UK પોતાની વીઝા ફી વધારવા જઇ રહ્યું છે, હવે આટલી કિંમત ચૂકવવી પડશે

બ્રિટનના વીઝા હાંસલ કરવા માટે આવેદન કરનારા લોકોએ હવે વધારે કિંમત ચૂકવવી પડશે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે આ સંબંધે એક મોટું એલાન કર્યું છે. સુનકે ગુરુવારના રોજ કહ્યું કે, ભારતીયો સહિત આખા વિશ્વમાં વીઝા એપ્લાઇ કરનારાઓ તરફથી અપાતી ફીઝ અને હેલ્થ સરચાર્જમાં ઘણો વધારો કરવામાં આવશે. હેલ્થ સરચાર્જ બ્રિટનની સરકારી નેશનલ હેલ્થ સર્વિસને આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, જેથી દેશમાં પબ્લિક સેક્ટરના પગારમાં કરવામાં આવેલા વધારાની પૂર્તિ કરી શકાય. વીઝા ફીઝમાં 15થી 20 ટકા સુધી વધારો થઇ શકે છે.

શિક્ષકો, પોલીસ, જૂનિયર ડોક્ટરો અને બીજા પબ્લિક સેક્ટરના કર્મચારીઓના વેતનની સ્વતંત્ર સમીક્ષાની ભલામણને સ્વીકાર કરવા માટેના દબાણનો સામનો કરી રહેલા બ્રિટિશ વડાપ્રધાન સુનકે તેમાં 5થી 7 ટકાની વચ્ચે વધારાની પુષ્ટી કરી છે. સાથે જ, તેમણે કહ્યું કે, આ પૈસા ભેગા કરવા માટે વીઝા ફીઝમાં વધારો કરવામાં આવશે.

વધારા દ્વારા, ઋષિ સુનકનું લક્ષ્ય UKના પબ્લિક સેક્ટરના પગારમાં કરવામાં આવેલા વધારાનું સમર્થન કરવાનું છે. જેમાં શિક્ષક, પોલિસ, જૂનિયર ડોક્ટર અને અન્ય પબ્લિક સેક્ટરના કર્મચારીઓ શામેલ છે. કારણ કે, તેમણે કહ્યું કે, આખા બોર્ડમાં 5થી 7 ટકાનો સામાન્ય વધારો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર મોઘવારીની ચિંતાઓના કારણે પડતરને કવર કરવા માટે વધારવામાં આવેલી ઉધારી પર નિર્ભર ન રહેશે.

ઋષિ સુનકે કહ્યું કે, જો આપણે પબ્લિક સેક્ટરના કર્મચારીઓને વધારે ચૂકવણી કરવાને પ્રાથમિકતા આપીશું, તો તે પૈસા ક્યાંક બીજેથી આવશે, કારણ કે, લોકો પર વધુ ટેક્સ લાગાવવા માટે હું તૈયાર નથી અને મને નથી લાગતું કે, વધારે ઉધાર લેવું હિતાવહ છે, કારણ કે, આનાથી મોઘવારી વધુ બદતર થઇ જશે.

વડાપ્રધાન સુનકે કહ્યું કે, અમે આ પૈસા લાવવા માટે બે પગલા લીધા છે. પહેલું કે, અમે આ દેશમાં આવનારા પ્રવાસીઓ માટે વીઝા માટે આવેદન કરનારા લોકો વાળી ફીઝને વધારવામાં આવી રહી છે અને વાસ્તવમાં તેને ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ કહેવામાં આવે છે.

તેમણે કહ્યું કે, આ બધી ફીઝમાં વધારો થવા જઇ રહ્યો છે અને તેનાથી ગ્રેટ બ્રિટન પાઉન્ડમાં એક અબજ કરતા વધારેનો વધારો થશે, તેથી આખા બોર્ડમાં વીઝા આવેદન ફીઝમાં ઘણો વધારો કરવામાં આવશે અને એ જ રીતે ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં પણ થશે.

સરકારે પુષ્ટી કરી છે કે, વર્ક વીઝા ફીઝમાં 15 ટકાનો વધારો કરવામાં આવશે. અન્ય દરેક વીઝા ફીઝામાં કમ સે કમ 20 ટકાનો વધારો કરવામાં આવશે. ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ પહેલી વખત 2015માં પ્રતિ આવેદન 200 પાઉન્ડ પર લાગુ કરવામાં આવ્યું હતું. 2018માં તે બેગણું થઇને 400 પાઉન્ડ થઇ ગયું અને 2020માં વધીને 624 પાઉન્ડ થયું હતું.

Related Posts

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.