શું ભાઈ-બહેનનું સેક્સ કરવું યોગ્ય છે? આ યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાયો સવાલ

પરીક્ષામાં વિદ્યાર્થીઓને વિવાદાસ્પદ પ્રશ્નો પૂછવાનો મામલો અનેક વખત સામે આવી ચૂક્યો છે. ઘણી વખત એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા હોય છે તો ઘણી વખત સમાજ અથવા ધર્મ વિશેષને લઈને વાંધાજનક પ્રશ્ન પૂછવામાં આવી ચૂક્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. ખરેખર, યુનિવર્સિટીએ ભાઈ-બહેનની વચ્ચેના ગેરકાયદે સંબંધોને લઈને પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્નપત્રમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ-બહેનનું સેક્સ કરવું યોગ્ય છે? આ વિષય પર નિબંધ લખો. પ્રશ્નપત્રની કૉપી હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

રિપોર્ટ મુજબ, આ મામલો ઈસ્લામાબાદ સ્થિત COMSATS યુનિવર્સિટીનો છે, જ્યાં પહેલા સેમેસ્ટરમાં અંગ્રેજીના પ્રશ્નપત્રમાં પૂછવામાં આવ્યું હતું કે, 'શું ભાઈ અને બહેનનું સેક્સ કરવું યોગ્ય છે' વિષય પર નિબંધ લખો. આ પ્રશ્નને લઈને યુનિવર્સિટીમાં હોબાળો મચી ગયો, જે બાદ ઉતાવળમાં કાર્યવાહી કરીને મેનેજમેન્ટે પ્રોફેસરને નોકરી પરથી કાઢી મૂક્યા છે.

2 ફેબ્રુઆરી 2023ના રોજ લખેલા એક પત્રમાં યુનિવર્સિટી તરફથી કહેવામાં આવ્યું, 'પહેલા સેમેસ્ટરમાં અંગ્રેજીના પ્રશ્નપત્રની સામગ્રીને લઈને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના 19 જાન્યુઆરી, 2023ના પત્રનો જવાબ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મામલે કાર્યવાહી પહેલા જ કરવામાં આવી ચૂકી છે. લેક્ચરરની સેવા (વિઝિટિંગ ફેકલ્ટી) 5 જાન્યુઆરી, 2023થી સમાપ્ત કરી દેવામાં આવી છે. આ સાથે જ તે લેક્ચરરને બ્લેક લિસ્ટ પણ કરી દેવામાં આવ્યા છે.'

ખરેખર, પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે વાંધાજનક પ્રશ્નપત્રની નોંધ લેતા યુનિવર્સિટી પાસેથી જવાબ માંગ્યો હતો. મંત્રાલયે 19 જાન્યુઆરી, 2023ના રોજ યુનિવર્સિટીને પત્ર મોકલીને કહ્યું હતું કે, 'પ્રશ્નપત્રમાં પૂછવામાં આવેલો સવાલ ખૂબજ વાંધાજનક છે. આ સંપૂર્ણપણે પાકિસ્તાનના અભ્યાસક્રમ કાયદાની વિરુદ્ધ છે અને વિદ્યાર્થીઓના પરિવારોની વચ્ચે અશાંતિ પેદા કરે છે.'

અહીં તમને જણાવી દઈએ કે, મંત્રાલયે યુનિવર્સિટીને આ મામલામાં તપાસ કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. મંત્રાલયે યુનિવર્સિટી પ્રશાસનને તપાસ રિપોર્ટ સુપરત કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો. રિપોર્ટ મુજબ, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર નવીદ અહમદ ખાને સ્વીકાર કર્યું છે કે વિદ્યાર્થીઓને ખૂબજ વાંધાજનક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો કે આ મામલામા બીજા દિવસે એક બેઠક યોજવામાં આવી હતી અને તે લેક્ચરરને તે જણાવવા માટે કહેવામાં આવ્યું કે તેણે વિદ્યાર્થીઓને આવો મૂર્ખતાપૂર્ણ પ્રશ્ન કેમ પૂછ્યો? તેણે કહ્યું કે તેણે પોતાની ભૂલ સ્વીકાર કરી લીધી, જે બાદ યુનિવર્સિટીએ લેક્ચરરને નોકરી પરથી કાઢી મૂક્યો. પ્રશ્નપત્રને ફરીથી તૈયાર કરવામાં આવ્યું.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.