ભારતીય આઇડ્રોપથી 3ના મોત, 8ની આંખોનો પ્રકાશ પણ ગયો, USAની વધી ચિંતા

અમેરિકા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે ભારતની દવા કંપનીના આઈ ડ્રોપથી 3 લોકોના મોત થઈ ગયા છે અને 8 લોકોની આંખોનો પ્રકાશ જતો રહ્યો છે. ડ્રાઈ આઈ સિન્ડ્રોમ માટે યુઝ થનારી ભારતીય દવા એજરીકેર જે એક આર્ટિફિશિયલ ટીયર્સ છે, આંખોમાં સંક્રમણનું જોખમ વધારી દે છે. તેનાથી આંધળાપણું અને અહી સુધી કે મોતનું જોખમ છે. નવો બેક્ટેરિયા સ્ટ્રેન અમેરિકામાં મળવાથી અમેરિકાની ચિંતા વધારે છે કેમ કે તેનાથી પહેલા આંખોને ડેમેજ કરનારા બેક્ટેરિયા અમેરિકામાં મળ્યા નહોતા.

ભારતથી આયાતીત આઈ ડ્રોપમાં મળેલી દવા પ્રતિરોધી બેક્ટેરિયા અમેરિકન લોકો માટે જોખમ બની ગયા છે. CDTએ એક નિવેદન જાહેર કરીને ભલામણ કરી કે ડૉક્ટર અને દર્દી એજરીકેર આર્ટિફિશિયલ ટીયર્સનો ઉપયોગ કરવાનું બંધ કરી દે કેમ કે તેનાથી આંખોમાં સંક્રમણ થઈ શકે છે, જેના કારણે દૃષ્ટિ હાનિ, હૉસ્પિટલમાં દાખલ થવું અને મૃત્યુ થઈ શકે છે. બીજી તરફ ચેન્નાઇના દક્ષિણી શહેરમાં સ્થિત ગ્લોબલ ફાર્મા હેલ્થકેરનું કહેવું છે કે આઈ ડ્રોપના શેષ લૉટ માટે સ્વૈચ્છિક રિકોલ જાહેર કરી દીધો છે, જેથી સંયુક્ત રાજ્ય અમેરિકામાં એજરીકેર LLC અને ડેલસમ ફાર્મા દ્વારા વિતરીત કરવામાં આવ્યા હતા.

અમેરિકામાં ભારતીય દવા કંપનીના એક આઈ ડ્રોપથી હાહાકાર મચી ગયો છે. આ આઈ ડ્રોપના ઉપયોગથી અમેરિકામાં 3 લોકોના જીવ જઈ ચૂક્યા છે. અમેરિકામાં ઉચ્ચ ચિકિત્સા દેખરેખ એજન્સીએ આ આઈ ડ્રોપમાં અત્યધિક દવા પ્રતિરોધી બેક્ટેરિયા હોવાની સંભાવના પર ચિંતા વ્યક્ત કરી છે. એક અખબારે રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (CDC)નો સંદર્ભ આપતા આ જાણકારી આપી છે. રિપોર્ટ મુજબ આ આઈ ડ્રોપના ઉપયોગથી 8 લોકોમાં આંધળાપણું અને ડઝનો સંક્રમણના કેસ અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે.

ભારતીય કંપનીએ અમેરિકામાં મોત સાથે લિંક સામે આવ્યા બાદ આઈ ડ્રોપનું પ્રોડક્શન બંધ આકરી દીધું છે. CDCએ વાતને લઈને ખૂબ જ ચિંતિત છે કે અમેરિકામાં આ અગાઉ આ સ્ટ્રેન મળ્યો નથી. એવામાં સમસ્યા એ છે કે અમેરિકામાં ઉપસ્થિત એન્ટિબાયોટિક દવાઓથી તેની સારવાર કરવાનું ખૂબ મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈથી લગભગ 40 કિલોમીટર દૂર દક્ષિણમાં સ્થિત ગ્લોબલ ફાર્મા હેલ્થકેરે ફેબ્રુઆરીમાં અમેરિકન બજાર સાથે જોડાયેલા આઈ ડ્રોપનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. તેણે સ્વેચ્છાએ ઉપભોક્તા સ્તર પર EzriCare આર્ટિફિશિયલ ટીયર્સ અને ડેલસમ ફાર્માના આર્ટિફિશિયલ ટીયર્સના બધા વેચવામાં આવેલા લૉટ પરત લઈ લીધા હતા.

About The Author

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.