Video: શાર્દુલ ઠાકુરે જણાવ્યું કેવી રીતે તે દર વખતે વિકેટ લેવામાં થાય છે સફળ

પ્રથમ વન-ડેમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યા બાદ બીજી મેચમાં પણ ભારતે ઝિમ્બાબ્વેનો તે જ હાલ કર્યો હતો. 146 બોલ રહેતા 5 વિકેટથી મેચ તો જીતી જ લીધી, સાથે જ સીરિઝમાં પણ 2-0 થી અજેય વૃદ્ધિ કરી છે. બીજી વન-ડેમાં દીપક ચાહરના સ્થાને શાર્દુલ ઠાકુરને રમવાની તક મળી હતી અને તેને આ તકને બેકાર નથી જવા દીધી. શાર્દુલે મેચમાં શાનદાર બોલિંગ કરી અને સૌથી વધુ 3 વિકેટ લીધી. મેચના પછી મોહમ્મદ સિરાજે BCCI ટીવી માટે શાર્દુલ ઠાકુરનો ઇન્ટરવ્યૂ લીધો અને તેને વિકેટ લેવાનું રાજ પૂછ્યું, તેના પર શાર્દુલે ખૂબ જ ઇન્ટરરેસ્ટિંગ જવાબ આપ્યો.

શાર્દુલ ઠાકુરે બીજી વન-ડેમાં 7 ઓવરમાં 38 રન આપીને 3 વિકેટ લીધી હતી. શાર્દુલને ‘મેન વિદ ધ ગોલ્ડન આર્મ’ કહેવાય છે. એટલે કે, જ્યારે કેપ્ટનને વિકેટની જરૂર હોય અને બોલ તેને આપવામાં આવે તો, પરિણામ ટીમના પક્ષમાં જ આવે છે. તે મહત્તમ અવસરે વિકેટ હાંસલ કરવામાં સફળ રહે છે.

યોગ્ય લેન્થ પર બોલ ફેંકવાનો પ્લાન હતો: શાર્દુલ

શાર્દુલ ઝિમ્બાબ્વેના વિરુદ્ધ પહેલી વન-ડે મેચ નહોતો રમ્યો, તેને બીજી મેચમાં દીપક ચહરની જગ્યાએ પ્લેઇંગ XIમા શામેલ કરવામાં આવ્યો હતો. આના પર સિરાજે ઇન્ટરવ્યૂમાં તેને પ્રશ્ન પૂછ્યો કે, તમે પહેલી વન-ડે રમી ન હતી, બીજી મેચ માટે કેવી રીતે તૈયારી કરી? શું પ્લાન હતો આ મેચ માટે? તેના પર શાર્દુલે કહ્યું કે, ‘હું ફર્સ્ટ ચેન્જ પર બોલિંગ માટે આવ્યો હતો. તેના પહેલા સિરાજ અને પ્રસિદ્ધને બોલિંગ કરતા જોઈ રહ્યો હતો. તમારા લોકોની બોલિંગની જે લાઈન-લેન્થ હતી. તેને જોયું અને પછી તે જ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે, કંઈ લેન્થ પર બેટ્સમેનને રમવામાં પરેશાની થઇ રહી છે. બસ, આ જ સિમ્પલ પ્લાન હતો.’

‘ભગવાનની કૃપા છે કે વિકેટ મળ્યા છે’

આના પછી સિરાજે તેને બીજો પ્રશ્ન પૂછ્યો કે, તમે જ્યારે પણ બોલિંગ માટે આવો છો, ટીમને બ્રેકથ્રુ અપાવો છો, તેનું શું રહસ્ય છે? આના પર શાર્દુલે કહ્યું કે, ‘પ્રયત્ન તો હંમેશાં વિકેટ લેવાનો જ રહે છે, તેના પર થોડી ભગવાનની કૃપા છે કે, વિકેટ મળી રહ્યા છે. આ સારું જ છે, જેવી રીતે પણ વિકેટ મળી રહી છે. કેમ કે, આનાથી ટીમને લાભ થશે. મારો હંમેશાં પ્રયત્ન રહે છે કે હું મેચ વિનિંગ પર્ફોમન્સ આપું.’

સીમ પોઝિશન પર કામ કરી રહ્યો છું : સિરાજ

આના પછી શાર્દુલે સિરાજને પ્રશ્ન પૂછ્યો કે, તમે પણ હંમેશાં વિકેટ લેવામાં સફળ રહો છો, તમે પણ ‘મેન વિદ ગોલ્ડન આર્મ’ છો. એવો શું હાથમાં જાદુ છે કે, તમારી આંગળીઓમાં બોલ બંને બાજુએ સ્વીંગ થાય છે? આના પર સિરાજે જવાબ આપ્યો કે, ‘હું સીમ પર બોલને ફેંકવાનો પ્રયત્ન કરું છું. નેટ્સ પર પણ હું આની જ પ્રેક્ટિસ કરી રહ્યો છું. ખાસ રીતે આઉટ સ્વિંગની અને હાલમાં બોલ હાથમાંથી સારી રીતે રીલિઝ થઇ રહી છે અને મેચમાં પણ આવું જ થઇ રહ્યું છે. એટલે જ વિકેટ લેવામાં સફળ થઇ રહ્યો છું.’

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.