રુતુરાજ તો નામનો કેપ્ટન, ધોની જ બધા નિર્ણયો લે છે... લાગેલા આરોપો પર માહીની સ્પષ્ટતા

મહેન્દ્ર સિંહ ધોનીએ એ આરોપોને ફગાવી દીધા કે, રુતુરાજ ગાયકવાડ ફક્ત નામનો કેપ્ટન છે, ચેન્નાઈ સુપર કિંગ્સના બધા નિર્ણયો મહેન્દ્ર સિંહ ધોની લે છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈએ પાંચ IPL ટાઇટલ જીત્યા હતા, પરંતુ તેણે 2024 સીઝન પહેલા ગાયકવાડને કમાન સોંપી દીધી હતી. ધોનીએ કહ્યું કે, ભલે તે ગાયકવાડ સાથે ચર્ચા કરે છે, પણ તે પોતાની સલાહ તેના પર લાદતો નથી.

Ruturaj Gaikwad
india.com

ધોનીએ કહ્યું, '2008માં અમે જે રીતે T-20 રમ્યા હતા અને ગયા વર્ષે IPLમાં અમે જે રીતે રમ્યા હતા, તેમાં ઘણો તફાવત હતો. પહેલા વિકેટો ઘણી ટર્ન થતી હતી, પરંતુ હવે ભારતમાં વિકેટો પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે. તે બેટ્સમેન માટે વધુ અનુકૂળ છે.'

તેમણે કહ્યું, 'રુતુરાજ ઘણા સમયથી અમારી ટીમનો ભાગ છે. તેનો સ્વભાવ ખૂબ જ સારો છે, તે ખૂબ જ શાંત છે, ખૂબ જ ધીરજવાન છે. એટલા માટે અમે તેને કેપ્ટન તરીકે પસંદ કર્યો.'

MS Dhoni, Ruturaj
navbharatlive.com

ધોનીએ કહ્યું, 'મને યાદ છે કે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, મેં તેને કહ્યું હતું કે, જો હું તને સલાહ આપું છું, તો તેનો અર્થ એ નથી કે તારે તેનું પાલન કરવું પડશે. હું શક્ય તેટલું દૂર રહેવાનો પ્રયાસ કરીશ. ઘણા લોકો માનતા હતા કે, હું પડદા પાછળ રહીને નિર્ણયો લઈ રહ્યો છું. પરંતુ સત્ય એ છે કે તે 99 ટકા નિર્ણયો લઈ રહ્યો હતો. સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો, બોલિંગમાં ફેરફાર, ફિલ્ડ પ્લેસમેન્ટ...બધા તેના નિર્ણયો છે. હું ફક્ત તેને મદદ કરું છું, તેણે ખેલાડીને સંભાળવાનું ખૂબ સારું કામ કર્યું.'

ધોનીએ કહ્યું, 'બેટર્સ હવે જોખમ લેવા માટે તૈયાર છે. હવે બેટ્સમેન માને છે કે યોગ્ય ક્રિકેટ શોટથી તેઓ મોટા સ્ટ્રોક રમી શકે છે અને તેઓ તેમના શોટ પસંદગીમાં પણ સુધારો કરી રહ્યા છે, પછી ભલે તે ઝડપી બોલર સામે રિવર્સ સ્કૂપ હોય, સ્વીપ હોય કે ઝડપી બોલર સામે રિવર્સ સ્વીપ હોય.'

MS Dhoni
india.com

તેમણે કહ્યું, 'હું તેમનાથી અલગ નથી. મારે પણ મારી જાતને તેમની અનુરૂપ કરવી પડશે. હું જ્યાં પણ બેટિંગ કરી રહ્યો છું, ત્યાં મારા માટે આ જ મહત્વનું છે. તમારે સુસંગત રહેવાનો પ્રયાસ કરવો પડશે.' મેચ વિશે વાત કરીએ તો, ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને સરળતાથી ચાર વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 155 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ પાંચ બોલ બાકી રહેતા પહેલા છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

Top News

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Gujarat 
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.