માતા-પુત્ર ઘરમાં ચલાવી રહ્યા હતા વૈશ્યાલય, બોલાવવામાં આવતી સગીર છોકરીઓ

પોલીસે વૈશ્યાલય ચલાવવાના આરોપમાં એક મહિલા અને તેના પુત્રની ધરપકડ કરી છે. તેમણે પોતાના ઘરને જ વૈશ્યાલય બનાવી દીધું હતું. ઘટનાનો ખુલાસો એ અન્ય મહિલાએ કર્યો છે, જે વૈશ્યા તરીકે ત્યાં કામ કરી રહી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, તેને માત્ર દિવસમાં ઉપયોગ કરેલ કોન્ડમના પૈસા આપવામાં આવી રહ્યા છે. આ ઘટના અમેરિકન ફ્લોરિડાની છે. જ્યારે તપાસકર્તાઓએ એક ફરિયાદ બાદ ઘટનાની શરૂઆત કરી તો માતા અને પુત્રની ધરપકડ થઇ.

તેમણે જણાવ્યું કે, 15 વર્ષની છોકરીઓનો પણ ઉપયોગ થઇ રહ્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, અધિકારીઓએ જણાવ્યું કે, જાસૂસોને ખબર પડી કે 28 વર્ષીય ગ્લિન યાન જુનિગા લાટિન પોતાની 52 વર્ષીય માતા અમપારો લાટિન બારિલાસ સાથે કથિત રીતે વૈશ્યાલય ચલાવી રહ્યો છે. અમપારો દરવાજા પર બેસીને કેશ પેમેન્ટ લેતી હતી. અહીં આવનારા લોકોને 50 ડોલરના બદલે કાર્ડ આપવામાં આવતા હતા. ત્યારબાદ કોમર્શિયલ વૈશ્યાઓની પસંદગી બાદ રૂમમાં લઇ જતાં હતા.

તપાસકર્તાઓને એક વૈશ્યા મળી, તેણે જણાવ્યું કે તેને કહેવામાં આવ્યું હતું કે તેણે અઠવાડિયામાં 3 દિવસ કામ કરવું પડશે અને દરેક કસ્ટમરના બદલે 25 ડૉલર મળશે, પરંતુ કશું મળ્યું નહીં, તેને માત્ર કોન્ડમના પૈસા આપવામાં આવતા હતા. આ મહિલાએ જ જાસૂસોને જણાવ્યું કે, માતા અને પુત્ર વધુ એક વૈશ્યાલય પણ ચલાવી રહ્યા છે. પોલીસે જ્યારે બેંક ડિટેલ્સ તપાસી તો જાણકારી મળી કે તેમની પાસે કમાણીનું કોઇ બીજું મધ્યમ નથી. તેમની કમાણી વૈશ્યાલયથી થઇ રહી છે. બેંક અકાઉન્ટમાં રોજ પૈસા જમા કરાવવામાં આવી રહ્યા હતા. હવે આ માતા-પુત્રઅને વૈશ્યાવૃત્તિથી પૈસા કમાવા અને ઘરઅને વૈશ્યલય બનાવવાના આરોપનો સામનો કરવો પડશે.

ગુજરાતમાં થોડા વર્ષો અગાઉ પૈસાની લાલચમાં સગા માતા-પિતા તેની દીકરીને બળજબરીથી દેહ વ્યાપારના ધંધામાં ધકેલતા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોતાની જ સગીર વયની દીકરી ગર્ભવતી બનતા માતા-પિતાની આવી કરતૂકનો ભાંડો ફૂટ્યો હતો. અમરેલીના ચલાલા નજીક આવેલા એક ગામમાં 17 વર્ષની સગીરાએ તેના માતા-પિતા સામે જ ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સગીરાએ તેના જ માતા-પિતા તેને અન્ય વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મોકલતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.