પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો અકસ્માત, બસ ઊંડી ખીણમાં પડી, 39ના મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મોટો અકસ્માત થયો છે. બલૂચિસ્તાનમાં રવિવારે મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 39 મુસાફરોના મોત થયા છે. રાહત અને બચાવ માટે પોલીસ અને રાહતકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

કહેવાય છે કે, આ અકસ્માત બલૂચિસ્તાનના લાસબેલા વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર ખાઈમાં પડી ગયેલી બસમાં લગભગ 48 મુસાફરો હતા. બસ ક્વેટાથી કરાચી જઈ રહી હતી. કહેવાય છે કે, લાસબેલા જિલ્લાના બેલા વિસ્તારમાં એક જગ્યાએ યુ-ટર્ન લેતી વખતે બસ પુલના થાંભલા સાથે અથડાઈ હતી.

બ્રિજના થાંભલા સાથે અથડાયા બાદ ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યારે મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડી હતી. ખાઈમાં પડેલી બસમાં આગ પણ લાગી ગઈ હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર, લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમે દુર્ઘટનાની પુષ્ટિ કરી છે અને ચાલી રહેલા બચાવ અભિયાનની જાણકારી આપી છે. અકસ્માત બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. એક ફાયરમેને જણાવ્યું કે, આગ ખૂબ જ ભયાનક હતી. તેને કાબૂમાં લેવા માટે સ્ટાફને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. લગભગ 2 કલાકની મહેનત બાદ તેને કાબુમાં લાવવામાં આવી હતી.

પાકિસ્તાની મીડિયા અનુસાર હમઝા અંજુમે જણાવ્યું છે કે, બસમાં એક બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. બસમાં કુલ કેટલા મુસાફરો હતા તે અંગે હજુ વધુ માહિતી મળી નથી.

બસ ઉંડી ખીણમાં પડી ગયા બાદ જોરદાર અવાજ આવ્યો હતો. ઘટના સમયે તે રોડ પરથી પસાર થતા વાહનચાલકો સાથે આસપાસના નાગરિકોની ભીડ ઘટનાસ્થળે ઉમટી પડી હતી. લોકોએ અકસ્માત અંગે પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોને જાણ કરી હતી. માહિતી મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું.

ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હજુ પણ કેટલાક મુસાફરો બસમાં ફસાયા હોવાની આશંકા છે. પાકિસ્તાની મીડિયા અનુસાર બસમાંથી અત્યાર સુધીમાં 19 મુસાફરોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. બાકીના લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

પાકિસ્તાનના રસ્તાઓ જર્જરિત હાલતમાં છે. રોડની વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે, જેના કારણે રોજેરોજ આવા કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર તો બેદરકારીના કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે. પાકિસ્તાનની પેસેન્જર બસોમાં ઘણીવાર ભારે ભીડ હોય છે. લોકો સીટબેલ્ટ પહેરતા નથી. આ જ કારણ છે કે પાકિસ્તાનમાં સૌથી વધુ રોડ અકસ્માતો થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અનુમાન મુજબ, 2018માં પાકિસ્તાનના રસ્તાઓ પર અકસ્માતથી 27,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-07-2025 દિવસ: બુધવાર મેષ: પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે. રાજનીતિમાં સંપર્ક વિસ્તારો વ્યાપક હશે અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ગુગલ એક મોટી યોજના તૈયાર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં એન્ડ્રોઇડ અને ક્રોમOSને જોડીને એક શક્તિશાળી સિંગલ...
Tech and Auto 
એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

આખરે, વિશ્વની લોકપ્રિય ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાએ સત્તાવાર રીતે ભારતમાં પગ મૂક્યો છે. ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (...
Tech and Auto 
ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે રેલ્વે સતત ફેરફારો કરી રહ્યું છે. આ અંતર્ગત, છેલ્લા કેટલાક દિવસોમાં રેલ્વેએ ઘણા મોટા...
Business 
રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.