ફ્રાન્સમાં સત્ય બોલવાને લઈને બની રહ્યું છે નવું મંત્રાલય? કેમ મચી છે બબાલ?

ફ્રાન્સની ઈમેન્યુઅલ મેક્રોનની સરકાર સત્ય બોલવાના અભિયાનને પ્રોત્સાહન આપવા માટે એક મંત્રાલય સ્થાપિત કરી શકે છે. તેનું નામ ટ્રૂથ મિનિસ્ટ્રિ (સત્ય મંત્રાલય) હોય શકે છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આ અંગે સંકેત આપ્યો છે. એક ભાષણમાં મેક્રોને કહ્યું હતું કે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું બોલી રહ્યું છે તે જાણવું જરૂરી છે. આ સમયમાં સત્ય અને અસત્ય વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની ગયું છે.

ટેલિગ્રાફ બ્રિટનના અહેવાલ અનુસાર, મેક્રોનના નિવેદનને મીડિયા અને સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર લેખક જ્યોર્જ ઓરવેલના કોન્સેપ્ટને આગળ વધારી રહી છે, જેમણે પોતાની નવલકથા 1984માં સત્ય મંત્રાલયનો ઉલ્લેખ કર્યો હતો.

Emmanuel Macron
france24.com

ફ્રાન્સનું સત્ય મંત્રાલય કેવું હશે?

સત્ય મંત્રાલયનું કામ ખોટા સમાચાર રોકવાનું હશે. આ હેઠળ એક સિસ્ટમ તૈયાર કરવામાં આવશે, જે ખોટા સમાચાર પર દેખરેખ રાખવાશે. આ સિસ્ટમ ખોટા સમાચાર સામે સત્યનો જોરશોરથી પ્રચાર કરશે. મંત્રાલય દૈનિક બ્રીફિંગના આધારે કાર્ય કરશે. જોકે, સરકારે હજુ સુધી મંત્રાલયના માળખા અંગે કોઈ માહિતી આપી નથી. ફ્રેન્ચ સરકારે પણ મેક્રોનના નિવેદનનું ખોટું અર્થઘટન કરવાનો આરોપ લગાવ્યો છે. સરકારનું કહેવું છે કે મેક્રોનનો મીડિયાને નિયંત્રિત કરવાનો કોઈ ઈરાદો નથી.

દિશાના એક અહેવાલ મુજબ, 2021માં ફ્રાન્સમાં ફેક ન્યૂઝ પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 50 ટકાથી વધુ લોકોએ કહ્યું કે તેમની સામે દર અઠવાડિયે એક ને એક ફેક ન્યૂઝ આવતા રહે છે. 60 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના જીવનમાં ઓછામાં ઓછા એક વખત આ ફેક ન્યૂઝની ઝપેટમાં આવી ચૂક્યા છે.

Emmanuel Macron
ft.com

66 કરોડની વસ્તી ધરાવતા ફ્રાન્સમાં ફેક ન્યૂઝના આ ટ્રેન્ડને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. આને રોકવા માટે સરકાર સત્ય મંત્રાલયની સ્થાપના કરવાનું વિચારી રહી છે. જો કે, વિપક્ષનું કહેવું છે કે સરકાર મીડિયાને નિયંત્રિત કરવા માટે આનો ઉપયોગ કરશે. વિપક્ષી નેતા લે પેનનું કહેવું છે કે, ‘સરકાર ફેક ન્યૂઝના નામે મુખ્ય પ્રવાહના મીડિયાને હેરાન કરી શકે છે. અમે આનો સખત વિરોધ કરીશું.

About The Author

Related Posts

Top News

વડોદરાના ‘બડા હજીરા’ સ્મારક પરિસરમાં દફનવિધિ પર પ્રતિબંધ, કોર્ટે અરજી ફગાવી

ગુજરાત હાઈકોર્ટે વડોદરાના પ્રતાપનગર સ્થિત ઐતિહાસિક 'બડા હજીરા' (મોટા હજીરા) સ્મારકની આસપાસ દફનવિધિ કરવા પરના નિયંત્રણોને યથાવત...
Gujarat 
વડોદરાના ‘બડા હજીરા’ સ્મારક પરિસરમાં દફનવિધિ પર પ્રતિબંધ, કોર્ટે અરજી ફગાવી

જેના વખાણ કરતા ટ્રમ્પ થાકતા નહોતા તે પાકિસ્તાનનો 'તેલ ભંડાર' ક્યાં ગયો? પેટ્રોલ 336 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે

ક્રૂડ ઓઇલને લઈને વૈશ્વિક કટોકટી છે. થાય પણ કેમ નહીં, છેવટે, US-ઇઝરાયલની સાથે ઇરાનના યુદ્ધે પરિસ્થિતિ વધુ...
Business 
જેના વખાણ કરતા ટ્રમ્પ થાકતા નહોતા તે પાકિસ્તાનનો 'તેલ ભંડાર' ક્યાં ગયો? પેટ્રોલ 336 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -10-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શનિવારે લેવાયેલી ધોરણ-12 અંગ્રેજી વિષયની પરીક્ષામાં એક અનોખી અને...
Education 
ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.