શું કોહલી માતાના કારણે ટેસ્ટથી થયો બહાર, ભાઈ વિકાસ કોહલીએ જણાવ્યું સત્ય

ભારતીય ક્રિકેટ ફેન્સ એ સમયે હેરાન રહી ગયા, જ્યારે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ન ગયો અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂઆતી 2 ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ લઈ લીધું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નિવેદન જાહેર કરતા કહ્યું કે, આ વિરાટ કોહલીનો અંગત મામલો છે. તેના પર અફવા ઉડાવવામાં ન આવે. તેની ગોપનિયતાનું સન્માન કરો. એ પોતાની જાતમાં હેરાન કરનારું હતું કેમ કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝ મહત્ત્વપૂર્ણ હતી અને સાથે તેની પૂરી સંભાવના હતી કે તે રામ મંદિર માટે અયોધ્યા જશે.

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી બહાર થવાને લઈને ઘણા પ્રકારની વાતો ચાલી રહી છે. કેટલાકે દાવો કર્યો કે એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે અને સંભવતઃ કોઈ પરેશાની થઈ છે. આ કારણે કોહલી અચાનક મેચથી બહાર થઈ ગયો. થોડા દિવસો બાદ જ વધુ એક સમાચાર ચાલવા લાગ્યા કે વિરાટ કોહલીની માતાની તબિયત સારી નથી. તેનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે ક્રિકેટરે એમ કરવું પડ્યું. જો કે, આ બંને જ બાબતે વિરાટ કોહલી અને તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

 
 
 
View this post on Instagram

A post shared by Vikas Kohli (@vk0681)

હવે વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની માતા સરોજ કોહલીના સ્વાસ્થ્ય સંબંધિત અફવાઓનું ખંડન કર્યું છે. તેણે ફેન્સને ઉચિત જાણકારી વિના નકલી સમાચારો ન ફેલાવવાનો આગ્રહ કર્યો. એવી અફવાઓ હતી કે વિરાટ કોહલીએ પોતાની માતાની બીમારીના કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી 2 ટેસ્ટ મેચોથી બ્રેક માગ્યો હતો. વિકાસ કોહલીએ લખ્યું કે, મેં જોયું છે કે અમારી માતાના સ્વાસ્થ્ય બાબતે આ ફેક ન્યૂઝ ચારે તરફ ફેલાઈ રહ્યા છે, હું સ્પષ્ટ કરી દઉં કે અમારી માતા એકદમ ફિટ અને સારા છે.સાથે જ હું બધાને અને મીડિયાને પણ અનુરોધ કર્યો કે ઉચિત જાણકારી વિના એવા સમાચારો ન ફેલાવો. ધન્યાવાદ.

ઉલ્લેખનીય છે કે સ્ટાર બેટ્સમેન પહેલી ટેસ્ટ રમી શક્યો નહોતો, જેમાં ભારતને હૈદરાબાદમ ઇંગ્લેન્ડથી 28 રનોથી હાર મળી હતી. BCCIએ ફેન્સ અને મીડિયાને આગ્રહ કર્યો હતો કે તેઓ કોહલીની ગોપનિયતાનું સન્માન કરે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી 2 મેચથી હટવાના કારણો બાબતે અટકળો લગાવતા બચે. આ વાત પર કોઈ સ્પષ્ટતા નથી કે વિરાટ કોહલી સીરિઝની અંતિમ 2 ટેસ્ટ મેચો માટે ટીમમાં વાપસી કરશે કે નહીં. BCCIની સિલેક્શન કમિટી આગામી દિવસોમાં અંતિમ 2 મેચો માટે ટીમની પસંદગી કરશે.

About The Author

Related Posts

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.