પાકિસ્તાન વર્લ્ડ કપની પ્રથમ મેચ ખાલી સ્ટેડિયમમાં શું કામ રમશે, દર્શકોને પૈસા...

પાકિસ્તાન ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ માટે ભારતના વિઝા મળી ગયા છે. ટૂંક સમયમાં જ પાકિસ્તાન ટીમ ભારત પહોંચી શકે છે. પરંતુ વિઝા મળવાની સાથે ટીમને એક ઝટકો પણ લાગ્યો હતો. તેણે હૈદરાબાદના ખાલી સ્ટેડિયમમાં મેચ રમવી પડશે. ટિકિટના પૈસા દર્શકોને પરત કરવામાં આવશે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના સભ્યોના વિઝા સોમવારે આપી દેવામાં આવ્યા હતા. વિઝા આપવામાં થયેલા વિલંબ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મામલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સાથે ચર્ચા કરી હતી. ICCના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે, પાકિસ્તાન ટીમને ભારતીય વિઝા આપી દેવામાં આવ્યા છે. પાકિસ્તાને 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં નેધરલેન્ડ સામે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરવાની છે.

ODI વર્લ્ડ કપ માટે ભારત આવ્યા પછી પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ 29 સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે, પરંતુ રમતપ્રેમીઓ સ્ટેડિયમમાં બેસીને તેમને રમતા જોઈ શકશે નહીં. તહેવારને કારણે તે દિવસે શહેરમાં ભારે ભીડની અપેક્ષા છે, તેથી સુરક્ષા એજન્સીઓની સલાહ પર, આ પ્રેક્ટિસ મેચ બંધ દરવાજા પાછળ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ મેચ શરૂઆતમાં દર્શકોની હાજરીમાં રમાવાની હતી અને તેની ટિકિટ પણ વેચાઈ ગઈ હતી. પરંતુ હવે દર્શકોને તેમની ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરી દેવામાં આવશે.

સુરક્ષા એજન્સીઓએ અગાઉ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 9 ઓક્ટોબર અને 10 ઓક્ટોબરે યોજાનારી સતત બે વર્લ્ડ કપ 2023 લીગ મેચો પર શંકા વ્યક્ત કરી હતી. 10 ઓક્ટોબરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે અને 9 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચેની મેચ છે. લગભગ 3,000 પોલીસ કર્મચારીઓને રમત માટે તૈનાત કરવામાં આવશે અને પાકિસ્તાનની ટીમને જે હોટલમાં રાખવામાં આવશે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.

પાકિસ્તાન 31 વર્ષથી ICC વર્લ્ડ કપ ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે. ટીમે 1992માં પ્રથમ અને એકમાત્ર વખત ટાઈટલ જીત્યું હતું. ત્યારે ઈમરાન ખાન ટીમના કેપ્ટન હતા. 1999માં ટીમ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ઓસ્ટ્રેલિયા સામે હારી હતી. 2019માં ઈંગ્લેન્ડમાં આયોજિત ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન નોકઆઉટમાં પહોંચી શક્યું નથી. હવે તેમના ખેલાડીઓ ટ્રોફી જીતવાના સપના સાથે ભારતમાં પ્રવેશ કરશે. પરંતુ તે સરળ બનવાનું નથી. પાકિસ્તાનની વર્તમાન ટીમના કોઈપણ ખેલાડીને ભારતમાં રમવાનો અનુભવ નથી. ટીમને ટૂંક સમયમાં અહીંની પરિસ્થિતિઓને અનુરૂપ થવું પડશે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.