આફ્રિદી કેમ બોલ્યો- BCCI સામે ICC પણ કંઈ નહીં કરી શકે

પાકિસ્તાન તરફથી સતત ધમકીઓ મળ્યા બાદ પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એશિયા કપને લઈને પોતાના મંતવ્ય પર અડગ અને કાયેમ છે. ભરતી ટીમ ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ વન-ડે વર્લ્ડ કપ બહિષ્કાર કરવા સુધીની ધમકી આપી નાખી છે, પરંતુ BCCI તેની વાતો પર મહત્ત્વ આપી રહ્યું નથી. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું કે, પાકિસ્તાને તેની વિરુદ્ધ ઊભું થવું જોઈએ. તેમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ભૂમિકા મહત્ત્વની થઈ જાય છે, પરંતુ તે પણ કંઈ નહીં કરી શકે.

હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના મધ્યસ્થ સિલેક્ટર રહેલા શાહિદ આફ્રિદીને એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર એશિયા કપ 2023ને લઈને ભારતના વિચારો પર સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, જો કોઈ પોતાના પગ પર ઊભું થઈ શકતું નથી તો પછી આ પ્રકારના સખત નિર્ણય લેવાનું સરળ હોતું નથી. તેમણે ઘણી વસ્તુ જોવાની હોય છે. ભારત જો આંખો દેખાડી રહ્યું છે કે એટલું સખત સ્ટેન્ડ લઈ રહ્યું છે તો તેણે પોતાને એટલું મજબૂત બનાવી લીધું છે એટલે તે આ પ્રકારની વાત કરી શકે છે, નહીં તો તેની હિંમત ન થતી.

કુલ મળીને વાત એ છે કે તમારે પોતાને મજબૂત બનાવવાના છે અને પછી નિર્ણય લેવાનો છે. શાહિદ આફ્રિદીએ આગળ કહ્યું કે, મને નથી લાગતું કે ભારત એશિયા કપ માટે પાકિસ્તાન આવશે. શું આપણે ભારતમાં થનારા વન-ડે વર્લ્ડ કપનો બહિષ્કાર કરીશું? પરંતુ આપણે ક્યારેક ને ક્યારેક સ્ટેન્ડ લેવાની જરૂરિયાત હતી. એવામાં ICCની ભૂમિકા મહત્ત્વપૂર્ણ થઈ જાય છે, તેણે આગળ આવવું જોઈએ, પરંતુ હું કહી દઉં કે BCCI સામે ICC પણ કંઈ નહીં કરી શકે.

હાલમાં જ ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ પોતાની યુટ્યુબ ચેનલ પર તેને લઈને પોતાનો વિચાર રાખ્યો હતો. તેણે કહ્યું હતું કે, એશિયા કપ પાકિસ્તાનમાં થવાનો હતો, પરંતુ ભારતે જાહેરાત કરી હતી કે જો તે પાકિસ્તાનમાં થાય છે, તો અમે તેમાં હિસ્સો નહીં લઈએ. જો તમે ઈચ્છો છો કે અમે હિસ્સો લઈએ તો વેન્યુ બદલો, પરંતુ આપણે એમ ઘણી વખત થતા જોયું છે.

જ્યારે આપણે કહીએ છીએ કે, અમે તેમને ત્યાં નહીં જઈએ તો તેઓ કહેશે કે તેઓ પણ આપણે ત્યાં નહીં આવે. આ પ્રકારે પાકિસ્તાને કહ્યું છે કે, તે પણ વર્લ્ડ કપ માટે નહીં આવે, પરંતુ મને લાગે છે કે એ સંભવ નથી. છેલ્લો નિર્ણય એશિયા કપ શ્રીલંકામાં થઈ શકે છે. તે 50 ઓવરના વર્લ્ડ કપ માટે એક મહત્ત્વપૂર્ણ લીડ અપ છે. દુબઈમાં ટૂર્નામેન્ટ થઈ ચૂક્યું છે. જો તેને શ્રીલંકા લઈ જવામાં આવે છે તો મને ખુશી થશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.