ડગઆઉટમાં RR મેનેજરને ફોન વાપરતા હતા વૈભવ બાજુમાં હતો; લલિત મોદીનો સવાલ- ભ્રષ્ટાચાર વિરોધી એકમ ક્યાં હતી

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી IPL 2026ની 10મી મેચ પછી એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. રાજસ્થાન રોયલ્સ મેનેજર રોમી ભિંડરનો ડગઆઉટમાં મોબાઇલ ફોન વાપરતો એક વીડિયો વાયરલ થયો છે, જેને ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે.

હકીકતમાં, આ ઘટના RR વિરુદ્ધ RCB મેચની 11મી ઓવર દરમિયાન બની હોવાનું કહેવાય છે, જ્યાં મેનેજર ભિંડર ખેલાડીઓની નજીક બેઠેલા હતા અને પોતાના ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તે દરમિયાન યુવાન ખેલાડી વૈભવ સૂર્યવંશી પણ તેમની બાજુમાં બેઠો હતો.

Lalit-Modi2
lokmatnews.in

ભૂતપૂર્વ IPL કમિશનર લલિત મોદીને આ સ્ક્રીન ગ્લેર બિલકુલ ગમ્યું ન હતું, અને તેમણે સોશિયલ મીડિયા પર પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું અને ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓ પર પણ સવાલ ઉઠાવ્યા. વીડિયો શેર કરતા તેમણે લખ્યું, 'આ બિલકુલ અસ્વીકાર્ય છે. ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર ક્યાં હતું?'

BCCIના PMOA (ખેલાડીઓ અને મેચ અધિકારીઓનો વિસ્તાર) પ્રોટોકોલ હેઠળ, ટીમ મેનેજર ફોન લઈ જઈ શકે છે, પરંતુ ડગઆઉટમાં તેનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે. ડ્રેસિંગ રૂમમાં મર્યાદિત ઉપયોગની મંજૂરી છે, પરંતુ મેદાનની નજીક તેનો સંપૂર્ણપણે પ્રતિબંધ છે.

Lalit-Modi2
lokmatnews.in

IPL 2026 PMOA પ્રોટોકોલ દસ્તાવેજમાં જણાવાયું છે કે, 'ટીમના અમુક સભ્યો સિવાય PMOAમાં મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સંચાર ઉપકરણોની મંજૂરી નથી. ટીમ મેનેજર ડ્રેસિંગ રૂમમાં ફોનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ડગઆઉટમાં નહીં.'

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સ્ટેડિયમમાં પહોંચ્યા પછી બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે તેમના મોબાઇલ ફોન અને સ્માર્ટવોચ બંધ કરવા પડતા હોય છે અને તેને ટીમના સુરક્ષા સંપર્ક અધિકારી (SLO)ને સાચવવા માટે સોંપવા પડતા હોય છે.

Lalit-Modi3
dnpindiahindi.in

એવામાં જો આ વીડિયોને પુરાવા તરીકે ગણવામાં આવે છે, તો આ મામલો મેચ રેફરી અને ભ્રષ્ટાચાર વિરોધી એકમ સુધી પહોંચી શકે છે. હાલમાં, ફ્રેન્ચાઇઝી અથવા લીગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ મુદ્દા પર સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. હવે બધાની નજર IPL ગવર્નિંગ કાઉન્સિલના નિર્ણય પર છે, જે સમગ્ર મામલાની તપાસ કર્યા પછી આગળનું પગલું નક્કી કરશે.

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.