IPLની 5 મેચમાં એક પણ વિકેટ નહીં છતા બૂમરાહની જગ્યાએ આકિબ નબીની પસંદગી કંઈ રીતે કરી?

ભારતીય ક્રિકેટ ટીમના ઘણા સદસ્યો હાલના દિવસોમાં ગંભીર ઈજાની ચિંતાઓનો સામનો કરી રહ્યા છે. મહત્વના ખેલાડીઓ એક પછી એક ઈજાઓનો ભોગ બની રહ્યા છે. શ્રીલંકામાં 15 ઓગસ્ટથી શરૂ થતી 2 ટેસ્ટ મેચની શ્રેણી પહેલા સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પણ ઈજાને કારણે બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ તેના સ્થાને અનકેપ્ડ આકિબ નબીને દાખલ કર્યો છે. નબીને તેના પ્રસ્થાનના એક દિવસ પહેલા જ તેની પસંદગીના સારા સમાચાર મળ્યા. નબીએ IPL 2026માં દિલ્હી કેપિટલ્સ માટે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ 5 મેચમાં એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો. તો ચાલો આપણે એ જાણી લઈએ કે તેને શા માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો.

Auqib Nabi
bcci.tv

આકિબ નબીનું નામ ભલે કેટલાક ચાહકો માટે નવું હોઈ શકે છે, પરંતુ દિલ્હી કેપિટલ્સની હરાજીમાં જ તે દેખાઈ ગયો હતો. દિલ્હી કેપિટલ્સે હરાજીમાં આકિબ નબી પર રૂ. 8.4 કરોડ ખર્ચ્યા હતા. તેણે 2026માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ 5 મેચમાં એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો હતો. આમ છતાં, તેને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં બેકઅપ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.

Auqib Nabi-Jasprit Bumrah
indiatv.in

હવે પ્રશ્ન એ છે કે પસંદગીકારોએ બુમરાહ જેવા બોલરના સ્થાને આકિબને પસંદ કરવાનું કારણ શું હતું? 29 વર્ષીય ખેલાડીએ 2025-26 રણજી ટ્રોફીમાં પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી જમ્મુ અને કાશ્મીરની ટાઇટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે માત્ર 10 મેચમાં 60 વિકેટ લીધી હતી, જેનાથી પસંદગીકારોનું ધ્યાન ખેંચાયું હતું. આકિબે છેલ્લી બે સીઝનમાં 100 વિકેટ લીધી છે અને તેના સ્થાનિક પ્રદર્શનના આધારે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે.

Jasprit Bumrah
hindi.crictracker.com

ભારતીય ટીમે છેલ્લે 2017માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી, ટીમ ઇન્ડિયામાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે. વર્તમાન ટીમમાં ફક્ત થોડા જ ખેલાડીઓને શ્રીલંકાના ટર્નિંગ ટ્રેક અને ધીમી પિચનો અનુભવ છે. આકિબ નબીએ તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે જઈને 2 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 6 વિકેટ લીધી હતી. 15 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થનારી ટેસ્ટ શ્રેણીમાં તેનો સમાવેશ થશે કે નહીં તે જોવાનું બાકી છે.

About The Author

Related Posts

Top News

IPLની 5 મેચમાં એક પણ વિકેટ નહીં છતા બૂમરાહની જગ્યાએ આકિબ નબીની પસંદગી કંઈ રીતે કરી?

ભારતીય ક્રિકેટ ટીમના ઘણા સદસ્યો હાલના દિવસોમાં ગંભીર ઈજાની ચિંતાઓનો સામનો કરી રહ્યા છે. મહત્વના ખેલાડીઓ એક પછી એક ઈજાઓનો...
Sports 
IPLની 5 મેચમાં એક પણ વિકેટ નહીં છતા બૂમરાહની જગ્યાએ આકિબ નબીની પસંદગી કંઈ રીતે કરી?

શેરબજારમાં ટ્રેડ કરવાનો સમય બદલાયો

ભારતીય શેરબજારના સમયમાં ફેરફાર થયો છે. આ ફેરફાર સોમવાર (3 ઓગસ્ટ, 2026)થી અમલમાં આવશે. બજાર નિયમનકાર SEBI...
Business 
શેરબજારમાં ટ્રેડ કરવાનો સમય બદલાયો

શું મધ્ય પ્રદેશમાં ભાજપના નેતાની નારાજગી ભાજપને જ ભારે પડી, કોંગ્રેસની 6 હજાર મતથી જીત

મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા બેઠક માટે થયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ચૂંટણી હારી...
National 
શું મધ્ય પ્રદેશમાં ભાજપના નેતાની નારાજગી ભાજપને જ ભારે પડી, કોંગ્રેસની 6 હજાર મતથી જીત

બાંકીપુરની હાર ભાજપ માટે કેમ સૌથી મોટો ઝટકો છે? પ્રશાંત કિશોરની જીતથી બિહારમાં શું બદલાવ આવશે?

અત્યાર સુધી, બિહાર વિધાનસભામાં 3 ધારાસભ્યો હતા જેઓ પોતપોતાના પક્ષોના એકમાત્ર પ્રતિનિધિ હતા. હવે, પ્રશાંત કિશોરનું નામ તેમાં...
Politics 
બાંકીપુરની હાર ભાજપ માટે કેમ સૌથી મોટો ઝટકો છે? પ્રશાંત કિશોરની જીતથી બિહારમાં શું બદલાવ આવશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.