પાકિસ્તાનના સિંધમાં હિન્દુ વસ્તી કેટલી? પાકિસ્તાનની જનસંખ્યામાં આ સિંધપ્રાંતની શું ભૂમિકા?

હાલના દિવસોમાં, ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવેદનની ચર્ચા ચારેય બાજુ થઈ રહી છે. જેમાં તેમણે પાકિસ્તાનના સિંધ પ્રાંત અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, સરહદો બદલાઈ શકે છે અને સિંધ એક દિવસ ભારતનો ભાગ બની શકે છે. આ નિવેદનથી ભારતથી પાકિસ્તાન સુધી હંગામો મચી ગયો છે. તો ચાલો આપણે સમજી લઈએ કે જે સિંધ પ્રાંતની વાતનો રાજનાથ સિંહે ઉલ્લેખ કર્યો છે કે, ત્યાં હિન્દુની વસ્તી કેટલી છે, વસ્તીની દ્રષ્ટિએ આ પ્રાંત પાકિસ્તાન માટે કેટલો મહત્વપૂર્ણ છે, અને જો સિંધ વિસ્તાર ભારતમાં ભળી ગયો તો ભારતની વસ્તીનું શું થશે?

Hindu-in-Pakistan2
voiceofbalochistan.pk

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, સિંધની કુલ વસ્તી આશરે 55.70 મિલિયન છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે, 2023ની વસ્તી ગણતરી મુજબ, ત્યાં આશરે 4.9 મિલિયન હિન્દુઓ રહે છે, જે સિંધની કુલ વસ્તીના આશરે 8.8 ટકા છે. આ આંકડામાં 'SC' (અનુસૂચિત જાતિ) હિન્દુઓનો પણ સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે, સિંધ પાકિસ્તાનનો એવો વિસ્તાર છે કે જ્યાં હિન્દુની વસ્તી સૌથી વધુ ટકાવારી ધરાવે છે.

પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડિજિટલ વસ્તી ગણતરી અહેવાલ મુજબ, સિંધની વસ્તી આશરે 55.69 મિલિયન છે. પાકિસ્તાનની કુલ વસ્તી 2023ની વસ્તી ગણતરીના સમાન ડેટા અનુસાર, પાકિસ્તાનની કુલ વસ્તી આશરે 241.49 મિલિયન છે. જો આપણે સિંધની વસ્તી (55.69 મિલિયન)ને પાકિસ્તાનની કુલ વસ્તી (241.49 મિલિયન) દ્વારા વિભાજીત કરીએ, તો તે લગભગ 23 ટકા થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, પાકિસ્તાનની વસ્તીના લગભગ એક ચતુર્થાંશ લોકો સિંધ પ્રાંતમાં રહે છે.

Alcohol1
wsj.com

હવે, તમે માની લો કે, જો સિંધની વસ્તી ભારતમાં જોડાય જાય તો ભારતની કુલ વસ્તી કેટલી વધશે, અને તેની ભારતીય વસ્તી પર શું અસર પડશે?

પાકિસ્તાનની 2023ની ડિજિટલ વસ્તી ગણતરી અનુસાર, સિંધની વસ્તી આશરે 55.69 મિલિયન (55,690,000) છે. આ આંકડો PBS (પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ)ના 'ફર્સ્ટ એવર ડિજિટલ વસ્તી ગણતરી' અહેવાલમાંથી છે. એવરીથિંગ એક્સપ્લેન્ડ ટુડે મુજબ, સિંધમાં હિન્દુઓની વસ્તી આશરે 4.90 મિલિયન છે, જે સિંધની કુલ વસ્તીના લગભગ 8.8 ટકા છે. બીજી બાજુ, ભારતમાં આશરે 1.46 અબજ (1,460 મિલિયન) વસ્તી છે. (આ એક અંદાજ છે; વાસ્તવિક સંખ્યા સમયાંતરે બદલાયા કરે છે). તેથી, જો સિંધની સમગ્ર વસ્તી ભારતમાં ઉમેરવામાં આવે, તો કુલ 1,460 મિલિયન+ 55.69 મિલિયન= આશરે 1,515.69 મિલિયન થશે.

Hindu-in-Pakistan
en.wikipedia.org

સરળ શબ્દોમાં કહીએ તો, આનો અર્થ એ છે કે, ભારતની વસ્તીમાં લગભગ આખા સિંધ પ્રાંતનો ઉમેરો થવાથી ખુબ મોટા પ્રમાણમાં વસ્તી વિષયક ફેરફાર થશે. આનો અર્થ એ થાય કે, ભારતની વસ્તીમાં, લગભગ 3.8 ટકા (લગભગ 55.7 મિલિયન)નો વધારો થશે.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.