2023 ક્રિકેટ વર્લ્ડ કપ માટે આ બે જગ્યા છે પાકિસ્તાનની ફેવરિટ

On

ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા વનડે વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની પહેલી પસંદ ચેન્નઈનું ચેપક અને બીજું કોલકાતાનું ઈડન ગાર્ડન્સ છે. આ બે સ્ટેડિયમમાં પાકિસ્તાન પોતાની મોટાભાગની મેચો રમી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના સુત્રોએ જણાવ્યું કે, પહેલા પ્રવાસમાં પણ પાકિસ્તાને આ બંને જગ્યા પર સુરક્ષિત અનુભવ કર્યો હતો. ક્રિકેટ વર્લ્ડ કપની મેચ પાંચ ઓક્ટોબરથી શરૂ થવાની સંભાવના છે. આ દરમિયાન 46 મેચો રમાશે, જે 12 શહેરોમાં રમવામાં આવી શકે છે. તેમા અમદાવાદ, લખનૌ, મુંબઈ, રાજકોટ, બેંગલુરુ, દિલ્હી, ઇન્દૌર, ગુવાહાટી અને હૈદરાબાદ સામેલ છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મુદ્દા પર ICC ના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. આ મામલા સાથે સંકળાયેલા ICC ના એક સુત્રએ PTI ને જણાવ્યા અનુસાર, ઘણુ બધુ એ વાત પર નિર્ભર કરે છે કે BCCI અને ભારત સરકાર શું નિર્ણય લે છે? પરંતુ, પાકિસ્તાન વર્લ્ડ કપની પોતાની મોટાભાગની મેચો કોલકાતા અને ચેન્નઈમાં રમવાનું પસંદ કરશે. આ સુત્રએ કહ્યું, પાકિસ્તાનના ખેલાડી 2016માં રમાયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન ભારત વિરુદ્ધ કોલકાતામાં મેચ દરમિયાન સુરક્ષાને લઇને ખુશ દેખાયા હતા. ચેન્નઈ પાકિસ્તાન માટે યાદગાર સ્થળ છે.

તેમજ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચોને આયોજિત કરાવવી ICC માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. અહીં દર્શકોની ક્ષમતા 132000 છે. પરંતુ, આ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ રમવામાં આવશે એમાં ભારત-પાકિસ્તાનની મેચનું આયોજન કોઇ અન્ય સ્થળ પર થશે. ICC આવનારા કેટલાક મહિનાઓમાં BCCI સાથે મળીને વર્લ્ડ કપનો કાર્યક્રમ તૈયાર કરશે.

ICC ના મહાપ્રબંધક વસીમ ખાને હાલમાં કહ્યું હતું કે, પાકિસ્તાન વર્લ્ડ કપ દરમિયાન પોતાની મેચોને બાંગ્લાદેશમાં રમી શકે છે. પરંતુ, PCB અધ્યક્ષ નઝમ શેઠી અને ICCએ તેને બકવાસ વાત કહી હતી. પાકિસ્તાને 2011 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ સેમીફાઇનલ મેચ મોહાલીમાં રમી હતી. તેનો ઈરાદો પાકિસ્તાનના પ્રશંસકો માટે સ્ટેડિયમ આવવું સરળ બનાવવાનો હતો. પરંતુ, આ વખતે મોહાલી BCCI ના વર્લ્ડ કપ વેન્યૂની યાદીમાં નથી.

એશિયા કપને લઇને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે પાકિસ્તાનથી સમાચાર આવ્યા હતા કે જો ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ એશિયા કપ માટે નહીં કરશે તો પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડ કપ માટે ભારત આવવાનો ઇન્કાર કરી શકે છે. જોકે, પાકિસ્તાનને જલ્દી જ એહસાસ થઈ ગયો કે તે હાલ ભારતની સાથે આ મામલા પર ટકરાવ ઝેલવાની સ્થિતિમાં નથી. પછી PCB અધિકારી એવુ કહેવા માંડ્યા કે તેમના તરફથી ક્યારેય વર્લ્ડ કપના બહિષ્કારની વાત કહેવામાં નથી આવી.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.