ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજી મેચ પણ કન્ફર્મ! જાણો એશિયા કપના સમીકરણો

એશિયા કપ 2023માં સુપર-4નો રોમાંચ હવે બમણો થઈ ગયો છે. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે. ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પરંતુ બીજી વખત સુપર-4માં મુકાબલો થયો, જેમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું.

ODI ઈતિહાસમાં પાકિસ્તાન સામે રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે. આ મેચ સાથે જ સુપર-4ના પોઈન્ટ ટેબલમાં ઉત્તેજના વધી ગઈ છે. પરંતુ તેની સાથે જ ફેન્સ માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે.

હકીકતમાં, ક્રિકેટ ચાહકો હવે આ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી શાનદાર મેચ પણ જોઈ શકશે. બંને ટીમો વચ્ચે આ ટક્કર ટૂર્નામેન્ટની ફાઈનલમાં થઈ શકે છે. આ ટાઈટલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં જ રમાશે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ આજે (12 સપ્ટેમ્બર) શ્રીલંકા સામે સુપર-4માં પોતાની બીજી મેચ રમવાની છે. આ મેચ જીતીને ભારતીય ટીમ ફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરી લેશે. જો આમ થશે તો સુપર-4માં પાકિસ્તાને તેની છેલ્લી મેચમાં શ્રીલંકાને હરાવવું પડશે. જો બંને મેચ આ પ્રકારના પરિણામ આપે છે, તો ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર નિશ્ચિત થઈ જશે.

સુપર-4નું વર્તમાન પોઈન્ટ ટેબલ: ભારત- 1 મેચ- 2 પોઈન્ટ, 4.560 નેટ રનરેટ, શ્રીલંકા- 1 મેચ- 2 પોઈન્ટ, 0.420 નેટ રનરેટ, પાકિસ્તાન- 2 મેચ- 2 પોઈન્ટ, -1.892 નેટ રનરેટ, બાંગ્લાદેશ- 2 મેચ - 0 પોઈન્ટ, -0.749 નેટ રનરેટ.

પાકિસ્તાનને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમે સુપર-4 રાઉન્ડમાં વધુ બે મેચ રમવાની છે. આ રાઉન્ડમાં ટીમની બીજી મેચ આજે (12 સપ્ટેમ્બર) શ્રીલંકા સામે રમાવાની છે. આ પછી ત્રીજી મેચ બાંગ્લાદેશ (15 સપ્ટેમ્બર) સામે થશે. જ્યારે પાકિસ્તાનની છેલ્લી મેચ 14 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે છે.

ભારત અને પાકિસ્તાનનું ફાઈનલમાં પહોંચવાનું સમીકરણઃ જો ભારતીય ટીમ તેની આગામી મેચમાં શ્રીલંકાને હરાવશે તો ફાઇનલમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. આ પછી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સાથે પણ મેચ રમવી પડશે, જે ફક્ત ઔપચારિકતા પૂરતું હશે.

પાકિસ્તાને તેની છેલ્લી મેચ 14 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે રમવાની છે. બાબર આઝમની ટીમને ફાઇનલમાં પહોંચવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. જો પાકિસ્તાન આ મેચ જીતશે તો ફાઇનલમાં ભારત સાથે ટક્કર થશે.

જો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો બંને ટીમોના 3-3 પોઈન્ટ્સ બરાબર થઈ જશે. પછી નેટ રન રેટ જોવામાં આવશે. તે સ્થિતિમાં, શ્રીલંકા ક્વોલિફાય થશે કારણ કે તેનો નેટ રન રેટ વધુ સારો છે.

જો શ્રીલંકા આગામી મેચમાં ભારતને હરાવશે તો ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પહોંચવાની પૂરી આશા હશે. પરંતુ પાકિસ્તાને ફાઈનલ માટે તેની આગામી મેચમાં શ્રીલંકાને મોટા અંતરથી હરાવવું પડશે.

એશિયા કપ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, K.L. રાહુલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણ.

એશિયા કપ માટેની પાકિસ્તાનની ટીમઃ અબ્દુલ્લા શફીક, ફખર જમાં, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), સલમાન અલી આગા, ઈફ્તિખાર અહેમદ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ નવાઝ, ઉસમા મીર, ફહીમ અશરફ, હારિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદી.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.