સેહવાગ બની શકે છે નવા ચીફ સિલેક્ટર, પણ એક જગ્યાએ ફસાયો છે પેંચ

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)ના પૂર્વ ચીફ સિલેક્ટર બાદ ચેતન શર્માએ ચીફ સિલેક્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હાલના સમયમાં શિવ સુંદર દાસને ભારતીય ટીમના વચગાળાના ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ ભારતીય ખેલાડી વિરેન્દર સેહવાગને ચીફ સિલેક્ટર બનાવને લઈને વાત કરવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ, વિરેન્દર સેહવાગને સિલેક્શન કમિટીમાં નોર્થ ઝોનના પ્રતિનિધત્વ કરવા અને ચેતન શર્માની જગ્યાએ ભારતીય ટીમના મુખ્ય સિલેક્ટરના રૂપમાં નિમણૂક કરવા કહેવામાં આવ્યું છે, પરંતુ ઓછી સેલેરીના કારણે વિરેન્દર સેહવાગ ચીફ સિલેક્ટર બનવા માટે રસ દાખવી રહ્યા નથી.

BCCI તરફથી સિલેક્શન કમિટીના ચીફને વાર્ષિક 1 કરોડ રૂપિયાની સેલેરી આપવામાં આવે છે, જ્યારે કમિટીના બાકી 4 સભ્યોને 90 લાખ રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે. આ અગાઉ વિરેન્દર સેહવાગે ખુલાસો કરતા કહ્યું હતું કે, BCCIએ તેને ચીફ સિલેક્ટર બનાવવા માટે રસ દેખાડ્યો હતો, પરંતુ ત્યારબાદ આ રોલ અનિલ કુંબલેને આપવામાં આવ્યો. તો આ બાબતની જાણકારી રાખનારા એક જાણકારે જણાવ્યું કે, વિરેન્દર સેહવાગ ઓછી સેલેરીના કારણે ચીફ સિલેક્ટરના પદને નકારી શકે છે.

BCCIના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘COAના સમયે વિરુને ચીફ કોચ પદ માટે અરજી કરવા માટે કહેવામાં આવ્યું હતું અને પછી તે અનિલ કુંબલે પાસે ગઇ. એ સંભાવના નથી કે તે પોતે એપ્લાઈ કરશે અને વેતન પેકેજ પણ એવું કઈ નથી જે તેના કદના કોઈ વ્યક્તિ માટે નાણાકીય રૂપે વ્યવહાર્ય હશે.’ મીડિયા રિપોર્ટ મુજબ, એવું નથી કે BCCI સિલેક્શન સમિતિના અધ્યક્ષને ઓછામાં ઓછા 4-5 કરોડ રૂપિયાની ચૂકવણી નહીં કરી શકે. એ વાસ્તવમાં હિતોના ટકરાવ અને આ મુદ્દાઓમાંથી કોઈને હલ કરી શકે છે જે મુખ્ય ખેલાડીઓને સિલેક્શન સમિતિમાં આવવા બાબતે વિચારતા પણ રોકે છે.

BCCIએ સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે, BCCIમાં આ સમયે સિલેક્શન કમિટીમાં એક પદ ખાલી છે, જેના માટે વેકેન્સી પડી છે. BCCIએ ટ્વીટ કરીન જણાવ્યું કે, બોર્ડમાં અત્યારે સિલેક્શન કમિટીમાં એક પદ ખાલી છે. સાથે જ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં હેડ ઓફ સ્પોર્ટ્સ એન્ડ મેડિસિન/અકાદમી ફિઝિયોનું પદ પણ ખાલી છે. BCCIએ અરજી કરવા માટે લિંક પણ શેર કરી છે. જે પણ ઉમેદવારે અરજી કરવી હોય, તે BCCIના ટ્વીટર પર આપેલી લિંક પર ક્લિક કરીને ભરી શકે છે. BCCIએ બધા પદો માટે યોગ્યતા અને તેમના દાયિત્વને પણ વિસ્તારથી બતાવ્યા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 જુલાઇ છે.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.