કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. અનિતા ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂકી છે.

અનિતા આનંદે પવિત્ર હિન્દુ ગ્રંથ ગીતા પર હાથ રાખીને પદ અને ગોપનીયતાના શપથ લીધા. તેમણે કહ્યું કે કેનેડાના વિદેશ મંત્રી તરીકે પસંદગી પામીને હું સન્માનિત અનુભવું છું. હું વડાપ્રધાન માર્ક કાર્ની સાથે મળીને કામ કરવા અને વધુ સારી અને સુરક્ષિત દુનિયા બનાવવા માટે અમારી ટીમ સાથે કામ કરવા આતુર છું. 

anita-anand-2
gujaratsamachar.com

તમને જણાવી દઈએ કે તેમને મેલોની જોલીના સ્થાને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. જોલીને ઉદ્યોગ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કાર્નીના મંત્રીમંડળના અડધા સભ્યો મહિલાઓ છે. પીએમ કાર્નીએ કહ્યું કે તેમનું મંત્રીમંડળ કેનેડાના લોકોની ઇચ્છાઓ અને જરૂરિયાતો અનુસાર ફેરફારો લાવવા માટે કામ કરશે.

અનિતાનો ભારત સાથે શું છે સંબંધ?

અનિતા આનંદ ભારતીય મૂળના છે. તેના પિતા તમિલનાડુના છે જ્યારે માતા પંજાબની છે. પરંતુ પાછળથી તેના માતા-પિતા કેનેડામાં જઈને સ્થાયી થયા. તેમણે ગીતા પર હાથ રાખીને વિદેશ મંત્રી તરીકે શપથ લીધા. 

anita-anand-1
gujaratsamachar.com

તે ટ્રુડો સરકારમાં પરિવહન અને વેપાર મંત્રી પણ રહી ચૂકી છે. અનિતાનો જન્મ 1967માં નોવા સ્કોટીયામાં થયો હતો. તેના માતા-પિતા બંને ડોક્ટર છે. અનિતા ટોરોન્ટો યુનિવર્સિટીમાં લૉ ના પ્રોફેસર રહી ચૂકી છે. 

તેઓ પહેલી વાર 2019માં ઓકવિલેથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2021 થી 2023સુધી સંરક્ષણમંત્રી અને 2023 થી 2024 સુધી ટ્રેઝરી બોર્ડના પ્રમુખ તરીકે રહ્યા. 2025ની ચૂંટણીમાં તેમણે પોતાની બેઠક જાળવી રાખી અને માર્ક કાર્નીની લઘુમતી સરકારમાં કેબિનેટમંત્રી બન્યા. રાજકારણમાં જોડાતા પહેલા, તે વ્યવસાયે વકીલ અને પ્રોફેસર હતા. 

અનિતાએ વારંવાર પોતાના ભારતીય વારસાનો સ્વીકાર કર્યો છે. તેમણે પ્રવાસી ભારતીય દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા પ્રસંગોએ ભારત સાથેના પોતાના સંબંધો પર પ્રકાશ પાડ્યો છે. કેનેડાના સંરક્ષણમંત્રી તરીકે, તેમણે ભારત-કેનેડા સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવા માટે કામ કર્યું.

તમને જણાવી દઈએ કેમાર્ક કાર્નીના નેતૃત્વમાં   તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં લિબરલ પાર્ટીએ 343 માંથી 169 બેઠકો જીતી હતી. જોકે, લિબરલ પાર્ટી 172 બેઠકોની બહુમતીથી ત્રણ બેઠકો લાવી શકી નહોતી. પરંતુ આ છતાં પાર્ટીએ સરકાર બનાવી. કેનેડામાં લિબરલ પાર્ટીની આ ચોથી સરકાર છે. 

About The Author

Related Posts

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.