પોતાની સાથે થયેલા અન્યાય પર સંજુએ શું કહ્યું,ટીમમાં પસંદગી ન થતા આપી પ્રતિક્રિયા

એશિયા કપ અને વર્લ્ડ કપ બાદ સંજુ સેમસનને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝમાંથી પણ બાકાત કરી દેવામાં આવ્યો હતો. સંજુ સેમસને પોતાને તક ન આપ્યા બાદ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. જમણા હાથના વિકેટકીપર બેટ્સમેન સંજુએ ફેસબુક પર સ્માઈલી ઈમોજી શેર કરીને પોતાનું દર્દ છુપાવવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે રાત્રે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમની જાહેરાત કરી હતી, જેના થોડા કલાકો પછી એટલે કે મોડી રાત્રે સંજુ સેમસને સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી.

વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની સીરીઝની પ્રથમ બે મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મોટા નામોને આરામ આપવામાં આવ્યો હતો. રુતુરાજ ગાયકવાડ અને પ્રસિદ્ધ કૃષ્ણાને એશિયન ગેમ્સમાં સામેલ કરવા છતાં ટીમમાં જગ્યા મળી. પરંતુ સંજુની પસંદગી ન કરવી ચાહકો સહિત ઘણા નિષ્ણાતોની સમજની બહાર હતી. રવિચંદ્રન અશ્વિનને ત્રણેય મેચોમાં તક મળી છે, જ્યારે પ્રથમ બે મેચમાં રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળશે.

ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ટ્વીટ કર્યું, 'જો હું અત્યારે સંજુ સેમસનની જગ્યાએ હોત, તો હું ખૂબ જ નિરાશ થયો હોત...' 28 વર્ષના આ ખેલાડીએ અત્યાર સુધી 13 ODI મેચમાં 55.71ની એવરેજથી 390 રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. આ વિકેટકીપર-બેટ્સમેને વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની છેલ્લી ODIમાં 41 બોલમાં 51 રન બનાવ્યા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Sanju V Samson (@imsanjusamson)

આ છે ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસઃ વર્લ્ડકપ પહેલા બંને દેશો વચ્ચે 22 સપ્ટેમ્બરથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થશે. આ મેચ મોહાલીમાં રમાશે. બીજી મેચ 24મી સપ્ટેમ્બરે ઈન્દોરમાં અને છેલ્લી મેચ 27મીએ રાજકોટમાં રમાશે.

પ્રથમ બે વનડે માટેની ટીમઃ K.L. રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, R. અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

ત્રીજી અને અંતિમ વનડે માટેની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, K.L. રાહુલ (વિકેટેકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ (ફિટનેસ પર આધાર રાખીને), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, R. અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.