હાર બાદ શુભમન વિશે રોહિતે એવું કહ્યું કે એ પોતે જ હસી પડ્યો

મેચ બાદ રોહિત શર્માએ શુભમન ગીલના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, શુભમન ગીલને શ્રેય આપવો જોઈએ, તે શાનદાર ફોર્મમાં છે અને મને આશા છે કે તે આને જાળવી રાખશે. આ બોલ્યા બાદ રોહિત હસી પડે છે અને ઈન્ટરવ્યૂ લેનાર પણ હસી પડે છે. રોહિત આગામી વર્લ્ડ કપ અને WTC ફાઇનલમાં પણ આ પ્રદર્શન જાળવી રાખે તેને લઇને શુભમન ગીલને કહેતો હતો, એવું માનવામાં આવે છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હવે પૂર્ણાહૂતિના આરે છે અને માત્ર ફાઇનલ મેચ જ બચી છે. શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે રમાયેલી બીજી ક્વાલફાયર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. તેની સાથે જ મુંબઈ ઇન્ડિયન્સ IPL 2023થી બહાર થઈ ગઈ છે અને હવે ગુજરાત ટાઈટન્સ 28 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.

ક્વાલિફાયર-2માં મુંબઈ ઇન્ડિયન્સને મળેલી હારને લઈને કેપ્ટન રોહિત શર્માએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, વિકેટ બેટિંગ માટે સારી હતી, પરંતુ ગુજરાત ટાઈટન્સે 20-25 રન વધારે બનાવી દીધા હતા. એ સિવાય રોહિત શર્માએ એમ પણ કહ્યું કે, તેમની ટીમ બેટિંગના સમયે પાર્ટનરશિપ બનાવી ન શકી અને આ કારણે હારનો સામનો કરવો પડ્યો. ગુજરાત ટાઈટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 62 રનથી હરાવી દીધી.

પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલની વિસ્ફોટક સદીની મદદથી સીમિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 233 રનનો વિશાળ સ્કોર વિરોધી ટીમ સામે ઊભો કર્યો હતો. શુભમન ગિલે 60 બૉલમાં 7 ફોર અને 10 સિક્સની મદદથી 129 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 18.2 ઓવરમાં 171 રન પર જ સમેટાઇ ગઈ. આ જીત સાથે જ ગુજરાત ટાઈટન્સ સતત બીજી વખત IPLની ફાઇનલમાં જગ્યા બનાવમાં સફળ રહી. તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ.

મેચ બાદ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે, તેમની ટીમથી ક્યાં ભૂલ થઈ ગઈ. તેણે કહ્યું કે, એ ખૂબ મોટો ટોટલ હતું અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી. વિકેટ બેટિંગ માટે ખૂબ સારી હતી અને ગુજરાત ટાઈટન્સે 25 રન એકસ્ટ્રા બનાવી દીધા હતા. જ્યારે અમે ટારગેટનો પીછો કરવા ઉતર્યા તો રન ચેઝને લઈને ખૂબ પોઝિટિવ હતા, પરંતુ વધુ પાર્ટનરશિપ ન કરી શક્યા. કેમરન ગ્રીન અને સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી, પરંતુ અમે ટારગેટ સુધી ન પહોંચી શક્યા. પાવરપ્લેમાં અમે સારી વિકેટ્સ ગુમાવી દીધી અને આ પ્રકારે મોમેન્ટમ ન હાંસલ કરી શક્યા.

About The Author

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.