પૃથ્વી શોએ કેમ કહ્યું કે, મારો કોઇ દોસ્ત નથી, ઘરની બહાર નિકળતો નથી, તુટી ગયો છું

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન પૃથ્વી શૉ લાંબા સમયથી ક્રિક્રેટથી બહાર છે. તાજેતકમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાની માનસિક સ્થિતિને લઈને મોટું નિવેદન આપ્યું છે. પૃથ્વી શૉએ કહ્યું છે કે તે એકલો રહેવા લાગ્યો છે, જ્યારે પણ તે બહાર જાય છે ત્યારે લોકો તેને હેરાન કરે છે અને એક સમસ્યા ઊભી થાય છે જેના કારણે તેણે પોતાને ઘરમાં કેદ કરી લીધો છે. તેણે કહ્યું છે કે સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈને તે માનસિક તણાવનો સામનો કરી રહ્યો છે.

પૃથ્વી શોએ કહ્યું છે કે તે પોતાની જાત સુધી સીમિત રહેવા માંગે છે. પૃથ્વી શૉ કહે છે કે તેણે કેપ્ટન તરીકે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો અને ટેસ્ટ સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, પરંતુ તેમ છતાં તે રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો ન હતો, જ્યારે તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ત્યારે તે નિરાશ થયો હતો. પરંતુ તેણે  આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.

ક્રિકબઝને આપેલા એક ઇન્ટરવ્યીમાં પૃથ્વી શોઅ કહ્યું કે જ્યારે મને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો, ત્યારે મને કારણ વિશે ખબર ન પડી. કોઇ કહી રહ્યું હતું કે ફિટનેસનું કારણ હોય શકે છે, પરંતુ મેં બેંગલુરુમાં National Cricket Academy (NCA)માં મેં બધા પરિક્ષણ પાસ કરી લીધા હતા. એ પછી રન બનાવ્યા અને પછી T-20માં વાપસી કરી હતી, પરંતુ વેસ્ટઇન્ડિઝમાં બીજી વખત તક ન મળી. હું નિરાશ થયો હતો, પરંતુ આગળ વધવાનું છે એમ નક્કી કર્યું હતું.

પૃથ્વી શૉએ કહ્યું છે કે એક વ્યક્તિ તરીકે મને ફક્ત મારામાં રહેવું ગમે છે. લોકો મારા વિશે કંઈક કહે છે. પણ જે મને ઓળખે છે, તેઓ પણ જાણે છે કે હું કેવો છું. મારે મિત્રો નથી, મને મિત્રો બનાવવાનું પસંદ નથી. હું વસ્તુઓ શેર કરતો નથી. તે બધું સોશિયલ મીડિયા પર આવી જાય છે.

પૃથ્વી શોએ કહ્યું કે જો હું બહાર નિકળું છું તો લોકો પરેશાન કરે છે, તેઓ સોશિયલ મીડિયા પર કોઇ પોસ્ટ કરી દેશે. એટલે હું ઘરની બહાર નિકળવાનું પસંદ કરતો નથી. હાલમાં હું લંચ કે ડીનર માટે પણ એકલો જ જાઉં છું. હવે મને એકલા રહેવાનું સારું લાગે છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.