રાજકોટઃ વેકેશનમાં ઘરે આવેલો, પિતા સાથે બાઇક પર નિકળેલા કિશોરનું હાર્ટ એટેકથી મોત

હૈદ્રાબાદના ગુરુકુળમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી દિવાળીના વેકેશનમાં રાજકોટ પોતાના ઘરે આવ્યો હતો. પિતા સાથે બાઇક પર બહાર નિકળ્યો તો હાર્ટએટેકને કારણે મોતને ભેટ્યો હતો. 15 વર્ષની વયના આ કિશોરના નસીબની બલિહારી તો જુઓ કે હૈદ્રાબાદ જવા માટે આજની તેની ટ્રેનની ટિકીટ હતી, પરંતુ હૈદાબાદ જવાને બદલે અંતિમ યાત્રા પર નિકળી ગયો હતો.વ્હાલસોયા એકના એક દિકરાના મોતને કારણે પરિવારે કલ્પાંત મચાવી મૂક્યો હતો.

રાજકોટમાં રહેતો પૂજન ઠુંમર હૈદ્રાબાદના ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો અને તે અત્યારે 10મા ધોરણનો અભ્યાસ કરી રહ્યો હતો. દિવાળીનું વેકેશન પડવાને કારણે બધા વિદ્યાર્થીઓની જેમ પૂજન પણ વેકેશન માણવા પોતાના ઘરે આવ્યો હતો. વેકેશન પુરુ થવાની તૈયારી હતી અને પૂજનની હૈદ્રાબાદ જવાની આજની ટ્રેનની ટિકીટ પણ હતી.

પરંતુ નિયતિને કદાચ બીજું જ મંજૂર હતું. પૂજન પોતાના પિતા સાથે બાઇક પર બેસીને વાળ કપાવવા ગયો હતો. વાળ કપાવીને પિતા-પુત્ર જ્યારે ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે પૂજન બાઇક પરથી પટકાઇ ગયો હતો.

પૂજન ઠુંમરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. પૂજનનું મોત હાર્ટએટેકને કારણે થયું હોવાનું તબીબોએ કહ્યુ હતું.

રાજકોટના કોઠારીયા રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમા રહેતા અમિત ઠુંમરને સપનેય પણ ખ્યાલ નહીં હોય કે દિકરીને બાઇક પર બેસાડીને લઇ જવામાં દિકરો ગુમાવવો પડશે. બાઇક પરથી જ્યારે પૂજન પટકાયો ત્યારે પિતાએ પોતાના એકના એક દિકરાને બચાવવાનો પુરો પ્રયાસ કર્યો હતો, પરંતુ દિકરાને બચાવી ન શક્યા અને એ વાતનો તેમને ભારોભાર વસવસો છે.

જ્યારે માતાને પુત્રના મોતના સમાચાર મળ્યા ત્યારે માતાએ કલ્પાંત મચાવી મૂક્યો હતો.

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યું છે. ક્રિક્રેટ રમતા રમતા કે ગરબા રમતા યુવાનોના હાર્ટએટેકને કારણે મોત થયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પૂજંન ઠુંમર તો માત્ર 15 વર્ષનો જ હતો.

ઉત્તર પ્રદેશના ગર્વનર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ થોડા સમય પહેલાં પાટણના એક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં હાર્ટએટકના બનાવો ચિંતાજનક છે. તેમણે કહ્યુ હતું કે, શા માટે યુવાનોમાં હાર્ટએટેક વધી રહ્યા છે તેનો સરવે કરાવવો જોઇએ.

About The Author

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.