પાકિસ્તાનને કંઈ રીતે હરાવ્યું, અમેરિકન બોલરે જણાવી રણનીતિ

ICC T20 વર્લ્ડ કપ 2024ની લીગ રાઉન્ડ મેચમાં પાકિસ્તાની ટીમને અમેરિકન ટીમ સામે સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. T20 વર્લ્ડ કપ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર માનવામાં આવ્યો હતો. આ મેચમાં મળેલી હારથી પાકિસ્તાનની સફર લીગ રાઉન્ડમાં જ સમાપ્ત થઈ ગઇ હતી અને ગ્રુપ-Aથી ભારત અને અમેરિકાએ સુપર-8 માટે ક્વાલિફાઈ કર્યું હતું. પાકિસ્તાન વિરુદ્ધ મેચને લઈને પાકિસ્તાની મૂળના અમેરિકન ફાસ્ટ બોલર અલી ખાને કેટલીક મહત્ત્વની વાતો બતાવી છે.

તેણે જણાવ્યું કે, કઇ રીતે T20 વર્લ્ડ કપ 2024 અગાઉ અમેરિકાએ પાકિસ્તાન વિરુદ્ધ ચક્રવ્યૂહ રચી લીધું હતું. અલી ખાને કહ્યું કે, પાકિસ્તાન એવી ટીમ છે જે અથવા તો સામેવાળી ટીમને તબાહ કરી દે છે કે પોતે પડી જાય છે અને એ દિવસે પાકિસ્તાનની ટીમ પોતે પડી ગઈ. અલી ખાને ટાઇમ્સ ઓફ કરાચી પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રાશિદ લતીફ સાથે વાતચીત દરમિયાન આ બધી વાતો કહી. રાશીદ લતીફે કહ્યું કે, આખું પાકિસ્તાન તારાથી નારાજ છે, તેના પર અલી ખાને કહ્યું કે, ‘આખું પાકિસ્તાન ત્યારે મારાથી વધારે નારાજ થતું, જો હું સુપર ઓવર નાખતો, પરંતુ તેમણે મને બૉલ ન આપ્યો સુપર ઓવરમાં, પરંતુ એ પણ સારું થયું, નહિતર મારું પાકિસ્તાન આવવાનું બંધ થઈ જતું.

તેણે કહ્યું કે, પાકિસ્તાનવાળી મેચ ખૂબ ઈમોશનલ મેચ હતી, ખૂબ મોટી ટીમ છે, એટલી મોટી ટીમ સાથે રમ્યા નહોતા અને સીધા T20 વર્લ્ડ કપમાં રમવા ઉતારી રહ્યા હતા. પહેલા અમે કેનેડા સાથે રમ્યા, પરંતુ તેની સાથે તો અમે રમતા રહીએ છીએ. પરંતુ જે મુખ્ય મેચ હતી, તે પાકિસ્તાન વિરુદ્ધ હતી. તેની પાસે મોટા મોટા ખેલાડી બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને ફખર ઝમાન.. શાહીન આફ્રિદી.

T20 વર્લ્ડ કપ 2024 અગાઉ જે બાંગ્લાદેશ વિરુદ્ધ અમારી સીરિઝ થઈ હતી, જ્યાં અમે 2-1થી જીત્યા હતા, મને લાગે છે તેનાથી ટીમને ખૂબ કોન્ફિડેન્સ મળ્યું હતું. અલી ખાને કહ્યું કે, T20 વર્લ્ડ કપ 2024 જે અમારી મેચ હતી, પહેલી કેનેડા સાથે, પછી પાકિસ્તાન સાથે અને પછી ભારત અને આયરલેન્ડ સાથે. અમે વિચાર્યું હતું કે, કેનેડાને તો અમે હરાવી દઇશું અને બીજી મેચ અમે આયરલેન્ડને હરાવવાની છે. પછી મેચમાં બચી હતી ભારત અને પાકિસ્તાન.

તેમાં અમારે પીક કરવાનું હતું કે કઇ એવી ટીમ છે, જેની વિરુદ્ધ અમે જીતી શકીએ છીએ, તો એ પાકિસ્તાન હતી. અમે એ મેચમાં જ્યારે ઉતર્યા તો પહેલા બૉલથી અમે એ ઈરાદા સાથે ઉતર્યા હતા. શાદાબ ખાન અને બાબર આઝમની જે પાર્ટનરશિપ થઈ હતી, બસ એ જ ફેઝમાં પાકિસ્તાની ટીમ અમારાથી આગળ હતી, ત્યારબાદ મને લાગે છે કે અમે આખી મેચમાં છવાઈ રહ્યા હતા. તેણે વધુમાં કહ્યું કે, અમારું બીલિફ તેમનાથી ઘણું વધારે હતું. તેમણે અમને હલકામાં લીધા હતા એ દિવસે. તેમના બેટ્સમેનનું ઇન્ટેન્ટ ઝીરો હતું, તેઓ ખૂબ સ્લો રમી રહ્યા હતા.   

About The Author

Related Posts

Top News

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ક્યારેક, ભંગારમાં પણ એવી કિંમતી વસ્તુઓ મળી જાય છે કે જેની કિંમત લાખો કરોડોની હોય છે. જાલંધરમાં એક દાયકાઓથી...
National 
ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.