શું કોહલી માતાના કારણે ટેસ્ટથી થયો બહાર, ભાઈ વિકાસ કોહલીએ જણાવ્યું સત્ય

ભારતીય ક્રિકેટ ફેન્સ એ સમયે હેરાન રહી ગયા, જ્યારે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ન ગયો અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂઆતી 2 ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ લઈ લીધું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નિવેદન જાહેર કરતા કહ્યું કે, આ વિરાટ કોહલીનો અંગત મામલો છે. તેના પર અફવા ઉડાવવામાં ન આવે. તેની ગોપનિયતાનું સન્માન કરો. એ પોતાની જાતમાં હેરાન કરનારું હતું કેમ કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝ મહત્ત્વપૂર્ણ હતી અને સાથે તેની પૂરી સંભાવના હતી કે તે રામ મંદિર માટે અયોધ્યા જશે.

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી બહાર થવાને લઈને ઘણા પ્રકારની વાતો ચાલી રહી છે. કેટલાકે દાવો કર્યો કે એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે અને સંભવતઃ કોઈ પરેશાની થઈ છે. આ કારણે કોહલી અચાનક મેચથી બહાર થઈ ગયો. થોડા દિવસો બાદ જ વધુ એક સમાચાર ચાલવા લાગ્યા કે વિરાટ કોહલીની માતાની તબિયત સારી નથી. તેનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે ક્રિકેટરે એમ કરવું પડ્યું. જો કે, આ બંને જ બાબતે વિરાટ કોહલી અને તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

 
 
 
View this post on Instagram

A post shared by Vikas Kohli (@vk0681)

હવે વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની માતા સરોજ કોહલીના સ્વાસ્થ્ય સંબંધિત અફવાઓનું ખંડન કર્યું છે. તેણે ફેન્સને ઉચિત જાણકારી વિના નકલી સમાચારો ન ફેલાવવાનો આગ્રહ કર્યો. એવી અફવાઓ હતી કે વિરાટ કોહલીએ પોતાની માતાની બીમારીના કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી 2 ટેસ્ટ મેચોથી બ્રેક માગ્યો હતો. વિકાસ કોહલીએ લખ્યું કે, મેં જોયું છે કે અમારી માતાના સ્વાસ્થ્ય બાબતે આ ફેક ન્યૂઝ ચારે તરફ ફેલાઈ રહ્યા છે, હું સ્પષ્ટ કરી દઉં કે અમારી માતા એકદમ ફિટ અને સારા છે.સાથે જ હું બધાને અને મીડિયાને પણ અનુરોધ કર્યો કે ઉચિત જાણકારી વિના એવા સમાચારો ન ફેલાવો. ધન્યાવાદ.

ઉલ્લેખનીય છે કે સ્ટાર બેટ્સમેન પહેલી ટેસ્ટ રમી શક્યો નહોતો, જેમાં ભારતને હૈદરાબાદમ ઇંગ્લેન્ડથી 28 રનોથી હાર મળી હતી. BCCIએ ફેન્સ અને મીડિયાને આગ્રહ કર્યો હતો કે તેઓ કોહલીની ગોપનિયતાનું સન્માન કરે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી 2 મેચથી હટવાના કારણો બાબતે અટકળો લગાવતા બચે. આ વાત પર કોઈ સ્પષ્ટતા નથી કે વિરાટ કોહલી સીરિઝની અંતિમ 2 ટેસ્ટ મેચો માટે ટીમમાં વાપસી કરશે કે નહીં. BCCIની સિલેક્શન કમિટી આગામી દિવસોમાં અંતિમ 2 મેચો માટે ટીમની પસંદગી કરશે.

About The Author

Top News

કિલો ડુંગળીના 50 પૈસા... 600 કિલો ડુંગળી વેચીને ખેડૂતને મળ્યા 301 રૂપિયા, પોતાના ખિસ્સામાંથી રૂ. 1082 ચૂકવ્યા

ડુંગળીના ભાવ ઘટવાને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ધારુર તાલુકાના અરણવાડી ગામના ખેડૂત સંતોષ...
Agriculture 
કિલો ડુંગળીના 50 પૈસા... 600 કિલો ડુંગળી વેચીને ખેડૂતને મળ્યા 301 રૂપિયા, પોતાના ખિસ્સામાંથી રૂ. 1082 ચૂકવ્યા

રાહુલે કહ્યું- '1 વર્ષમાં મોદી સરકાર પડી જશે', ભાજપે કહ્યું- અરાજકતા ફેલાવવાનું કાવતરું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર આગામી એક વર્ષમાં પડી જશે તેવો દાવો કરાયા બાદ, ભાજપના અગ્રણી નેતાઓએ...
Politics 
રાહુલે કહ્યું- '1 વર્ષમાં મોદી સરકાર પડી જશે', ભાજપે કહ્યું- અરાજકતા ફેલાવવાનું કાવતરું

'ફક્ત ફોટા પડાવવા નહીં, હકીકતમાં કામ કરો'; જ્યારે બાંદા સૌથી ગરમ સ્થળ બન્યું ત્યારે IPS અધિકારીએ CM પાસે આ માંગ કરી

'જો આપણે આજે નહીં જાગીએ, તો આવનારી પેઢીઓ આપણને ક્યારેય માફ નહીં કરે...' આ શબ્દો કોઈ સામાન્ય...
National 
'ફક્ત ફોટા પડાવવા નહીં, હકીકતમાં કામ કરો'; જ્યારે બાંદા સૌથી ગરમ સ્થળ બન્યું ત્યારે IPS અધિકારીએ CM પાસે આ માંગ કરી

રણવીર સિંહ સામે ફરહાન અખ્તર લડી લેવાના મૂડમાં 'ડોન 3' નો વિવાદ FWICE પહોંચાડ્યો

બોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક ફરહાન અખ્તરે રણવીર સિંહ સાથેના 'ડોન 3'  ફિલ્મના વિવાદને હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ...
Entertainment 
રણવીર સિંહ સામે ફરહાન અખ્તર લડી લેવાના મૂડમાં 'ડોન 3' નો વિવાદ FWICE પહોંચાડ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.