટિવ હતા, પરંતુ વધુ પાર્ટનરશિપ ન કરી શક્યા. કેમરન ગ્રીન અને સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી, પરંતુ અમે ટારગેટ સુધી ન પહોંચી શક્યા. પાવરપ્લેમાં અમે સારી વિકેટ્સ ગુમાવી દીધી અને આ પ્રકારે મોમેન્ટમ ન હાંસલ કરી શક્યા.

About The Author

Top News

AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત...
Gujarat 
AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ)  આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે...
Opinion 
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

(ઉત્કર્ષ પટેલ) આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં જ્યાં યુવાનોનું જીવન સ્ક્રીન, સ્પર્ધા અને અનિયમિતતાથી ભરેલું છે ત્યાં એક અદભૂત પરિવર્તન...
Opinion 
અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં વિજયના રથ પર અગ્રેસર થઇ રહી છે. ટીમ ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચ જીતીને...
Sports 
શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.