ભારતીય ટીમમાં મારા જેવી બેટિંગ કરનાર કોઈ બેટ્સમેન નથીઃ વીરેન્દ્ર સેહવાગ

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ તેમના સમય દરમિયાન પોતાની શાનદાર બેટિંગ માટે જાણીતા હતા. હાલમાં જ તેણે એક મોટું નિવેદન આપ્યું છે કે, હાલમાં ભારતીય ટીમમાં તેના જેવી બેટિંગ કરનાર કોઈ ખેલાડી નથી.

વીરેન્દ્ર સેહવાગ જ્યારે ભારતીય ટીમ માટે ઓપનરની ભૂમિકા ભજવતો હતો ત્યારે તેણે ધમાકેદાર બેટિંગ કરીને ક્રિકેટની દુનિયામાં એક અલગ જ ક્રાંતિ લાવી દીધી હતી. બોલરો પર શરૂઆતથી જ પ્રભુત્વ જમાવતા તેણે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે બે ત્રિપલ સદી અને છ બેવડી સદી છે.

આ જ કારણ છે કે, આજના સમયમાં જ્યારે કોઈપણ યુવા બેટ્સમેન ઊંચા સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે ત્યારે તેની સરખામણી સેહવાગ સાથે કરવામાં આવે છે. પરંતુ પૂર્વ દિગ્ગજ ઓપનર પોતે માને છે કે હાલમાં ભારતીય ટીમમાં તેના જેવો ઝડપી બેટિંગ કરનાર કોઈ બેટ્સમેન નથી.

વિરેન્દ્ર સેહવાગે પૃથ્વી શો અને રિષભ પંતને વર્તમાન ખેલાડીઓમાં સામેલ કર્યા છે, જેઓ તેની રમતની શૈલીની નજીક આવ્યા છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન સેહવાગે કહ્યું કે, 'મને નથી લાગતું કે ભારતીય ટીમમાં મારા જેવી બેટિંગ કરી શકે તેવું કોઈ છે. મારા મગજમાં બે ખેલાડીઓ પૃથ્વી શૉ અને રિષભ પંત છે. મને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટમાં હું જે રીતે બેટિંગ કરતો હતો, ઋષભ પંત તેનાથી થોડો નજીક છે, પરંતુ તે 90-100થી સંતુષ્ટ છે, પરંતુ હું 200, 250 અને 300 રન બનાવતો હતો અને પછી સંતુષ્ટ થઈ જતો હતો. જો તે તેની રમતને તે સ્તર પર લઈ જશે તો મને લાગે છે કે તે ચાહકોનું વધુ મનોરંજન કરી શકશે.

ભૂતપૂર્વ ભારતીય ઓપનર ઘણીવાર સદીની નજીક હતો ત્યારે પણ ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં ડરતો ન હતો. પોતાની માનસિકતા વિશે વાત કરતાં સેહવાગે કહ્યું, 'હું ટેનિસ બોલ ક્રિકેટ રમતો હતો જ્યાં મારી માનસિકતા બાઉન્ડ્રી દ્વારા વધુ રન ફટકારવાની હતી. હું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક જ ટેમ્પ્લેટ સાથે રમતો હતો અને ગણતરી કરતો હતો કે મને સદી કરવા માટે કેટલી બાઉન્ડ્રીની જરૂર છે. જો હું 90 રન પર બેટિંગ કરી રહ્યો હોઉં અને જો હું 100 સુધી પહોંચવા માટે 10 બોલ લઉ, તો વિરોધી ટીમ પાસે મને આઉટ કરવા માટે 10 બોલ છે, તેથી જ હું બાઉન્ડ્રી માટે જતો હતો અને મને ત્રણ આંકડાના સ્કોર સુધી પહોંચતો રોકવા માટે તેમની પાસે માત્ર બે બોલ રહેતી હતી. એટલે કે હવે જોખમ ટકાવારી દર 100 થી ઘટીને 20 પર આવી ગઈ.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.