રુતુરાજ તો નામનો કેપ્ટન, ધોની જ બધા નિર્ણયો લે છે... લાગેલા આરોપો પર માહીની સ્પષ્ટતા

મહેન્દ્ર સિંહ ધોનીએ એ આરોપોને ફગાવી દીધા કે, રુતુરાજ ગાયકવાડ ફક્ત નામનો કેપ્ટન છે, ચેન્નાઈ સુપર કિંગ્સના બધા નિર્ણયો મહેન્દ્ર સિંહ ધોની લે છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈએ પાંચ IPL ટાઇટલ જીત્યા હતા, પરંતુ તેણે 2024 સીઝન પહેલા ગાયકવાડને કમાન સોંપી દીધી હતી. ધોનીએ કહ્યું કે, ભલે તે ગાયકવાડ સાથે ચર્ચા કરે છે, પણ તે પોતાની સલાહ તેના પર લાદતો નથી.

Ruturaj Gaikwad
india.com

ધોનીએ કહ્યું, '2008માં અમે જે રીતે T-20 રમ્યા હતા અને ગયા વર્ષે IPLમાં અમે જે રીતે રમ્યા હતા, તેમાં ઘણો તફાવત હતો. પહેલા વિકેટો ઘણી ટર્ન થતી હતી, પરંતુ હવે ભારતમાં વિકેટો પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે. તે બેટ્સમેન માટે વધુ અનુકૂળ છે.'

તેમણે કહ્યું, 'રુતુરાજ ઘણા સમયથી અમારી ટીમનો ભાગ છે. તેનો સ્વભાવ ખૂબ જ સારો છે, તે ખૂબ જ શાંત છે, ખૂબ જ ધીરજવાન છે. એટલા માટે અમે તેને કેપ્ટન તરીકે પસંદ કર્યો.'

MS Dhoni, Ruturaj
navbharatlive.com

ધોનીએ કહ્યું, 'મને યાદ છે કે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, મેં તેને કહ્યું હતું કે, જો હું તને સલાહ આપું છું, તો તેનો અર્થ એ નથી કે તારે તેનું પાલન કરવું પડશે. હું શક્ય તેટલું દૂર રહેવાનો પ્રયાસ કરીશ. ઘણા લોકો માનતા હતા કે, હું પડદા પાછળ રહીને નિર્ણયો લઈ રહ્યો છું. પરંતુ સત્ય એ છે કે તે 99 ટકા નિર્ણયો લઈ રહ્યો હતો. સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો, બોલિંગમાં ફેરફાર, ફિલ્ડ પ્લેસમેન્ટ...બધા તેના નિર્ણયો છે. હું ફક્ત તેને મદદ કરું છું, તેણે ખેલાડીને સંભાળવાનું ખૂબ સારું કામ કર્યું.'

ધોનીએ કહ્યું, 'બેટર્સ હવે જોખમ લેવા માટે તૈયાર છે. હવે બેટ્સમેન માને છે કે યોગ્ય ક્રિકેટ શોટથી તેઓ મોટા સ્ટ્રોક રમી શકે છે અને તેઓ તેમના શોટ પસંદગીમાં પણ સુધારો કરી રહ્યા છે, પછી ભલે તે ઝડપી બોલર સામે રિવર્સ સ્કૂપ હોય, સ્વીપ હોય કે ઝડપી બોલર સામે રિવર્સ સ્વીપ હોય.'

MS Dhoni
india.com

તેમણે કહ્યું, 'હું તેમનાથી અલગ નથી. મારે પણ મારી જાતને તેમની અનુરૂપ કરવી પડશે. હું જ્યાં પણ બેટિંગ કરી રહ્યો છું, ત્યાં મારા માટે આ જ મહત્વનું છે. તમારે સુસંગત રહેવાનો પ્રયાસ કરવો પડશે.' મેચ વિશે વાત કરીએ તો, ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને સરળતાથી ચાર વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 155 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ પાંચ બોલ બાકી રહેતા પહેલા છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

About The Author

Related Posts

Top News

ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું ₹4,08,053 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા માટે...
Gujarat 
ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.