રુતુરાજ તો નામનો કેપ્ટન, ધોની જ બધા નિર્ણયો લે છે... લાગેલા આરોપો પર માહીની સ્પષ્ટતા

મહેન્દ્ર સિંહ ધોનીએ એ આરોપોને ફગાવી દીધા કે, રુતુરાજ ગાયકવાડ ફક્ત નામનો કેપ્ટન છે, ચેન્નાઈ સુપર કિંગ્સના બધા નિર્ણયો મહેન્દ્ર સિંહ ધોની લે છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈએ પાંચ IPL ટાઇટલ જીત્યા હતા, પરંતુ તેણે 2024 સીઝન પહેલા ગાયકવાડને કમાન સોંપી દીધી હતી. ધોનીએ કહ્યું કે, ભલે તે ગાયકવાડ સાથે ચર્ચા કરે છે, પણ તે પોતાની સલાહ તેના પર લાદતો નથી.

Ruturaj Gaikwad
india.com

ધોનીએ કહ્યું, '2008માં અમે જે રીતે T-20 રમ્યા હતા અને ગયા વર્ષે IPLમાં અમે જે રીતે રમ્યા હતા, તેમાં ઘણો તફાવત હતો. પહેલા વિકેટો ઘણી ટર્ન થતી હતી, પરંતુ હવે ભારતમાં વિકેટો પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે. તે બેટ્સમેન માટે વધુ અનુકૂળ છે.'

તેમણે કહ્યું, 'રુતુરાજ ઘણા સમયથી અમારી ટીમનો ભાગ છે. તેનો સ્વભાવ ખૂબ જ સારો છે, તે ખૂબ જ શાંત છે, ખૂબ જ ધીરજવાન છે. એટલા માટે અમે તેને કેપ્ટન તરીકે પસંદ કર્યો.'

MS Dhoni, Ruturaj
navbharatlive.com

ધોનીએ કહ્યું, 'મને યાદ છે કે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, મેં તેને કહ્યું હતું કે, જો હું તને સલાહ આપું છું, તો તેનો અર્થ એ નથી કે તારે તેનું પાલન કરવું પડશે. હું શક્ય તેટલું દૂર રહેવાનો પ્રયાસ કરીશ. ઘણા લોકો માનતા હતા કે, હું પડદા પાછળ રહીને નિર્ણયો લઈ રહ્યો છું. પરંતુ સત્ય એ છે કે તે 99 ટકા નિર્ણયો લઈ રહ્યો હતો. સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો, બોલિંગમાં ફેરફાર, ફિલ્ડ પ્લેસમેન્ટ...બધા તેના નિર્ણયો છે. હું ફક્ત તેને મદદ કરું છું, તેણે ખેલાડીને સંભાળવાનું ખૂબ સારું કામ કર્યું.'

ધોનીએ કહ્યું, 'બેટર્સ હવે જોખમ લેવા માટે તૈયાર છે. હવે બેટ્સમેન માને છે કે યોગ્ય ક્રિકેટ શોટથી તેઓ મોટા સ્ટ્રોક રમી શકે છે અને તેઓ તેમના શોટ પસંદગીમાં પણ સુધારો કરી રહ્યા છે, પછી ભલે તે ઝડપી બોલર સામે રિવર્સ સ્કૂપ હોય, સ્વીપ હોય કે ઝડપી બોલર સામે રિવર્સ સ્વીપ હોય.'

MS Dhoni
india.com

તેમણે કહ્યું, 'હું તેમનાથી અલગ નથી. મારે પણ મારી જાતને તેમની અનુરૂપ કરવી પડશે. હું જ્યાં પણ બેટિંગ કરી રહ્યો છું, ત્યાં મારા માટે આ જ મહત્વનું છે. તમારે સુસંગત રહેવાનો પ્રયાસ કરવો પડશે.' મેચ વિશે વાત કરીએ તો, ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને સરળતાથી ચાર વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 155 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ પાંચ બોલ બાકી રહેતા પહેલા છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.