રાજકોટઃ વેકેશનમાં ઘરે આવેલો, પિતા સાથે બાઇક પર નિકળેલા કિશોરનું હાર્ટ એટેકથી મોત

હૈદ્રાબાદના ગુરુકુળમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી દિવાળીના વેકેશનમાં રાજકોટ પોતાના ઘરે આવ્યો હતો. પિતા સાથે બાઇક પર બહાર નિકળ્યો તો હાર્ટએટેકને કારણે મોતને ભેટ્યો હતો. 15 વર્ષની વયના આ કિશોરના નસીબની બલિહારી તો જુઓ કે હૈદ્રાબાદ જવા માટે આજની તેની ટ્રેનની ટિકીટ હતી, પરંતુ હૈદાબાદ જવાને બદલે અંતિમ યાત્રા પર નિકળી ગયો હતો.વ્હાલસોયા એકના એક દિકરાના મોતને કારણે પરિવારે કલ્પાંત મચાવી મૂક્યો હતો.

રાજકોટમાં રહેતો પૂજન ઠુંમર હૈદ્રાબાદના ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો અને તે અત્યારે 10મા ધોરણનો અભ્યાસ કરી રહ્યો હતો. દિવાળીનું વેકેશન પડવાને કારણે બધા વિદ્યાર્થીઓની જેમ પૂજન પણ વેકેશન માણવા પોતાના ઘરે આવ્યો હતો. વેકેશન પુરુ થવાની તૈયારી હતી અને પૂજનની હૈદ્રાબાદ જવાની આજની ટ્રેનની ટિકીટ પણ હતી.

પરંતુ નિયતિને કદાચ બીજું જ મંજૂર હતું. પૂજન પોતાના પિતા સાથે બાઇક પર બેસીને વાળ કપાવવા ગયો હતો. વાળ કપાવીને પિતા-પુત્ર જ્યારે ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે પૂજન બાઇક પરથી પટકાઇ ગયો હતો.

પૂજન ઠુંમરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. પૂજનનું મોત હાર્ટએટેકને કારણે થયું હોવાનું તબીબોએ કહ્યુ હતું.

રાજકોટના કોઠારીયા રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમા રહેતા અમિત ઠુંમરને સપનેય પણ ખ્યાલ નહીં હોય કે દિકરીને બાઇક પર બેસાડીને લઇ જવામાં દિકરો ગુમાવવો પડશે. બાઇક પરથી જ્યારે પૂજન પટકાયો ત્યારે પિતાએ પોતાના એકના એક દિકરાને બચાવવાનો પુરો પ્રયાસ કર્યો હતો, પરંતુ દિકરાને બચાવી ન શક્યા અને એ વાતનો તેમને ભારોભાર વસવસો છે.

જ્યારે માતાને પુત્રના મોતના સમાચાર મળ્યા ત્યારે માતાએ કલ્પાંત મચાવી મૂક્યો હતો.

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યું છે. ક્રિક્રેટ રમતા રમતા કે ગરબા રમતા યુવાનોના હાર્ટએટેકને કારણે મોત થયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પૂજંન ઠુંમર તો માત્ર 15 વર્ષનો જ હતો.

ઉત્તર પ્રદેશના ગર્વનર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ થોડા સમય પહેલાં પાટણના એક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં હાર્ટએટકના બનાવો ચિંતાજનક છે. તેમણે કહ્યુ હતું કે, શા માટે યુવાનોમાં હાર્ટએટેક વધી રહ્યા છે તેનો સરવે કરાવવો જોઇએ.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-03-2026    વાર - બુધવાર    મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે હેઠળ ઈંડા ઉત્પાદકોએ આગામી 1 એપ્રિલથી દરેક ઈંડા...
National 
દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

મહારાષ્ટ્રના રાજકારણમાં ધર્મ પરિવર્તન અંગે ચર્ચા તેજ બની છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલા મહારાષ્ટ્ર ધર્મ સ્વતંત્રતા બિલ 2026...
National 
BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

સોમવારે રાજસ્થાનના કોટા જિલ્લામાં પોતાની પદયાત્રાના અંતિમ દિવસે શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે ભૈરુપુરામાં ગ્રામજનોને અનોખા અંદાજથી દારૂથી...
Politics 
‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

Opinion

એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે... એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
(ઉત્કર્ષ પટેલ) આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું. 1986માં જ્યારે સૌરાષ્ટ્ર પર અવિરત...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.