UK પોતાની વીઝા ફી વધારવા જઇ રહ્યું છે, હવે આટલી કિંમત ચૂકવવી પડશે

બ્રિટનના વીઝા હાંસલ કરવા માટે આવેદન કરનારા લોકોએ હવે વધારે કિંમત ચૂકવવી પડશે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે આ સંબંધે એક મોટું એલાન કર્યું છે. સુનકે ગુરુવારના રોજ કહ્યું કે, ભારતીયો સહિત આખા વિશ્વમાં વીઝા એપ્લાઇ કરનારાઓ તરફથી અપાતી ફીઝ અને હેલ્થ સરચાર્જમાં ઘણો વધારો કરવામાં આવશે. હેલ્થ સરચાર્જ બ્રિટનની સરકારી નેશનલ હેલ્થ સર્વિસને આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, જેથી દેશમાં પબ્લિક સેક્ટરના પગારમાં કરવામાં આવેલા વધારાની પૂર્તિ કરી શકાય. વીઝા ફીઝમાં 15થી 20 ટકા સુધી વધારો થઇ શકે છે.

શિક્ષકો, પોલીસ, જૂનિયર ડોક્ટરો અને બીજા પબ્લિક સેક્ટરના કર્મચારીઓના વેતનની સ્વતંત્ર સમીક્ષાની ભલામણને સ્વીકાર કરવા માટેના દબાણનો સામનો કરી રહેલા બ્રિટિશ વડાપ્રધાન સુનકે તેમાં 5થી 7 ટકાની વચ્ચે વધારાની પુષ્ટી કરી છે. સાથે જ, તેમણે કહ્યું કે, આ પૈસા ભેગા કરવા માટે વીઝા ફીઝમાં વધારો કરવામાં આવશે.

વધારા દ્વારા, ઋષિ સુનકનું લક્ષ્ય UKના પબ્લિક સેક્ટરના પગારમાં કરવામાં આવેલા વધારાનું સમર્થન કરવાનું છે. જેમાં શિક્ષક, પોલિસ, જૂનિયર ડોક્ટર અને અન્ય પબ્લિક સેક્ટરના કર્મચારીઓ શામેલ છે. કારણ કે, તેમણે કહ્યું કે, આખા બોર્ડમાં 5થી 7 ટકાનો સામાન્ય વધારો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર મોઘવારીની ચિંતાઓના કારણે પડતરને કવર કરવા માટે વધારવામાં આવેલી ઉધારી પર નિર્ભર ન રહેશે.

ઋષિ સુનકે કહ્યું કે, જો આપણે પબ્લિક સેક્ટરના કર્મચારીઓને વધારે ચૂકવણી કરવાને પ્રાથમિકતા આપીશું, તો તે પૈસા ક્યાંક બીજેથી આવશે, કારણ કે, લોકો પર વધુ ટેક્સ લાગાવવા માટે હું તૈયાર નથી અને મને નથી લાગતું કે, વધારે ઉધાર લેવું હિતાવહ છે, કારણ કે, આનાથી મોઘવારી વધુ બદતર થઇ જશે.

વડાપ્રધાન સુનકે કહ્યું કે, અમે આ પૈસા લાવવા માટે બે પગલા લીધા છે. પહેલું કે, અમે આ દેશમાં આવનારા પ્રવાસીઓ માટે વીઝા માટે આવેદન કરનારા લોકો વાળી ફીઝને વધારવામાં આવી રહી છે અને વાસ્તવમાં તેને ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ કહેવામાં આવે છે.

તેમણે કહ્યું કે, આ બધી ફીઝમાં વધારો થવા જઇ રહ્યો છે અને તેનાથી ગ્રેટ બ્રિટન પાઉન્ડમાં એક અબજ કરતા વધારેનો વધારો થશે, તેથી આખા બોર્ડમાં વીઝા આવેદન ફીઝમાં ઘણો વધારો કરવામાં આવશે અને એ જ રીતે ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં પણ થશે.

સરકારે પુષ્ટી કરી છે કે, વર્ક વીઝા ફીઝમાં 15 ટકાનો વધારો કરવામાં આવશે. અન્ય દરેક વીઝા ફીઝામાં કમ સે કમ 20 ટકાનો વધારો કરવામાં આવશે. ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ પહેલી વખત 2015માં પ્રતિ આવેદન 200 પાઉન્ડ પર લાગુ કરવામાં આવ્યું હતું. 2018માં તે બેગણું થઇને 400 પાઉન્ડ થઇ ગયું અને 2020માં વધીને 624 પાઉન્ડ થયું હતું.

About The Author

Related Posts

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.