શિખર ધવને આયશા મુખર્જી સાથે છૂટાછેડાને લઈને તોડ્યું મૌન

ભારતીય ટીમના સ્ટાર ઑપનર બેટ્સમેન શિખર ધવનને આપણે તેના નીડર અને મજાકિયા અંદાજ માટે જાણીએ છીએ. પછી તે ક્રિકેટના મેદાનમાં હોય કે પછી અંગત જીંદગીમાં. તે પોતાની જિંદગીને ખૂલીને જીવવાનું પસંદ કરે છે. જો કે, હાલના દિવસોમાં તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ તે ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યો છે, તો બીજી તરફ તેની પત્ની આયશા મુખર્જી સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. હાલમાં જ તેણે પોતાની અંગત જિંદગી પર વાત કરતા કેટલાક રહસ્ય ખોલ્યા છે.

આ દરમિયાન તેણે પોતાના છૂટાછેડાને લઈને પણ મૌન તોડ્યું છે. શિખર ધવનનું કહેવું છે કે, તે બીજાઓ પર આંગળી ઉઠાવવાનું પસંદ કરતો નથી, તે આ ફિલ્ડમાં નિષ્ફળ એટલે છે કેમ કે તેને તેનો અનુભવ નથી. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના છૂટાછેડાને લઈને વાત કરતા શિખર ધવને કહ્યું કે, હું ફેલ થયો કેમ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે નિર્ણય લે છે તો અંતિમ નિર્ણય તેનો હોય છે. હું બીજાઓ પર આંગળી ઉઠાવવાનું પસંદ કરતો નથી. હું ફેલ એટલે થયો કેમ કે મને એ ફિલ્ડનો અંદાજો નહોતો.

તેણે આગળ કહ્યું કે, ક્રિકેટની જે વાતો આજે હું કરી રહ્યો છું, એ જ 20 વર્ષ અગાઉ તમે મને પૂછતા આ બધી વાતોની મને જાણકારી ન રહેતી. આ બધી અનુભવની વાત છે. પહેલા એક-બે વર્ષ વ્યક્તિ સાથે વિતાવો, જુઓ કે બંનેના સંસ્કાર મેચ કરે છે કે નહીં. એ પણ એક મેચ જ હતી, હાલમાં મારા છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે, તે પૂરો થયા બાદ જ્યારે મારે લગ્ન કરવા હશે તો હું એ સમયે એ ફિલ્ડમાં વધારે સમજદાર હોઈશ કે મને કયા પ્રકારનો પાર્ટનર જોઈએ, જેની સાથે હું જિંદગી વિતાવી શકું. જો હું લગ્ન કરવા માગું છું.

શિખર ધવને કહ્યું કે, જ્યારે હું 26-27 વર્ષનો હતો અને રમતો આવી રહ્યો હતો તો એ સમયે મારા રિલેશનશીમાં નહોતી. જોકે, મસ્તી કરતા હતા. જ્યારે હું પ્રેમમાં પડ્યો, તો રેડ ફ્લેગ્સ ન જોઈ શક્યો, પરંતુ હવે જો પ્રેમમાં પડીશ તો એ રેડ ફ્લેગ્સને જોઈ શકીશ. જો રેડ ફ્લેગ્સ હશે તો હું તેનાથી બહાર આવીશ. ઉલ્લેખનીય છે કે, શિખર ધવન, આયશા મુખર્જી સાથે વર્ષ 2012માં લગ્નના બંધનમાં બંધાયો હતો. આયશાના આ બીજા લગ્ન હતા. આ લગ્નથી ધવનને એક દીકરો છે, જેનો જન્મ વર્ષ 2014માં થયો હતો.

શિખર ધવનના દીકરાનું નામ જોરાવર છે. સપ્ટેમ્બર 2021માં એવા સમાચાર સામે આવ્યા કે આ બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. હાલમાં તેમના છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે, એવામાં જોરાવર પોતાની માતા આયશા સાથે મેલબર્નમાં રહે છે. ધવન મોટાભાગે તેને મળવા ત્યાં જાય છે. ધવને કહ્યું કે, લગ્ન મારા માટે એક બાઉન્સર હતો અને તેને હું માથા પર ખાઈ બેઠો. આ ચારેય ખાના ચિત્ત. હારવું પણ જરૂરી છે, પરંતુ હાર સ્વીકારવાનું શીખો. મારાથૂ ભૂલ થઈ અને માણસ ભૂલથી જ શીખે છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.