મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન થઇ ગયા છે, અને શુક્રવારે, આ સંકટને કારણે, થાકેલા ખેડૂતોએ રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં સહકારી બજાર સમિતિની કચેરીમાં તેમના આધાર કાર્ડ અને જમીન દસ્તાવેજની ઝેરોક્ષ દોરીથી બાંધવાનું શરૂ કર્યું, એવી આશામાં કે કોઈક દિવસ તો તેમની વિનંતી સાંભળવામાં આવશે અને રવિ પાક માટે યુરિયા ખાતર ઉપલબ્ધ થશે.

હવે જોવાનું એ રહ્યું કે, આ અનોખી રીતના કારણે ખેડૂતોને કેટલી સફળતા મળે છે, પરંતુ મંદિરમાં ઇચ્છાઓ માટે બાંધવામાં આવતી ચિઠ્ઠીઓની જેમ ઓફિસમાં આવી સ્લિપ બાંધવાથી એ સંકેત મળે છે કે, જિલ્લામાં યુરિયા ખાતરનું સંકટ છે અને તેના કારણે ખેડૂતો ચિંતિત છે.

ખેડૂતો કહે છે કે, જ્યારે પણ અરાજકતા છવાઈ ગઈ હોય છે અને ત્યારે સિસ્ટમ કામ નહીં કરે ત્યારે વિરોધ તો થવાનો જ છે. રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં, શુક્રવારે સવારે 8 વાગ્યાથી જ સહકારી બજાર સમિતિની કચેરી સામે ખેડૂતોની ભીડ એકઠી થવા લાગી.

Urea-Crisis1
bhaskar.com

ઘણા ખેડૂતો અને મહિલાઓ, પોતાનો વારો આવવાની આશામાં, જમીન પર પોતાના દસ્તાવેજો મૂકવાનું શરુ કર્યું અને તેની એક કતાર લાગી ગઈ. પવનથી કાગળો ઉડી ન જાય તે માટે, તેમને પથ્થરોથી બાંધીને રાખવામાં આવ્યા.

સવારે 11 વાગ્યાની આસપાસ જ્યારે બારી ખુલી, ત્યારે અંધાધૂંધી સર્જાઈ ગઈ. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે બે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા, પરંતુ તેઓ પણ આ અવ્યવસ્થાને સંભાળવા માટે અસમર્થ રહ્યા હતા.

ખેડૂત દિલીપ સિંહે કહ્યું, 'હું બે-ત્રણ દિવસથી લાઈનમાં ઉભો છું, આવું દરરોજ થઈ રહ્યું છે. ખેડૂતો નારાજ છે. સમિતિએ પોતાના ખુદના નિયમો બનાવ્યા છે, ક્યારેક તેઓ ચાર થેલી યુરિયા આપે છે, તો ક્યારેક એક થેલી, અને હવે તો તે પણ ઉપલબ્ધ નથી.'

ખેડૂત શિવસિંહ ચૌહાણે સમજાવ્યું કે, આ જે લાંબી લાઈનો લાગી રહી છે તે કૃષિ વિભાગના પરિણામે છે, જે ખેડૂતોને મદદ કરી રહ્યું નથી, અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

Urea-Crisis2
bhaskar.com

કૃષિ વિસ્તરણ અધિકારીએ ભૂલ કરી છે. જ્યારે, માર્કેટિંગ મેનેજર ગંગાધર ડાંગીએ જણાવ્યું હતું કે, ખેડૂતો સવારે વહેલા આવી જાય છે અને લાઈનમાં ઉભા રહે છે, અને તેમને દરરોજ ખાતર મળી રહ્યું છે. ખેડૂતો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શુક્રવારે લગભગ 150 ટન ખાતર આવ્યું છે અને તેને આપવામાં આવી રહ્યું છે. પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ છે.

ખાતર કેન્દ્રના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, ખેડૂતોને નિયમો મુજબ ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે ખેડૂતો લાઈનમાં બાકી રહી ગયા છે તેમને બીજા દિવસે તેમના વારો પહેલા આવે તે રીતે ખાતર પૂરું પાડવામાં આવી રહ્યું છે.

એક ખેડૂતને બે થેલી યુરિયા આપવામાં આવી રહી છે. શુક્રવારે, લગભગ 1,530 થેલી ખાતર ઉપલબ્ધ હતું અને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. ખેડૂતો સિવાય અન્ય કોઈ લાઇનમાં ઉભા ન રહે તેને રોકવા માટે અમે જમીન દસ્તાવેજની ઝેરોક્ષ માંગી રહ્યા છીએ, જેથી કરીને તેને કાળાબજારમાં વેચવામાં ન આવે.

About The Author

Top News

ગુજરાત તરફ આવતા થાઈલેન્ડના જહાજ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલો

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં બુધવારે એક મોટી દરિયાઈ દુર્ઘટના ઘટી છે. થાઈલેન્ડનો ધ્વજ ધરાવતું અને ગુજરાત તરફ આવી રહેલું એક માલવાહક...
World 
ગુજરાત તરફ આવતા થાઈલેન્ડના જહાજ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલો

ગોપાલના આરોપો.. ભાજપે રાજકોટ અને સુરતમાં ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કર્યા છે પણ...

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૂંટાયા બાદ ગુજરાતમાં ખૂબ જ સક્રિય દેખાઈ...
Gujarat 
ગોપાલના આરોપો.. ભાજપે રાજકોટ અને સુરતમાં ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કર્યા છે પણ...

નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!

નિર્લિપ્ત રાયનું નામ આવતા જ ગુનેગારોમાં તો ફફડાટ ફેલાઇ જ જાય છે પરંતુ તેમનાથી નેતાઓ અને તેમના ડિપાર્ટમેન્ટની પોલીસ પણ...
Opinion 
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!

દેશમાં પહેલીવાર કોર્ટે હરીશ રાણાને ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી, એવી છે કહાની કે જજ પણ રડી પડ્યા

ગાઝિયાબાદના હરીશ રાણાને સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી છે. દેશમાં આ પહેલો એવો કેસ છે જેમાં ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપવામાં...
National 
દેશમાં પહેલીવાર કોર્ટે હરીશ રાણાને ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી, એવી છે કહાની કે જજ પણ રડી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.