કેપ્ટન ફોટોશૂટમાં રોહિત શર્મા કેમ ન આવ્યો? MIના કેપ્ટન વિશે સામે આવ્યું કારણ

છેલ્લા એક-બે દિવસથી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને લઈને અનેક અલગ-અલગ સમાચારો સામે આવી રહ્યા છે. ટીમ 2 એપ્રિલે બેંગલુરુમાં RCB સામે તેના અભિયાનની શરૂઆત કરશે. તે પહેલા ટીમના કેપ્ટન ક્યાં છે? આ પ્રશ્ન દરેકના મનમાં હશે. બીજી તરફ, રોહિત શર્મા વિશે આવી રહેલા સમાચારોને કારણે ચાહકોનું ટેન્શન વધી ગયું છે, સાથે જ ગુરુવારે કંઈક એવું બન્યું, જેના કારણે ચાહકો વધુ વિચલિત થઈ ગયા હશે. વાસ્તવમાં ગુરુવારે IPL 2023ના તમામ કેપ્ટનોનું ફોટોશૂટ થયું હતું. IPL 16માં 10 ટીમો રમી રહી છે પરંતુ ફોટોશૂટમાં 10ની જગ્યાએ માત્ર 9 કેપ્ટન હતા.

આ ફોટોમાંથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ગાયબ હતો. આ ફોટો સામે આવતાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ અને હિટમેનના ચાહકો વચ્ચે સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ હતી. દરેક જગ્યાએ એક જ સવાલ હતો કે, રોહિત શર્મા ક્યાં છે? દરેક વ્યક્તિ પોતાના મનપસંદ ખેલાડી વિશે અપડેટ મેળવવા માટે ઉત્સુક હતા. આ સમાચાર વધુ ચિંતાજનક છે, જ્યારે બે દિવસ પહેલા એક અહેવાલ બહાર આવ્યો હતો કે, રોહિત મુંબઈ માટે શરૂઆતની કેટલીક મેચો ચૂકી શકે છે. જો કે તેનું કારણ વર્કલોડ મેનેજમેન્ટ હોવાનું જણાવાયું હતું. પરંતુ ગુરુવારે તેના વિશે જે માહિતી સામે આવી તેણે દરેકની ચિંતા વધારી દીધી.

રોહિત શર્માના કેપ્ટન ફોટોશૂટમાં ન આવવાનું કારણ એક રિપોર્ટમાં સામે આવ્યું છે. TOI એ અહેવાલ આપ્યો છે કે રોહિત નાદુરસ્ત તબિયતને કારણે કેપ્ટનના ફોટોશૂટ અને પ્રી-સીઝન મીટમાં દેખાયો ન હતો. તેના સિવાય ભુવનેશ્વર કુમાર પણ હતો જે એડન માર્કરામની ગેરહાજરીમાં સનરાઇઝર્સની કેપ્ટનશીપ કરશે. આ સિવાય શ્રેયસ અય્યરની જગ્યાએ KKRની કમાન સંભાળી રહેલા નીતિશ રાણા પણ તેમાં હાજર હતા. પરંતુ રોહિતને કહેવામાં આવ્યું કે તેની તબિયત સારી નથી અને તેથી જ તે આ કાર્યક્રમ માટે અમદાવાદ પહોંચી શક્યો નથી. પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે, તે ટીમની પ્રથમ મેચ દરમિયાન હાજર રહી શકે છે.

રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે અને IPL પછી તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, એશિયા કપ અને ODI વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ટીમને સંભાળવાની છે. આવી સ્થિતિમાં તેમના વર્કલોડને મેનેજ કરવું ફરજિયાત છે. તેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે, રોહિત શરૂઆતની મેચોમાં ટીમની બહાર રહી શકે છે. આ અંગે ટીમના કોચ માર્ક બાઉચરે પણ કહ્યું હતું કે, તે રોહિતને કેટલીક મેચો માટે નિશ્ચિત આરામ આપી શકે છે. એટલે કે મુંબઈ ઈન્ડિયન્સનો નિયમિત સુકાની ટીમ સાથે મોડો જોડાઈ શકે છે અથવા શરૂઆતની કેટલીક મેચો રમી શકશે નહીં, તેનું કારણ એ પણ હોઈ શકે છે. જેના કારણે તે ફોટોશૂટમાં પણ પહોંચી શક્યો નહોતો. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

 
 
 
View this post on Instagram

A post shared by IPL (@iplt20)

મુંબઈ ઈન્ડિયન્સ ટીમઃ કેમેરોન ગ્રીન, રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, ટિમ ડેવિડ, સૂર્યકુમાર યાદવ, જોફ્રા આર્ચર, ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, જેસન બેહરેનડોર્ફ, પીયૂષ ચાવલા, અર્જુન તેંડુલકર, રમનદીપ સિંહ, શમ્સ મુલાની, નેહલ વાધેરા, કુમાર. કાર્તિકેય, હૃતિક શોકીન, આકાશ માધવાલ, અરશદ ખાન, રાઘવ ગોયલ, ડુઆન યાનસન, ટ્રીસ્ટન સ્ટ્રબ્સ અને વિષ્ણુ વિનોદ.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.