અખ્તરે પોતાની નિવૃત્તિ માટે ભારતના આ બે ખેલાડીઓને જવાબદાર ગણાવ્યા

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને વિશ્વ ક્રિકેટનો સૌથી ખતરનાક બોલર માનવામાં આવતો હતો. અખ્તર પોતાની સ્પીડ અને આક્રમકતાથી બેટ્સમેનોને પ્રેશરમાં લાવતો હતો. સાથે જ ઘણીવાર પોતાની ઘાતક બોલિંગથી બેટ્સમેનોને ઈંજર્ડ પણ કર્યા છે. અખ્તરે પોતાના કરિયરના દિવસોમાં ઘણાં ભારતીય બેટ્સમેનોને પણ ચકમો આપ્યો છે. હાલમાં જ તેણે ખુલાસો કર્યો કે કયા એ બે ભારતીય બેટ્સમેનો હતા, જે તેને આખો દિવસ થકવતા હતા અને તેણે એ બે ખેલાડીઓને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું એક કારણ પણ ગણાવ્યા.

46 વર્ષીય પાકિસ્તાની બોલરે હંમેશા સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડ જેવા ભારતના દિગ્ગજ બેટ્સમેનોની પ્રશંસા કરી છે. રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા અખ્તરે હાલમાં જ ખુલાસો કર્યો કે આ બંને ભારતીય મહાન ખેલાડીઓ તેનો ખૂબ સામનો કરતા હતા અને આ બાબત તેને નિરાશ કરતી હતી.

IPL 2022માં આજે રમાનારી કેકેઆર અને પંજાબ કિંગ્સની વચ્ચે થનારી મેચનો પ્રીવ્યૂ કરતા અખ્તરે કહ્યું કે, મારી નિવૃત્તિનું એક મોટું કારણ એ પણ હતું કે હવે હું જલદી નહોતો ઊઠી શકતો. હું પાછલા 25 વર્ષોથી સવારે 6 વાગ્યાથી જાગી રહ્યો હતો અને પછી સચિન તથા દ્રવિડ જેવા બેટ્સમેનો સામે બોલિંગ કરતો હતો. જેઓ મને આખો દિવસ થકવતા હતા. તો આ મારા રિટાયરમેન્ટનું એક મુખ્ય કારણ હતું કે બસ હવે સવારમાં વહેલું ઉઠાતું નથી.

હરભજન સિંહે હાલમાં અખ્તરનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, જ્યારે હું પાકિસ્તાન ટૂર પર ગયો હતો ત્યારે બધા ખેલાડીઓ બસ દ્વારા મેદાનમાં આવ્યા હતા. જોકે એક ખેલાડીએ જોન અબ્રાહમની જેમ લેધર જેકેટ અને હેલમેટ પહેરીને એન્ટ્રી કરી હતી. અમે લોકો હેરાન હતા કે કોઇ બાઈક પર સવાર થઇને મેદાને કઇ રીતે આવી શકે છે. પણ તેમણે જેવું હેલમેટ ઉતાર્યું તો અમને ખબર પડી કે તે શોએબ અખ્તર હતા. આખી ટીમ બસમાં આવી હતી પણ તેમણે તેમના અંદાજમાં એન્ટ્રી લીધી હતી.

હરભજન સિંહે આ વાત તેના 2004ના પાકિસ્તાન પ્રવાસને યાદ કરતા કહી હતી.

About The Author

Top News

Xiaomi 17 સીરિઝ ભારતમાં લોન્ચ, ફીચર્સ છે જબરદસ્ત, પણ ભાવ જાણીને લેવાનો વિચાર માંડી વાળશો

Xiaomiએ આજે ​​ભારતમાં તેની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ, Xiaomi 17 સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝમાં બે...
Tech and Auto 
Xiaomi 17 સીરિઝ ભારતમાં લોન્ચ, ફીચર્સ છે જબરદસ્ત, પણ ભાવ જાણીને લેવાનો વિચાર માંડી વાળશો

સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું. સમગ્ર ટૂર્નામેન્ટ...
Sports 
સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.