ભવિષ્યમાં વન-ડે વર્લ્ડ કપને 40-40 ઓવરનો કરી દેવો જોઈએઃ રવિ શાસ્ત્રી

ભારતમાં યોજાનારા વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં સાત મહિના કરતા પણ ઓછો સમય રહી ગયો છે અને દેશની ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવુ છે કે, આ ટૂર્નામેન્ટમાં નવીનતા લાવવા માટે ICC ટૂર્નામેન્ટના ભવિષ્યના ચરણોને 40-40 ઓવરના કરી દેવા જોઈએ. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસ એટલે કે રવિવારે પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું, વનડે ક્રિકેટે બચી રહેવા માટે તેને ભવિષ્યમાં ઘટાડીને 40-40 ઓવરની કરી દેવી જોઈએ.

શાસ્ત્રીએ કહ્યું કે, વનડેમાં દર્શકોની ઘટતી સંખ્યાનું નિવારણ લાવવુ જોઈએ અને તેમણે કહ્યું કે, જ્યારે કપિલ દેવની આગેવાનીવાળી ટીમે 1983માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો તો તે 60-60 ઓવરની ટૂર્નામેન્ટ હતી પરંતુ, બાદમાં તેને ઘટાડીને 50-50 ઓવર કરી દેવામાં આવી. તેમણે કહ્યું, હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે જ્યારે અમે 1983 માં વર્લ્ડ કપ જીત્યો હતો તો તે 60 ઓવરની મેચ રમાતી હતી. પછી લોકોનું આકર્ષણ તેના પ્રત્યે ઓછું થતું ગયુ તો તે 50 ઓવરની બની ગઈ. મને લાગે છે કે, હવે સમય આવી ગયો છે જ્યારે તેને 40-40 ઓવરની કરી દેવી જોઈએ. સમયની સાથે બદલાવ જરૂરી છે, ફોર્મેટને ઘટાડવું જોઈએ.

શાસ્ત્રીની દર્શકોની રૂચિ ઓછી થવાની વાત સાચી છે પરંતુ, જ્યારે 1987માં વર્લ્ડ કપ ઉપ મહાદ્વીપમાં રમાડવામાં આવ્યો હતો તો 120 ઓવર દરમિયાન બે બ્રેક (લંચ અને ટી) કરવો સંભવ નહોતો જેવુ ઈંગ્લેન્ડમાં છેલ્લાં ત્રણ ચરણ દરમિયાન થયુ હતું. શાસ્ત્રીએ કહ્યું કે, T20 પ્રારૂપ ગેમમાં મોટી કમાણી કરતું રહેશે પરંતુ, તે દ્વિપક્ષીય T20 આંતરરાષ્ટ્રીય શ્રૃંખલાને પસંદ નથી કરતા અને તેમનું કહેવુ છે કે, તેને ઓછી કરી દેવી જોઈએ. આ મહાન ક્રિકેટર દ્વિપક્ષીય શ્રૃંખલાને ઓછી કરવાની વકાલત કરતા રહ્યા છે.

તેમણે કહ્યું, મને લાગે છે કે, T20 પ્રારૂપ મહત્ત્વપૂર્ણ છે. તેને વિકસિત કરવાની જરૂર છે. પરંતુ મને લાગે છે કે, દ્વિપક્ષીય શ્રૃંખલાને ઓછી કરી દેવી જોઈએ. પૂર્વ ખેલાડીએ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ પોતના ટોચના મહત્ત્વના સ્થાનનો આનંદ ઉઠાવવાનું ચાલુ રાખશે કારણ કે તે મહત્ત્વપૂર્ણ ફોર્મેટ છે. તેમણે કહ્યું, ટેસ્ટ ક્રિકેટ હંમેશાં ટેસ્ટ ક્રિકેટ બન્યું રહેશે અને તેને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ. મને લાગે છે કે, ભારતમાં પણ તમામ ફોર્મેટો માટે જગ્યા છે. વિશેષરીતે ઉપમહાદ્વીપમાં. વિશેષરૂપથી ઓસ્ટ્રેલિયા જેવી જગ્યાઓ પર.

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે પણ કહ્યું કે, એક દિવસીય ફોર્મેટ પોતાનું આકર્ષણ ગુમાવી રહ્યું છે અને આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારો વર્લ્ડ કપ છેલ્લું સંસ્કરણ હોઇ શકે છે. કાર્તિકે કહ્યું, વનડે ફોર્મેટે પોતાનું આકર્ષણ ગુમાવી દીધુ છે. આપણે આ વર્ષના અંતમાં અથવા ત્યારબાદ વધુ એક વર્લ્ડ કપ જોઈ શકીશું. લોકો ટેસ્ટ ક્રિકેટ જોવા માંગે છે, જે ક્રિકેટનું યોગ્ય અર્થમાં ફોર્મેટ છે અને T20 મનોરંજન માટે છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.