રેકોર્ડતોડ ઇનિંગ બાદ ટીકાકારો પર વરસ્યો પૃથ્વી શૉ, બોલ્યો-મને નથી જાણતા..

ભારતીય ટીમમાં જગ્યા ફરી હાંસલ કરવા માટે સંઘર્ષ કરી રહેલો 23 વર્ષિય પૃથ્વી શૉની ઘરેલુ ક્રિકેટમાં ધમાલ ચાલુ છે. બુધવારે પૃથ્વી શૉએ રણજી ટ્રોફીમાં 379 રનોની ઇનિંગ રમીને રેકોર્ડ બનાવી દીધો. મુંબઇ તરફથી રમતા પૃથ્વી શૉએ આસામ વિરુદ્ધ આ રેકોર્ડ બનાવ્યો હતો અને રણજી ક્રિકેટમાં કોઇ ઇનિંગમાં સૌથી વધારે રન બનાવનારો બીજો ભારતીય બેટ્સમેન બની ગયો. આ શાનદાર ઇનિંગ બાદ પૃથ્વી શૉએ પોતાના ટીકાકારોને પણ જવાબ આપ્યો હતો.

પૃથ્વી શૉ લાંબા સમયથી ભારતીય ટીમમાં વાપસી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ તે એમ કરી શકતો નથી. તેની બાબતે એ પ્રકારની ઇમેજ બની ગઇ છે કે સ્ટારડમ ઝેલી શક્યો નથી. તેની સાથે જોડાયેલો જ્યારે સવાલ થયો તો પૃથ્વી શૉએ લાંબો જવાબ આપ્યો. એક અંગ્રેજી અખબાર સાથે વાતચીતમાં પૃથ્વી શૉએ કહ્યું કે, કોઇએ મારી સાથે સીધી વાત કરી નથી. કેટલાક લોકોએ મારી બાબતે એ કહ્યું, જેમ તેમને લાગે છે. હું એ વાતો પર ધ્યાન આપતો નથી. હું પોતાનું કામ કરી રહ્યો છું. કેટલાક લોકો મને જાણતા નથી, એ જ લોકો મારી બાબતે વાતો કરી રહ્યા છે. કેટલીક વખત હું કમેન્ટ જોઉ છું અને ઇગ્નોર કરી દઉં છું.

પૃથ્વી શૉએ કહ્યું કે, મને ખબર છે કે હું શું કરી રહ્યો છું. જે લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે. તે મારા માટે મહત્ત્વ ધરાવતું નથી. હું માત્ર પોતાને જોઉ છું અને ખેલાડી તરીકે પોતાનામાં સુધાર કરવાનો પ્રયત્ન કરું છું. જો પૃથ્વી શૉની ઇનિંગની વાત કરીએ તો તેણે મુંબઇ માટે રમતા આસામ વિરુદ્ધ 379 રન બનાવ્યા. આ રન 383 બૉલમાં આવ્યા. આ દરમિયાન તેમણે 49 ફોર અને 4 સિક્સ પણ લગાવ્યા. એટલે કે ટેસ્ટ મેચવાળી  મેચમાં પણ વન-ડેની જેમ રમી રહ્યો હતો. પૃથ્વી શૉએ છેલ્લી મેચ વર્ષ 2021માં રમી હતી અને હવે તે વાપસીની રાહ જોઇ રહ્યો છે.

મુંબઇના ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉએ રણજી ટ્રોફી ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવી દીધો છે. આ પહેલા ભાઉસહેબ નિંબલકર, જેણે મહારાષ્ટ્ર તરફથી રમત કાઠિયાવાડ વિરુદ્ધ ડિસેમ્બર 1948માં 443 રન બનાવ્યા હતા. અત્યારે પણ રણજી ટ્રોફીમાં સર્વોચ્ચ અંગત સ્કોર અને સર્વાધિક પ્રથમ શ્રેણી સ્કોર બનાવનારા ભારતીય ખેલાડીઓની લિસ્ટમાં ટોચ પર છે. પૃથ્વી શૉ હવે આ લિસ્ટમાં બીજા નંબર પર આવી ગયો છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.