ભજ્જીની થપ્પડ ખાનાર શ્રીસંત બધુ ભૂલાવી તેની સાથે પંતના ઘરે પહોંચ્યો

ભારતના સ્ટાર ક્રિકેટર રિષભ પંત આ દિવસોમાં આરામ ફરમાવી રહ્યો છે. તે કાર અકસ્માત બાદ સર્જરીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન, વચ્ચે વચ્ચે તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતો રહે છે અને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ આપતો રહે છે. શનિવારે કેટલાક મહેમાનો તેમને મળવા રિષભ પંતના ઘરે પહોંચ્યા અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી. મહેમાનો અન્ય કોઈ નહીં પણ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Suresh Raina (@sureshraina3)

સુરેશ રૈના, હરભજન સિંહ અને શ્રીસંત શનિવારે રિષભ પંતને મળવા તેના ઘરે પહોંચ્યા હતા. સુરેશ રૈનાએ રિષભ પંત સાથેની એક તસવીર પણ શેર કરી છે અને એક સુંદર સંદેશ પણ લખ્યો છે. તસવીરના કેપ્શનમાં રૈનાએ લખ્યું, ભાઈચારો જ બધું છે. કુટુંબ એ છે કે જ્યાં આપણું હૃદય છે. અમે અમારા ભાઈ રિષભ પંતને ખૂબ જ ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. કુટુંબ, જીવન, ભાઈચારો અને સમય પર વિશ્વાસ બનાવી રાખો. અમે હંમેશા તમારી સાથે છીએ. તમે ફોનિક્સની જેમ ઊંચે ઉડાન ભરો.'

સાથે જ શ્રીસંતે લખ્યું, રિષભ પંત હું તને પ્રેમ કરું છું, મારા ભાઈ. તમે વિશ્વાસ રાખો અને પ્રેરણા બની રહો.' ઉલ્લેખનીય છે કે  IPL દરમિયાન હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારી દીધી હતી, પરંતુ શ્રીસંત બધુ ભૂલાવીને તેની સાથે જ પંતને મળવા પહોંચ્યો હતો.

આ પહેલા ભારતના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પણ રિષભ પંતને મળવા આવ્યો હતો. તેણે રિષભ પંત જલદી સાજો થાય તેવી શુભેચ્છા પણ પાઠવી હતી. યુવરાજે કહ્યું હતું કે, યુવા વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત, જે ફિટનેસની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે, તે ટૂંક સમયમાં પાછો આવશે અને ફરીથી નવી ચમક પાથરશે.' અકસ્માતને કારણે પંત આ વર્ષે IPL પણ મિસ કરશે. તેના સ્થાને ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ગયા વર્ષના અંતમાં 30 ડિસેમ્બરે રિષભ પંત એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. તેમની કારને રૂરકી નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં રિષભ પંતને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાથમિક સારવાર બાદ તેને મુંબઈ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર બાદ તે ઘરે છે. તાજેતરમાં, રિષભ પંતે એક વિડિયો શેર કર્યો જેમાં તે સ્વિમિંગ પૂલમાં ચાલતો જોવા મળે છે, જે ચાહકોને તેના જલ્દી સાજા થવાનો સંકેત આપે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.