મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન થઇ ગયા છે, અને શુક્રવારે, આ સંકટને કારણે, થાકેલા ખેડૂતોએ રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં સહકારી બજાર સમિતિની કચેરીમાં તેમના આધાર કાર્ડ અને જમીન દસ્તાવેજની ઝેરોક્ષ દોરીથી બાંધવાનું શરૂ કર્યું, એવી આશામાં કે કોઈક દિવસ તો તેમની વિનંતી સાંભળવામાં આવશે અને રવિ પાક માટે યુરિયા ખાતર ઉપલબ્ધ થશે.

હવે જોવાનું એ રહ્યું કે, આ અનોખી રીતના કારણે ખેડૂતોને કેટલી સફળતા મળે છે, પરંતુ મંદિરમાં ઇચ્છાઓ માટે બાંધવામાં આવતી ચિઠ્ઠીઓની જેમ ઓફિસમાં આવી સ્લિપ બાંધવાથી એ સંકેત મળે છે કે, જિલ્લામાં યુરિયા ખાતરનું સંકટ છે અને તેના કારણે ખેડૂતો ચિંતિત છે.

ખેડૂતો કહે છે કે, જ્યારે પણ અરાજકતા છવાઈ ગઈ હોય છે અને ત્યારે સિસ્ટમ કામ નહીં કરે ત્યારે વિરોધ તો થવાનો જ છે. રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં, શુક્રવારે સવારે 8 વાગ્યાથી જ સહકારી બજાર સમિતિની કચેરી સામે ખેડૂતોની ભીડ એકઠી થવા લાગી.

Urea-Crisis1
bhaskar.com

ઘણા ખેડૂતો અને મહિલાઓ, પોતાનો વારો આવવાની આશામાં, જમીન પર પોતાના દસ્તાવેજો મૂકવાનું શરુ કર્યું અને તેની એક કતાર લાગી ગઈ. પવનથી કાગળો ઉડી ન જાય તે માટે, તેમને પથ્થરોથી બાંધીને રાખવામાં આવ્યા.

સવારે 11 વાગ્યાની આસપાસ જ્યારે બારી ખુલી, ત્યારે અંધાધૂંધી સર્જાઈ ગઈ. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે બે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા, પરંતુ તેઓ પણ આ અવ્યવસ્થાને સંભાળવા માટે અસમર્થ રહ્યા હતા.

ખેડૂત દિલીપ સિંહે કહ્યું, 'હું બે-ત્રણ દિવસથી લાઈનમાં ઉભો છું, આવું દરરોજ થઈ રહ્યું છે. ખેડૂતો નારાજ છે. સમિતિએ પોતાના ખુદના નિયમો બનાવ્યા છે, ક્યારેક તેઓ ચાર થેલી યુરિયા આપે છે, તો ક્યારેક એક થેલી, અને હવે તો તે પણ ઉપલબ્ધ નથી.'

ખેડૂત શિવસિંહ ચૌહાણે સમજાવ્યું કે, આ જે લાંબી લાઈનો લાગી રહી છે તે કૃષિ વિભાગના પરિણામે છે, જે ખેડૂતોને મદદ કરી રહ્યું નથી, અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

Urea-Crisis2
bhaskar.com

કૃષિ વિસ્તરણ અધિકારીએ ભૂલ કરી છે. જ્યારે, માર્કેટિંગ મેનેજર ગંગાધર ડાંગીએ જણાવ્યું હતું કે, ખેડૂતો સવારે વહેલા આવી જાય છે અને લાઈનમાં ઉભા રહે છે, અને તેમને દરરોજ ખાતર મળી રહ્યું છે. ખેડૂતો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શુક્રવારે લગભગ 150 ટન ખાતર આવ્યું છે અને તેને આપવામાં આવી રહ્યું છે. પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ છે.

ખાતર કેન્દ્રના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, ખેડૂતોને નિયમો મુજબ ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે ખેડૂતો લાઈનમાં બાકી રહી ગયા છે તેમને બીજા દિવસે તેમના વારો પહેલા આવે તે રીતે ખાતર પૂરું પાડવામાં આવી રહ્યું છે.

એક ખેડૂતને બે થેલી યુરિયા આપવામાં આવી રહી છે. શુક્રવારે, લગભગ 1,530 થેલી ખાતર ઉપલબ્ધ હતું અને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. ખેડૂતો સિવાય અન્ય કોઈ લાઇનમાં ઉભા ન રહે તેને રોકવા માટે અમે જમીન દસ્તાવેજની ઝેરોક્ષ માંગી રહ્યા છીએ, જેથી કરીને તેને કાળાબજારમાં વેચવામાં ન આવે.

About The Author

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.