સેહવાગ બની શકે છે નવા ચીફ સિલેક્ટર, પણ એક જગ્યાએ ફસાયો છે પેંચ

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)ના પૂર્વ ચીફ સિલેક્ટર બાદ ચેતન શર્માએ ચીફ સિલેક્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હાલના સમયમાં શિવ સુંદર દાસને ભારતીય ટીમના વચગાળાના ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ ભારતીય ખેલાડી વિરેન્દર સેહવાગને ચીફ સિલેક્ટર બનાવને લઈને વાત કરવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ, વિરેન્દર સેહવાગને સિલેક્શન કમિટીમાં નોર્થ ઝોનના પ્રતિનિધત્વ કરવા અને ચેતન શર્માની જગ્યાએ ભારતીય ટીમના મુખ્ય સિલેક્ટરના રૂપમાં નિમણૂક કરવા કહેવામાં આવ્યું છે, પરંતુ ઓછી સેલેરીના કારણે વિરેન્દર સેહવાગ ચીફ સિલેક્ટર બનવા માટે રસ દાખવી રહ્યા નથી.

BCCI તરફથી સિલેક્શન કમિટીના ચીફને વાર્ષિક 1 કરોડ રૂપિયાની સેલેરી આપવામાં આવે છે, જ્યારે કમિટીના બાકી 4 સભ્યોને 90 લાખ રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે. આ અગાઉ વિરેન્દર સેહવાગે ખુલાસો કરતા કહ્યું હતું કે, BCCIએ તેને ચીફ સિલેક્ટર બનાવવા માટે રસ દેખાડ્યો હતો, પરંતુ ત્યારબાદ આ રોલ અનિલ કુંબલેને આપવામાં આવ્યો. તો આ બાબતની જાણકારી રાખનારા એક જાણકારે જણાવ્યું કે, વિરેન્દર સેહવાગ ઓછી સેલેરીના કારણે ચીફ સિલેક્ટરના પદને નકારી શકે છે.

BCCIના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘COAના સમયે વિરુને ચીફ કોચ પદ માટે અરજી કરવા માટે કહેવામાં આવ્યું હતું અને પછી તે અનિલ કુંબલે પાસે ગઇ. એ સંભાવના નથી કે તે પોતે એપ્લાઈ કરશે અને વેતન પેકેજ પણ એવું કઈ નથી જે તેના કદના કોઈ વ્યક્તિ માટે નાણાકીય રૂપે વ્યવહાર્ય હશે.’ મીડિયા રિપોર્ટ મુજબ, એવું નથી કે BCCI સિલેક્શન સમિતિના અધ્યક્ષને ઓછામાં ઓછા 4-5 કરોડ રૂપિયાની ચૂકવણી નહીં કરી શકે. એ વાસ્તવમાં હિતોના ટકરાવ અને આ મુદ્દાઓમાંથી કોઈને હલ કરી શકે છે જે મુખ્ય ખેલાડીઓને સિલેક્શન સમિતિમાં આવવા બાબતે વિચારતા પણ રોકે છે.

BCCIએ સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે, BCCIમાં આ સમયે સિલેક્શન કમિટીમાં એક પદ ખાલી છે, જેના માટે વેકેન્સી પડી છે. BCCIએ ટ્વીટ કરીન જણાવ્યું કે, બોર્ડમાં અત્યારે સિલેક્શન કમિટીમાં એક પદ ખાલી છે. સાથે જ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં હેડ ઓફ સ્પોર્ટ્સ એન્ડ મેડિસિન/અકાદમી ફિઝિયોનું પદ પણ ખાલી છે. BCCIએ અરજી કરવા માટે લિંક પણ શેર કરી છે. જે પણ ઉમેદવારે અરજી કરવી હોય, તે BCCIના ટ્વીટર પર આપેલી લિંક પર ક્લિક કરીને ભરી શકે છે. BCCIએ બધા પદો માટે યોગ્યતા અને તેમના દાયિત્વને પણ વિસ્તારથી બતાવ્યા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 જુલાઇ છે.

Top News

આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે

તારીખ 28 જુલાઈથી મંગળ ગ્રહ 13 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં ગોચર કરશે જાણો તમારી રાશિ ઉપર શુ પ્રભાવ થઈ શકે...
Astro and Religion 
આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે

બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 

ચૂંટણીની દ્રષ્ટિએ અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ બિહાર છે કારણકે આ વર્ષના અંતમાં બિહારમા વિધાનસભાની ચૂંટણી છે અને એ પછી નંબર આવે...
Politics 
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 

સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે

ઓઝેમ્પિકની ચર્ચા સમગ્ર વિશ્વમાં વજન ઘટાડવાની દવા તરીકે થઈ રહી છે, જેનો ઉપયોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં...
Health 
સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે

શું શિંદેથી BJPનો મોહભંગ થઈ ચૂક્યો છે, કંઈ તરફ બેસશે ઉદ્ધવનો ફડણવીસ પ્રેમ?

મહારાષ્ટ્રની રાજનીતિમાં થોડા દિવસોથી ચાલી રહેલો ગણગણાટ હવે ધીમે-ધીમે એક મોટા રાજનીતિક ઉથલ-પાથલ તરફ ઈશારો કરી રહ્યો છે. ગયા અઠવાડિયે...
National  Politics 
શું શિંદેથી BJPનો મોહભંગ થઈ ચૂક્યો છે, કંઈ તરફ બેસશે ઉદ્ધવનો ફડણવીસ પ્રેમ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.